સૌરાષ્ટ્ર
સોમનાથ સંસ્કૃત યુનિ. અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર MOU અંગે કરાઇ ચર્ચા
વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિક્ષણ સાથે ઉત્તમ ચરિત્ર ઘડનાર શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યું છે. શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેના અનુસંધાનમાં ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડાયરેક્ટર શૌનક રિશી દાસે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુની શક્યતાઓ અંગે ચર્ચા થઈ હતી.
ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)ના ડિરેક્ટર શ્રી શૌનક રિશી દાસે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રો.સુકાન્તકુમાર સેનાપતિ સાથે ફળદાયી વાર્તાલાપ કર્યો હતો અને બન્ને મહાનુભાવો વચ્ચે શિક્ષણથી લઈ હિંદુ ધર્મના તત્વજ્ઞાન તેમજ આધુનિક શિક્ષણ પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક ચર્ચાઓ થઈ હતી. આ તકે, સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુ અંગે વિવિધ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ડિરેક્ટરશ્રીએ હિન્દુ સંસ્કૃતિ અને શિક્ષણ પર વાર્તાલાપ પણ કર્યો હતો.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું પરિસર, શિક્ષણ પદ્ધતિ અને મેનેજમેન્ટ નિહાળી (OCHS)ના ડિરેક્ટર શ્રી શૌનક રિશી દાસે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અહીંનું શિક્ષણ જોઈ એવી અનુભૂતિ થઈ રહી છે કે જાણે ભારતીય પરંપરા પ્રમાણે જૂનું વૈદિક શિક્ષણ આધુનિક ઢબે અપાઇ રહ્યું છે. જે ખૂબ જ સારી વાત છે. ઉપરાંત તેમણે સોમનાથ મંદિરમાં દર્શન કરીને આદ્યાત્મનો પારાવાર અનુભવ થયો હોવાનું પણ ઉમેર્યુ હતું.
જ્યારે ડિરેક્ટર સાથે પધારેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીની અને સાધ્વી શ્રી ભાવિષાજીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સામાજીક, આર્થિક સહિત સાંસ્કૃતિક ક્ષેત્રે પણ ઉદય થઈ રહ્યો છે. પશ્ચિમના આધુનિક મૂલ્યોના પ્રભાવ સામે સાંસ્કૃતિક ક્ષેત્રે ઉદય આજના સમયની માંગ છે. જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ઉત્તમ કામ થઈ રહ્યું છે.
આ તકે, યોગી વિદ્યાપીઠ આણંદના ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસર ડો. એન.સી.પટેલ, સંસ્કૃત યુનિ.કુલસચિવ દશરથ જાદવ, પ્રિન્સિપલ નરેન્દ્ર પંડ્યા, રિસર્ચ ઓફિસર કાર્તિક પંડ્યા સહિત પ્રોફેસર્સ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત
મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો રઝળ્યા
રફાળેશ્ર્વર-મકનસર વચ્ચે અચાનક ડેમુ ટ્રેન બંધ પડી ગઇ, વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામા ન આવતા મુસાફરોમાં રોષ
આજે વહેલી સવારે મોરબીથી છ વાગ્યે ઉપડેલી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી જતા અંદાજે 300થી 400 જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરી રહ્યા હોય ડેમુ ખોટવાતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કાયમી કોઈને કોઈ ધાંધિયા હોય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે ખટકાઈ જતા વાંકાનેર રેલવે સ્ટેશનથી ઇન્ટરસિટી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા 300થી 400 જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.
બીજી તરફ માંડ કરીને વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો. મુસાફરોની હેરાનગતિ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધકે પણ ઉડાઉ જવાબ આપતા આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી.
કચ્છ
રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી
ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર
કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.
કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.
રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.
ગુજરાત
પુત્રના મૃત્યુના કલાકોમાં જ માતાનું હૃદય બેસી ગયું
જામનગરમાં બીમાર પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલી માતાએ પણ અંતિમ શ્વાસ લેતા અરેરાટી મચી ગઈ છે. 24 કલાકમાં જ માતા-પુત્રના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાયેલ છે.
મળતી વિગતો મુજબ ડો. બક્ષીના દવાખાના પાસે રહેતા સાવન વસંતભાઇ કનખરા એકાદ વર્ષથી પેરાલીસિસ એટેક બાદ તેઓ પથારીવસ હતા. જેનુ ગઇકાલે નિધન થયું હતું. યુવાને ગઈકાલે આખરી શ્વાસ લીધા બાદ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.
મૃતક યુવાનની અંતિમવિધિમાં જોડાયા હતા. ભારે રોકકળ વચ્ચે અંતિમક્રિયા કરાયાના ગણતરીની કલાકોમાં મૃતક યુવાનના માતા ભાનુબેન વસંતભાઇ કનખરાને હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મોતના આઘાતમાં માતાનું હદય થંભી જતાં તેનું પણ કમકમાટીભર્યું મોત થયું હતું.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ