સોમનાથ-વેરાવળ-પાટણ સંયુક્ત પાલિકાના વર્તમાન બોર્ડની મુદત કાલે સાંજે થશે પૂર્ણ

ગુજરાત નગરપાલિકા અધિનિયમન 1963-8 મુજબ વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ મુદત પુરી થતી હોય રાજય શહેરી વિકાસ મંડળે વેરાવણ-પાટણ સયુંકત નગરપાલિકાના વહીવટદાર તરીકે તા.15/3થી…

ગુજરાત નગરપાલિકા અધિનિયમન 1963-8 મુજબ વેરાવળ-પાટણ સયુંકત નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ મુદત પુરી થતી હોય રાજય શહેરી વિકાસ મંડળે વેરાવણ-પાટણ સયુંકત નગરપાલિકાના વહીવટદાર તરીકે તા.15/3થી વેરાવળના પ્રાંત અધિકારી વિનોદ જોશીની નિમણુક આગામી ચૂંટણી પુર્ણ થાય અને નવું ચુંટાયેલ બોર્ડ ચાર્જ લે ત્યાં સુધી નિમણુંક કરી છે. વિનોદ જોશી હાલ વેરાવળ પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવે છે.તેઓ આગામી ચૂંટણી બાદ નવા બોર્ડની રચના થાય ત્યાં સુધી નગરપાલિકાની કામગીરી સુચારૂૂ રૂૂપે ચાલે તે માટે વિવિધ પ્રકારના વિકાસલક્ષી કામો અને આવશ્યક સેવાઓ જેવી કે પાણી, ગટર, લાઈટ અગ્નિશામક, સફાઈ સાધનો, વાહનોમાં મરામત કામો અંતર્ગત નિયમાનુસાર ખર્ચ કરવા આ વહીવટદારની નિમણુંક કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *