ચરાડવાના પ્રસિધ્ધ મહાકાળી મંદિરના મહંત પૂ.દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન

હળવદના ચરાડવા ખાતે આવેલા પ્રસિધ્ધ મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય શ્રીદયાનંદગીરી બાપુ 133 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે 5.30 વાગ્યે દેહ ત્યાગ કરી બ્રહ્મલીન થયા…

હળવદના ચરાડવા ખાતે આવેલા પ્રસિધ્ધ મહાકાળી માતાજી મંદિરના મહંત પૂજ્ય શ્રીદયાનંદગીરી બાપુ 133 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે 5.30 વાગ્યે દેહ ત્યાગ કરી બ્રહ્મલીન થયા છે.જેની જાણ થતાં જ ગ્રામજનો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો આશ્રમ ખાતે અંતિમ દર્શન કરતા જોવા મળ્યા હતા.

મહાકાળી આશ્રમ ખાતેથી ચરાડવા ગામમાં 11:30 વાગ્યે પાલખીમાં અંતિમ દર્શન બાદ સાંજે પાંચ વાગ્યે સમાધી આપવામાં આવશે.બાપુનો જન્મ 04-11-1892 કાર્તિક સુદ પુનમ ના રોજ થયો હતો અને તેઓનું અવસાન આજ રોજ તા.23-05-2025 વૈશાખ વદ અગિયારસ ના દિવસે થયું છે.પૂજ્યશ્રી દયાનંદગિરીજી મહારાજ 133 વર્ષની ઉમર ધરાવતા હતા.

વિશાળ ભક્ત સમુદાય ધરાવતા પૂ.દયાનંદગીરી બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર મળતા જ ગુજરાતભરમાંથી ભક્તોનો પ્રવાહ ચરાડવા મહાકાળી માતાજીના મંદિર તરફ વહેવા લાગ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *