Notice: Trying to get property 'slug' of non-object in /home/gujaratmirror/public_html/wp-content/plugins/sortd/admin/class-sortd-redirection.php on line 441
Connect with us

સૌરાષ્ટ્ર

વેરાવળ બાર એસો.ના પ્રમુખ પદે સૂર્યકાન્ત સવાણી ચૂંટાયા

Published

on

વેરાવળ બાર એસોસિયેશનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર સહીતના સભ્યોની ચૂંટણી યોજાયેલ જેમાં પ્રમુખ પદે ફરી વખત સૂર્યકાંત એન સવાણીનો વિજય થયેલ જયારે ઉપપ્રમુખ જયદેવભાઇ જોટવા બીનહરીફ થયેલ હતા. આ વિજેતા ઉમેદવારોને વકીલ મીત્રોએ હારતોરા કરી આવકારેલ હતા.
વેરાવળ બાર એસો. ની ચૂંટણીના ચુંટણી અધિકારી કે એચ રાઠોડના જણાવ્યા મુજબ પ્રમુખ તરીકે ત્રણ ઉમેદવારોએ દાવેદારી નોંધાયેલ જેમાં વિજયકુમાર માવીધીયા, સૂર્યકાંતભાઇ સવાણી, વ્યોમેશચંદ્ર પ્રચ્છક રહેલ જયારે સેક્રેટરી પદે આબિદભાઇ સુમરા, પંકજકુમાર બુચ રહેલ અને જોઇન્ટ સેક્રેટરી પદે પ્રેમજીભાઇ વાઢેર, ગોવિંદજીભાઇ તેજવાણી, રાજેશભાઇ દરી રહેલ તેમજ ખજાનચી પદે ભાવિનભાઇ રૂૂપારેલ, અનસુયાબેન ચોમલ રહેલ હતા જયારે ઉપપ્રમુખ પદે જયદેવભાઇ જોટવા તેમજ લાઇબ્રેરીયન પદ ધવલભાઇ ચાવડા સહીતના 15 કારોબારી સભ્યોમાં સંજયભાઇ પંપણીયા, વરંજાગભાઇ સોલંકી, મેહુલભાઇ ધોળીયા, મુકેશભાઇ મોરી, અરવિંદભાઇ ગોસ્વામી, ગોવિંદભાઇ ચાવડા, નારણભાઇ મેર, મયુરગીરી ગૌસ્વામી, ખાન અખ્તરહુસેન, હુસેનભાઇ જીકાણી, રજનીકાંત ચાંડપા, ફેઝલભાઇ હાલાઈ, કેતનબેન ભાયાણી, રામભાઈ મુછાળ, કરણભાઇ રાયઠ્ઠઠા ચુંટણી પૂર્વે જ બીનહરીફ જાહેર કરવામાં આવેલા હતા.
આજે થયેલ મતદાનમાં ચાર હોદા માટે 10 ઉમેદવારો રહેલ જેમાં પ્રમુખ પદમાં વિજયકુમાર માવીધીયા ને 55 મત, વ્યોમેશચંદ્ર પ્રચ્છકને 78, સૂર્યકાંતભાઇ સવાણીને 117 મત મળતા તેમનો 39 મતે વિજેતા થયેલ જયારે સેક્રેટરી પદે પંકજકુમાર બુચને 116 તથા આબિદભાઇ સુમરા ને 124 મત મળતા તેમનો 8 મતે વિજેતા રહેલ અને જોઇન્ટ સેક્રેટરી પદે પ્રેમજીભાઇ વાઢેરને 54 મત, ગોવિંદજીભાઇ તેજવાણીને 66 મત જયારે રાજેશભાઇ દરીને 124 મત મળતા 58 મતે વિજેતા રહેલ તેમજ ખજાનચી પદે ભાવિનભાઇ રૂૂપારેલને 113 મત તથા અનસુયાબેન ચોમલને 122 મત મળતા 9 મતે વિજેતા રહેલ હોવાનું ચૂંટણી અધિકારી એડવોકેટ કે એચ રાઠોડે જણાવેલ છે.

ગુજરાત

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Published

on

By

જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.

ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.

Continue Reading

કચ્છ

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

Published

on

By

દેણાના કારણે પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી

આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જોકી (ઉઉં) તરીકે પણ કામ કરતા 48 વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાઈને રવિવારે જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે મરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી અને એમાં લેણદારોને ઉદ્દેશીને લખ્યું હતું કે કરજ મેં લીધું હતું પણ હું એ ચૂકવી શક્યો નથી, પણ તમે મારી પત્ની કે મારા દીકરાને એ માટે હેરાનન કરતા.


મૂળ કચ્છના કોટડા (રોહા)ના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના નરેન્દ્ર વિકમાણી આંબિવલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની કરિયાણાની દુકાન છે. તેમના એક સંબંધીએ કહ્યું હતું કે કરજ કંઈ બહુ વધારે નહોતું, પણ તેણે ઘરમાં કોઈને કહ્યું જ નહીં અને એકલો-એકલો મૂંઝાતો રહ્યો. તેના પરિવારમાં પત્ની અને 20 વર્ષના દીકરાનો સમાવેશ છે. દીકરો જોબ કરે છે. તેણે સુસાઇડ-નોટમાં લેણદોરોને કહ્યું છે કે મારી પત્ની અને દીકરાને હેરાન ન કરતા.


અન્ય એક સંબંધીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈના પિતા વલ્લભભાઈએ વર્ષો પહેલાં કરિયાણાની દુકાન ચાલુ કરી હતી. તેમને નરેન્દ્ર, જયેશ, ભાવેશ અને મનોજ એમ ચાર દીકરા હતા. જેમ-જેમ દીકરા મોટા થતા ગયા એમ પોતપોતાનો અલગ-અલગ વ્યવસાય કરતા ગયા. નરેન્દ્રભાઈ પિતાની દુકાન પણ ચલાવવાની સાથે ડિસ્ક જોકી પણ હતા. તેમણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું અને પછી એ ચલાવવા ટેમ્પો પણ લીધો હતો. થોડા જ વખતમાં તેઓ નરુ કા ઉઉં તરીકે ફેમસ થઈ ગયા હતા.

જોકે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હતું, પણ સામે પેમેન્ટ મોડું આવતું હોવાથી દેવું થતું જતું હતું. તેમણે જો કોઈને કહ્યું હોત તો રસ્તો નીકળી શક્યો હોત, પણ એવું થાય એ પહેલાં જ અંતિમ પગલું લઈ લીધું. રવિવારે સાંજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં 50 કરતાં વધુ યુવાનો જોડાયા હતા.

Continue Reading

કચ્છ

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

Published

on

By

રાપર તાલુકાના ગાગોદર ગામે પાણીના ખાડામાં કપડા ધોતી વખતે અને ન્હાતી વખતે સાત બાળકો પાણીમાં ડુબવા લાગ્યા હતો. જે પૈકી સલેમાન ધોનાની દિકરી તથા ઉમરદિન ધોનાના પત્ની એવા સેનાજબેન (ઉ.વ. 24) તથા તેમના કુટુંબિ ભાઈ ફારૂૂક હબીબ ધોના (ઉ.વ. 16)નું મોત થયું હતું. જ્યારે અન્યોને બચાવી લેવાયા હતા.
કાનમેર ગામમાં રહી મજુરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા, ન્હાવા ગયા હતા. ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા જેમાં બે મહિલાઓ કપડાં ધોઈ રહ્યાં હતા.


જ્યારે બાળકો થોડા આગળના ભાગે ન્હાઈ રહ્યાં હતા. ખાડામાં ન્હાતી વખતે ફારૂૂક આગળ નિકળી જતાં તે ડૂબવા લાગ્યો હતો. તેણે રાડા રાડ કરતાં તેના કુટુંબિ બહેન શેનાજ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા. આ જોઈને પરિવારના અન્ય કિશોર, કિશોરીઓ તેમને બચાવવા જતાં સાત બાળકો ડૂબી રહ્યાં હતાં. રાડારાડના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ સાત બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નિકળી ગયા હતા અને અન્યોને લોકોએ રસ્સી વડે બહાર ખેંચી લીધા હતા. જ્યારે મહિલા અને તેના કુટુંબિ ભાઈ ફારૂૂક પાણીમાં ગરક થયા હતા. બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબિબો બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના પી.આઈ. બી. એ. સેંગલએ જણાવ્યું હતું. હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે એકીસાથે ભાઈ-બહેનના મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે માતમ છવાયો હતો.

Continue Reading
રાષ્ટ્રીય12 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય12 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત12 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત12 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત12 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય12 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય12 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય12 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય12 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય13 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

રાષ્ટ્રીય15 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

જૂનાગઢની સગીરા સાથે ગેંગરેપ પ્રકરણમાં રાજકોટની હોટલના મેનેજર સહિત 4 ઝડપાયા

Trending