વેરાવળના ભાલપરા-મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત કેસમાં 6 વર્ષની જેલ

ગ્રામ પંચાયતમાંથી જમીન મહેસુલ અને શિક્ષણ વેરા પેટે ઉઘરાવી 4.55 લાખ સરકારમાં જમા નહીં કરતા ગુનો નોંધાયો’તો વેરાવળ તાલુકાના ભાલપરા મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત…

ગ્રામ પંચાયતમાંથી જમીન મહેસુલ અને શિક્ષણ વેરા પેટે ઉઘરાવી 4.55 લાખ સરકારમાં જમા નહીં કરતા ગુનો નોંધાયો’તો

વેરાવળ તાલુકાના ભાલપરા મીઠાપુરના તલાટી કમ મંત્રીને ઉચાપત કેસમાં કોર્ટ દ્વારા 6 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કેસની વિગતો આપતા સરકારી વકીલ જે.એસ.પરમાર એ જણાવેલ કે, ભાલપરા-મીઠાપુર ગામે તલાટી કમ મંત્રી તરીકે જે તે વખતે ફરજમાં રહેલ આરોપી બાબુભાઈ રણછોડભાઈ ગામોત એ તા.01/10/2009 થી તા.15/01/2011 દરમ્યાન ગ્રામ પંચાયતમાં ફરજ સમયે ભાલપરા તથા મીઠાપુર ગ્રામ પંચાયતમાંથી જમીન મહેસુલ (વિઘોટી) તથા શિક્ષણ વેરા પેટે થી રકમ જે તે આસામીઓ પાસેથી કુલ રૂૂા.6,75,268-43 પૈસા ની ઉચાપત કરેલ અને તે પૈકી રૂૂા.2,20,000 સરકારમાં ભરણુ કરી બાકી નીકળતી રકમ રૂૂા.4,55,268 ની સરકારી નાણા હોય જે સરકારી નાણુ ભરણુ નહી જેથી આ રકમ પોતાના પાસે રાખી આઇપીસી કલમ 409 મુજબનો ગુનો પોલીસમાં નોંધાયેલ હતો. આ કેસ કોર્ટમાં આવતા સરકાર તરફે સરકારી વકીલ જે.એસ.પરમાર ની દલીલોને ધ્યાને લઇ ચીફ જયુડી.મેજી. પી.યુ.અંધારીયા એ આરોપી બાબુ રણછોડ ગામોત તલાટી કમ મંત્રી ભાલપરા-મીઠાપુર વાળા ને 6 વર્ષ કેદની સજા તથા રૂૂા.4,50,683 તા.19/11/2013 ના રોજથી 9 ટકા સાદા વ્યાજ સાથે રકમ ચુકવવા હુકમ કરેલ અને જો ઉચાપતની રકમ આરોપી ન ચુકવે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા અલગ થી ભોગવવાનો હુકમ કરેલ હોવાનું જણાવેલ છે. આ કેસમાં સરકાર પાસે સરકારી વકીલ જે.એસ. પરમાર રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *