એક સંસ્થા દ્વારા પ્રાણી સંગ્રહાલય વિરૂધ્ધ કરાયેલા આરોપો સર્વોચ્ચ અદાલતે ફગાવ્યા

માનવીય અભિગમ સાથે પ્રાણીઓની સંભાળ લેતું ‘વનતારા’ ભારતની સુપ્રીમ કોર્ટે 9 માર્ચ 2026ના રોજ આપેલા પોતાના ચૂકાદા દ્વારા રિટ પિટિશન નંબર 1113/2025ને ફગાવી દેતાં એક…

માનવીય અભિગમ સાથે પ્રાણીઓની સંભાળ લેતું ‘વનતારા’

ભારતની સુપ્રીમ કોર્ટે 9 માર્ચ 2026ના રોજ આપેલા પોતાના ચૂકાદા દ્વારા રિટ પિટિશન નંબર 1113/2025ને ફગાવી દેતાં એક ફાઉન્ડેશને વનતારા વિરુદ્ધ કરેલા એ તમામ આરોપોને નકારી કાઢ્યા છે, જેમાં દાવો કરાયો હતો કે વિદેશોમાંથી કરાયેલી સંખ્યાબંધ પ્રાણીઓની આયાતમાં CITES હેઠળ આવતાં આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારી નિયમોનું ઉલ્લંઘન કરાયું છે.

અદાલતને આ અરજીમાં કોઈ તથ્ય જણાયું નથી અને અગાઉ અદાલત દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા વનતારાને આપવામાં આવેલી ’ક્લિનચીટ’ની પુન:પુષ્ટિ કરાઈ છે. અગાઉ આ SITના તારણોને અગાઉની કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. SIT અને CITES સેક્રેટરીએટ બંનેએ સ્વતંત્ર રીતે તપાસ કરી હતી અને તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે વનતારાની આયાત પ્રક્રિયા કે દસ્તાવેજોમાં કોઈપણ સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરાયું નથી કે ક્યાંય અનિયમિતતા જોવા મળી નથી.
અદાલતે એમ પણ ઠેરવ્યું હતું કે, કાયદેસર રીતે આપવામાં આવેલી મંજૂરીઓ પર માત્ર એ કારણસર જ પ્રશ્ન ઉઠાવી શકાય નહીં કે પ્રાણીઓના સ્થાનાંતરણ પછી જ આક્ષેપો ઉદ્ભવ્યા છે. અદાલતે એવું પણ અવલોકન કર્યું કે જે પ્રાણીઓ પહેલેથી જ કાયદેસર અને પ્રેમાળ વાતાવરણમાં સ્થાયી થઈ ગયા હોય, તેમને ખલેલ પહોંચાડવી તે પોતે જ એક પ્રકારની ક્રૂરતા ગણાશે.

આ આદેશ સાથે વનતારાની કામગીરી સામેના વધુ એક પડકારનો અંત આવ્યો છે. જવાબદારીપૂર્ણ અને માનવીય અભિગમ સાથે પ્રાણીઓની સંભાળ પરત્વે વનતારાની પ્રતિબદ્ધતાને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા પણ સંપૂર્ણપણે ન્યાયસંગત ઠેરવવામાં આવી છે.

વનતારા વિશે
વનતારા ખાતે, દરેક આવનારું પ્રાણી પોતાની સાથે એક કહાણી લઈને આવે છે, જે ઘણીવાર ઈજા, ઉપેક્ષા, દુર્વ્યવહાર, વિસ્થાપન અથવા વિપરીત પરિસ્થિતિઓ સામે ટકી રહેવાને લીધે સર્જાયેલી હોય છે અને તે પીડાદાયક સફર તેના બચાવ, રિકવરી અને ગૌરવપૂર્ણ જીવનમાં પરિવર્તિત થાય છે. ગુજરાતના જામનગરમાં એક વિશાળ કુદરતી લેન્ડસ્કેપ પર સ્થિત, વનતારા એક જીવંત ઇકોસિસ્ટમ તરીકે કાર્યરત છે જ્યાં પ્રાણીઓના ઘરો કુદરતી આવાસોને પ્રતિબિંબિત કરે છે અને ગમે ત્યાં વિચરણની આઝાદી, સામાજિકીકરણ, ખોરાક-પાણી અને સાર્વત્રિક સુખાકારી માટે જરૂૂરી અન્ય વર્તણૂકોને સાહજિક બનાવે છે.તેની વિશ્વકક્ષાની વન્યજીવ હોસ્પિટલોમાં અદ્યતન તબીબી સંભાળથી જ ઉપચાર શરૂૂ થઈ જાય છે અને તે નિરંતર પુનર્વસન, જે-તે પ્રજાતિ માટેના વિશિષ્ટ ન્યૂટ્રીશન, સંવર્ધન અને આ દુભાયેલા જીવોનો આત્મવિશ્વાસ પ્રસ્થાપિત કરીને તેમનો તણાવ ઘટાડે તેવું વાતાવરણ ઉપલબ્ધ કરાવીને સતત ચાલુ રહે છે.

એકસમયે વર્ષો સુધી જકડી રખાયેલા અથવા પરેશાની ભોગવી ચૂકેલા હાથીઓ અહીં હાથીઓ માટેની વિશાળકાય કેર ફેસિલિટીમાં સાંકળોના કોઈપણ જાતના બંધન વિના ચાલીને, ખુલ્લા જળાશયોમાં સ્નાન કરીને અને સમુદાય સાથે સંવેદનાનો નાતો સાધીને પોતાની આઝાદીને ફરી માણે છે. જ્યારે હ્યુમન કોન્ફલિક્ટ એરિયામાંથી રેસ્ક્યુ કરાયેલી અથવા સાંકડા પાંજરામાંની કેદમાંથી ઉગારીને અહીં લવાયેલી બિગ કેટ્સને મોકળાશભરી જગ્યા ફાળવાય છે જેથી તે પોતાના કુદરતી આવાસમાં જ હોય તેવું અનુભવી શકે. વિજ્ઞાન, સહાનુભૂતિ અને જીવન પ્રત્યે ઊંડા આદર થકી માર્ગદર્શન મેળવીને, વનતારા વાસ્તવમાં પશુચિકિત્સકો, જીવ વિજ્ઞાનીઓ, ક્યુરેટર્સ અને કેરગિવર્સને એકસાથે લાવ્યું છે જેથી જીવનની ગુણવત્તાને અર્થપૂર્ણ રીતે સુધારી શકાય, દરેક બીજી તકને ગરિમાપૂર્ણ જીવનમાં તબદિલ કરી શકાય, આગળ વધતા દરેક કદમને રિકવરીની દિશામાં માંડી શકાય, તેમજ દરેક જીવનને પાંગરવાની વધુ સારી તક પૂરી પાડી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *