આગામી મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિતે તા. 30 (એક દિવસ)ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા મ્યનિ. કમિશનર તુષાર સુમેરા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
સબંધ કર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ 329 અને 336 તથા વોંચાણે લીધેલ રાજકોટ મહાનગરપાલિકાના બોયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધ કર્તા તમામે ગંભીર નોંધ લેવી તેવું મ્યુનિ. કમિશનરની યાદીમાં જણાવેલ છે.
