દેશમાં વાયુ પ્રદૂષણ પર કડક નિયંત્રણ લાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એક નવા અને કડક નિયમ પર કામ કરી રહ્યું છે. જે હેઠળ જો કોઈ ટુ-વ્હીલર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ધુમાડો કે ધુમાડો ગેસ છોડશે, તો તેનું એન્જિન આપમેળે ’લિમ્પ-હોમ મોડ’માં જતું રહેશે. આ સિસ્ટમ સક્રિય થવાથી વાહનની સ્પીડ અને એન્જિનનો પાવર એટલો ઘટી જશે કે ચાલક તેને ઝડપથી કે સામાન્ય રીતે ચલાવી શકશે નહીં.
વાહન માત્ર એટલી જ ગતિએ ચાલી શકશે કે જેથી તેને નજીકના સર્વિસ સેન્ટર કે ગેરેજ સુધી લઈ જઈ શકાય.
આ વ્યવસ્થા વાહનમાં લાગેલા અદ્યતન ’ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક્સ’ (OBD -2) સિસ્ટમ દ્વારા સંચાલિત થશે. OBD સિસ્ટમ વાહનના એમિશન ક્ધટ્રોલ પાર્ટ્સ અને સેન્સર્સ પર રિયલ-ટાઇમ નજર રાખે છે. 1 એપ્રિલ, 2025 પછી બનેલા ઇજ-6 OBD -2 વાહનો માટે ઉત્સર્જન મર્યાદા નિર્ધારિત કરાયેલી છે, જેમાં પેટ્રોલમાં કાર્બન મોનોક્સાઈડ (CO), નોન-મિથેન હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ (NOx)ની ચોક્કસ મર્યાદા નક્કી છે. જો વાહનમાં કોઈ ખામી સર્જાય અને પ્રદૂષણ આ નિર્ધારિત થ્રેશોલ્ડથી વધી જાય, તો સિસ્ટમ વાહનચાલકને વાહન રિપેર કરાવવા મજબૂર કરવા તરફ દોરી જશે.
ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (અઈંજ-137) હેઠળ OBD -2ઇ ની જરૂૂરિયાતો પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વાહન ઉત્પાદકોના સંગઠન ’સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ’ (જઈંઅખ) એ શરૂૂઆતમાં ઓડિયો એલાર્મ કે ચેતવણી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
જોકે, માત્ર ચેતવણીથી વાહનચાલકો તાત્કાલિક રિપેરિંગ ન કરાવતા હોવાથી પાવર અને સ્પીડ ઘટાડવાના વિકલ્પ પર ભાર મુકાયો હતો. જઈંઅખ એ એવી દલીલ કરી હતી કે આ સિસ્ટમ માટે મોટા પાયે ટેકનિકલ ડેવલપમેન્ટ જરૂૂરી હોવાથી તેને વર્ષ 2027 થી લાગુ થનારા સંભવિત ’ઇજ-7’ ઉત્સર્જન નિયમો સાથે જોડવામાં આવે.
પરંતુ પરિવહન મંત્રાલય અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી (ઈંઈઅઝ) એ ઓટો ઉદ્યોગની આ વિનંતી ફગાવી દીધી છે. મંત્રાલયનું સ્પષ્ટ કહેવું છે કે આ જોગવાઈ પહેલેથી જ ઇજ-6 OBD -2 ફ્રેમવર્કનો હિસ્સો છે, જેથી તેને ઇજ-7 સુધી મુલતવી રાખી શકાય નહીં. જોકે, આ ફોર્સ્ડ-રિપેર સિસ્ટમ વાહનની સ્પીડ કેટલી મર્યાદિત કરશે અથવા વાહનને સ્ટાર્ટ થવામાં મોડું કરશે કે કેમ, તે અંગે વિસ્તૃત યોજના આગામી બેઠકમાં રજૂ કરવા જઈંઅખ અને ઈંઈઅઝ ને આદેશ કરાયો છે.
