Connect with us

Sports

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, બુમરાહ વાઈસ કેપ્ટન

Published

on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ન્યૂઝીલેન્ડ સામે 16 ઓક્ટોબરથી શરૂૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. જેમાં રોહિત શર્માને કેપ્ટન અને જસપ્રિત બુમરાહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફાસ્ટ બોલરને આગામી શ્રેણી માટે મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

બીસીસીઆઈએ બાંગ્લાદેશ સામે 11 ટેસ્ટ વિકેટ લઈને આઈસીસી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને રહેલા બુમરાહને પુરસ્કાર ઈનામ આપ્યું છે. તેને આગામી ટેસ્ટ શ્રેણી માટે ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ફાસ્ટ બોલરે ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો હતો. બંને બાંગ્લાદેશ સામે સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનારા બોલર હતા.


ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પસંદગી સમિતિએ એવા ખેલાડીઓને જ તક આપી છે જેઓ તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતા જોવા મળ્યા હતા. ભારતે આ શ્રેણી 2-0થી કબજે કરી હતી. હવે ટીમની નજર કિવી ટીમ સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી પર છે. આ વખતે ટીમને ઘટાડીને 15 કરવામાં આવી છે જેમાં અનકેપ્ડ ડાબોડી ઝડપી બોલર યશ દયાલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. યશ દયાલ બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો ભાગ હતા પરંતુ આ વખતે ટીમમાં સામેલ નથી. લખનઉમાં બંગાળ સામે ઉત્તર પ્રદેશની રણજી ટ્રોફી મેચ દરમિયાન ખભામાં ઈજા થવાને કારણે તેઓ બહાર થઈ ગયો. આ જ કારણે તેમની પસંદગી ટીમમાં કરવામાં આવી નથી. ટીમમાં હર્ષિત રાણા, નિતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટ્રેવલિંગ રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા છે.

ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.


ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝનું શેડ્યૂલ
પહેલી ટેસ્ટ – 16-20 ઓક્ટોબર – સવારે 9-30થી બેંગાલુરુ
બીજી ટેસ્ટ – 24 – 28 ઓક્ટોબર – સવારે 9-30થી પુણે
ત્રીજી ટેસ્ટ – 1 – 5 નવેમ્બર – સવારે 9-30થી મુંબઈ

Sports

ભારતે બીજા દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય,જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈવેંટ

Published

on

By

બેંગલુરુમાં રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. પરંતુ બીજા દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. AccuWeatherના અહેવાલ મુજબ આજે પણ વરસાદની સંભાવના છે પરંતુ વરસાદ હાલ પૂરતો બંધ થઈ ગયો છે. વરસાદની 40 ટકા સંભાવના છે, જે રમતને બગાડી શકે છે.

ન્યૂઝીલેન્ડે ભારતમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ સીરીઝ રમી છે પરંતુ તે એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. ન્યૂઝીલેન્ડે છેલ્લી વખત ભારતમાં 1988માં વાનખેડે ખાતે ટેસ્ટ મેચ જીતી હતી.

ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવા જઈ રહ્યા છીએ, શરૂઆતમાં થોડી બેટિંગ કરવી મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પિચની પ્રકૃતિ એવી છે કે તમે પહેલા બોર્ડ પર રન બનાવવા માંગો છો. અમે છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. અમારા માટે આ એક નવી શ્રેણી છે અને અમે સારી શરૂઆત કરવા માંગીએ છીએ. છેલ્લી ટેસ્ટથી બે ફેરફાર કરવામાં આવ્યા છે, સરફરાઝને ગિલની જગ્યાએ અને કુલદીપને આકાશની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે કહ્યું કે વિકેટ પર ઘણા સમયથી કવર છે, તેથી આશા છે કે અમે શરૂઆતમાં બોલ સાથે તેનો સારો ઉપયોગ કરી શકીશું. હવામાન થોડું ખરાબ છે, તેથી અમે અહીં સારી તૈયારી કરી શક્યા નથી. એજાઝ પટેલની સાથે અમારી પાસે ત્રણ ઝડપી બોલર છે અને અમારી પાસે બે ઓલરાઉન્ડર છે જે સ્પિન બોલિંગ પણ કરે છે.

ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ, વિલિયમ ઓ’રર્કે.

Continue Reading

Sports

ફૂટબોલ સ્ટાર એમબાપ્પે પર બળાત્કારનો આરોપ

Published

on

By

રમતગમત જગતમાં અચાનક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફૂટબોલર કૈલિયન એમબાપ્પે એક મોટા વિવાદમાં આવી ગયો છે. તેના પર હોટલમાં બળાત્કારનો આરોપ છે. જો કે, દિગ્ગજ ખેલાડીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું અને તેને નકલી ગણાવ્યું. પરંતુ બીજી તરફ પોલીસે ઝડપી તપાસ શરૂૂ કરી છે.


એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના પર બળાત્કારનો આરોપ છે. હાલમાં પોલીસ તેમની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખબફાાય એ આ સમાચારની નિંદા કરી અને તેને નકલી ગણાવ્યો. અખબારે અહેવાલ આપ્યો છે કે સ્વીડિશ પોલીસ બેંક હોટેલમાં કથિત બળાત્કારની ઘટનાની તપાસ કરી રહી છે, જ્યાં ખબફાાય અને તેના સાથીઓ એક રાત રોકાયા હતા. ખબફાાય એ આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે, અને દાવો કર્યો છે કે તે તેની છબી અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે, તે પણ બાકી પગાર અંગેની સુનાવણી પહેલા. તે જ સમયે, તેમની ટીમે દાવો કર્યો છે કે સત્ય બહાર લાવવા અને ફ્રેન્ચ ફોરવર્ડની છબી સુધારવા માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ધ સનના અહેવાલ મુજબ, ટીમે ડાંકેની ઈજા પર પણ કહ્યું કે તેના પર લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને બે જવાબદાર છે.

Continue Reading

Sports

રોહિત શર્માને સામેલ કરવા RCBએ 20 કરોડ ખર્ચવા પડે: રવિચંદ્રન અશ્ર્વિન

Published

on

By

આઈપીએલ 2025 પહેલા મેગા ઓકશન થવાનુ છે. બીસીસીઆઈએ રિટેન્શનના નિયમો પણ જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંતે રિટેન કરવામાં આવનારા ખેલાડીઓના નામો જાહેર કરવામાં આવશે. દરેક ટીમને વધુમાં વધુ 6 ખેલાડીઓ રિટેન કરવાનો અધિકાર મળ્યો છે. આ સ્થિતિમાં, મુંબઈ ઇન્ડિયન્સને 5 ખિતાબ જીતાવી ચૂકેલા કેપ્ટન રોહિત શર્મા આગામી સીઝનમાં આ ટીમ સાથે રહેશે કે નહિ, આ સૌથી મોટો પ્રશ્ન છે.


રોહિત શર્મા જો રિલીઝ થાય છે તો તેઓ ઓકશનમાં જોવા મળશે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, જો રોહિત ઓકશનમાં આવે છે, તો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમના પર મોટી બોલી લગાવી શકે છે. આ બંને ટીમોને ઓકશનમાં નવા કેપ્ટનની શોધ રહેવાની છે. આ સ્થિતિમાં, રવિચન્દ્રન અશ્વિનએ તેમના યુટ્યૂબ ચેનલ પર આ મુદ્દે નિવેદન આપ્યું.


એક ફેનએ અશ્વિનને તેમના યુટ્યૂબ ચેનલ પર વિરાટ કોહલી અને રોહિત શર્માની એક જ ટીમમાં રમવાની સંભાવના બાબતે પૂછ્યું હતું. તેના જવાબમાં અશ્વિનએ કહ્યું કે છઈઇને જો રોહિતને તેમની ટીમમાં સામેલ કરવા હોય, તો 20 કરોડ રૂૂપિયા ખર્ચવા પડશે. રવિચન્દ્રન અશ્વિનએ કહ્યું, જો તમે રોહિત શર્મા ઇચ્છી રહ્યા છો, તો 20 કરોડ રાખવાની જરૂૂર પડશે.


રોહિત શર્માએ પોતાના ઈંઙક કરિયરની શરૂૂઆત ડેક્કન ચાર્જર્સ સાથે કરી હતી. ત્યારબાદ તેઓ 2011માં મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા. ત્યાર બાદ, મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને 2013માં કેપ્ટન બનાવ્યા. તેમણે પહેલી જ સીઝનમાં મુંબઈને ચેમ્પિયન બનાવવામાં સફળતા મેળવી. ત્યાર બાદ તેમણે 2015, 2017, 2019 અને 2020માં પણ મુંબઈને ઈંઙકમાં ચેમ્પિયન બનાવ્યું. પરંતુ છેલ્લીસીઝનમાં તેમને કેપ્ટનની ભૂમિકા પરથી હટાવવામાં આવ્યા હતા. મુંબઈની ટીમે રોહિતની જગ્યા પર ઇંફમિશસ ઙફક્ષમુફને ટીમની કમાન સોંપી હતી.

Continue Reading
ગુજરાત2 mins ago

વરસાદ સાથે ત્રાટકેલી વીજળીએ બે ભોગ લીધા

ગુજરાત3 mins ago

ખંભાળિયામાં ઝેરી ટીકડા ખાઈ આપઘાત

ક્રાઇમ8 mins ago

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી 7 રાજ્યમાં મોકલવાના કાવતરાનો પર્દાફાશ

ગુજરાત9 mins ago

બર્ધન ચોકમાંથી દબાણો દૂર કરતી એસ્ટેટ શાખા

ગુજરાત12 mins ago

હૈદરાબાદમાં મૃત્યુ પામેલા અગ્નિવીરને મહેતા કોલેજમાં શ્રદ્ધાંજલિ અપાઇ

ગુજરાત15 mins ago

જામજોધપુરના વસંતપુર ગામના વૃધ્ધનો ગળેફાંસો ખાઇ આપઘાત

ગુજરાત17 mins ago

જી.જી.હોસ્પિટલના સર્જરી વિભાગમાં તબીબોની અછતથી દર્દીઓ હેરાન

ગુજરાત18 mins ago

જીયાણા ગામે કૂવામાંથી નવજાત શિશુની લાશ મળી

ક્રાઇમ22 mins ago

રાજકોટના સોની વેપારી સાથે રૂા.2.56 કરોડની ઠગાઈ

ગુજરાત23 mins ago

માતાના મઢે દર્શને જતા પદયાત્રીનું અજાણ્યા ટેમ્પોની ઠોકરે મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય18 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય18 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત2 days ago

વીજચોરી અંગે તપાસમાં ગયેલા પીજીવીસીએલના કર્મચારી ઉપર છેડતીનો આરોપ મૂકી હુમલો

Trending