કેદીઓની મુક્તિના મામલે ગુજરાત સરકારને સુપ્રીમનું અલ્ટિમેટમ

હુકમના ત્રણ મહિના બાદ પણ કેદીને છોડવાનો નિર્ણય લીધો નહીં, ભવિષ્યમાં ક્ધટેમ્પ્ટની ચીમકી સુપ્રીમ કોર્ટે કેદીઓની વહેલી મુક્તિ (રેમિશન) ના અરજીઓનો નિર્ણય લેવામાં કરવામાં આવતા…

હુકમના ત્રણ મહિના બાદ પણ કેદીને છોડવાનો નિર્ણય લીધો નહીં, ભવિષ્યમાં ક્ધટેમ્પ્ટની ચીમકી

સુપ્રીમ કોર્ટે કેદીઓની વહેલી મુક્તિ (રેમિશન) ના અરજીઓનો નિર્ણય લેવામાં કરવામાં આવતા વિલંબ બદલ ગુજરાત સરકાર સામે લાલ આંખ કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર પોતાની જ નીતિ હેઠળ નિર્ધારિત સમયમર્યાદામાં કેદીઓની મુક્તિ અંગે નિર્ણય લેવામાં નિષ્ફળ જશે, તો જવાબદાર અધિકારીઓ સામે ક્ધટેમ્પ્ટ એટલે કે અદાલતની અવમાનનાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે.

જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેંચે એક કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે ગુજરાત સરકારના 9 જુલાઈ 1992ના પરિપત્ર મુજબ, કેદીના 14 વર્ષના કારાવાસ પૂર્ણ થવાના ત્રણ મહિના પહેલા જ તેની વહેલી મુક્તિની પ્રક્રિયા શરૂૂ કરી દેવી જોઈએ. જે દિવસે કેદી 14 વર્ષની સજા પૂર્ણ કરે, તે જ દિવસે તેની મુક્તિ અંગેનો અંતિમ આદેશ આવી જવો જોઈએ. કોર્ટે ઉમેર્યું કે વહેલી મુક્તિ એ કેદીનો મૂળભૂત અધિકાર નથી, પરંતુ એકવાર સરકારે નીતિ ઘડી દીધા પછી તે કેદીનો નિહિત (ટયતયિંમ) અધિકાર બની જાય છે. કાયદાકીય મુદત કરતા એક પણ દિવસ વધારે કેદીને જેલમાં રાખવો એ ગેરકાયદે કસ્ટડી સમાન છે.
આ કેસમાં અરજદાર કેદીએ 12 ડિસેમ્બર 2025 સુધીમાં લઘુત્તમ સજા પૂર્ણ કરી લીધી હતી, તેમ છતાં ત્રણ મહિનાનો સમય આપ્યા બાદ પણ સરકારે કોઈ નિર્ણય લીધો ન હતો. 16 માર્ચ 2026ના રોજ રાજ્ય સરકારે કોર્ટમાં બચાવ કર્યો હતો કે સક્ષમ સમિતિ વર્ષમાં માત્ર ચાર વાર જ મળે છે અને અરજદારનો કેસ પ્રક્રિયા હેઠળ છે. સુપ્રીમ કોર્ટે સરકારના આ વલણને “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” ગણાવ્યું હતું.

કોર્ટે આ કેસની આગામી સુનાવણી 7 એપ્રિલ 2026ના રોજ મુકરર કરી છે. જો તે તારીખ સુધીમાં અંતિમ નિર્ણય રેકોર્ડ પર મૂકવામાં નહીં આવે, તો ગુજરાતના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અથવા સચિવ અને જેલ મહાનિરીક્ષક (ઈંૠ ઙશિતજ્ઞક્ષત) ને વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર રહેવા આદેશ અપાયો છે. આ અધિકારીઓએ કોર્ટને જવાબ આપવો પડશે કે તેમની સામે શા માટે શિક્ષાત્મક કાર્યવાહી શરૂૂ ન કરવી.
આ સમગ્ર વિવાદ અમદાવાદના એક કેદી સાથે જોડાયેલો છે, જેણે 9 ડિસેમ્બર 2011ના રોજ પોતાની પત્ની પર હથોડાથી હુમલો કરી તેની હત્યા કરી હતી. ટ્રાયલ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી, જેને 2023માં ગુજરાત હાઈકોર્ટે પણ માન્ય રાખી હતી. હાઈકોર્ટના ચુકાદા સમયે પણ આ કેદી 11 વર્ષથી વધુ જેલ ભોગવી ચૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *