ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલે છેલ્લા એક વર્ષમાં બંને ફોર્મેટમાં પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયા ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી હારી ગઈ હોવા છતાં ગિલનું પ્રભાવશાળી બેટિંગ પ્રદર્શન તે શ્રેણીમાં સ્પષ્ટ હતું. તે શ્રેણીની છેલ્લી મેચ 19 જુલાઈએ રમાઈ હતી, જે પછી ગિલ 22 જુલાઈએ અપડેટ કરાયેલ ICC ODIબેટિંગ રેન્કિંગમાં બીજા ક્રમે હતો. હવે, એક પણ મેચ રમ્યા વગર શુભમન ગિલે હવે ICC ODIબેટિંગ રેન્કિંગમાં નંબર-વનનું સ્થાન હાંસલ કર્યું છે, જેણે ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલને તે સ્થાનથી દૂર કર્યા છે. ODI રેન્કિંગમાં ટોચના પાંચ ખેલાડીઓમાં ત્રણ ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલ લેટેસ્ટ વનડે બેટિંગ રેન્કિંગમાં શુભમન ગિલનો નંબર-વન સ્થાન ડેરિલ મિશેલની ગેરહાજરીને કારણે છે. મિશેલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાયેલી પાંચ મેચની વનડે શ્રેણીની બે મેચમાં રમ્યો ન હતો.
અગાઉ તે 802 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર હતો, પરંતુ હવે તે 794 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. આનો સીધો ફાયદો શુભમન ગિલને થયો, જે હવે 801 રેટિંગ પોઈન્ટ સાથે નંબર 1 પર છે. ટોચના પાંચમાં, વિરાટ કોહલી 767 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે રોહિત શર્મા 758 સાથે ચોથા સ્થાને છે. વૈભવ સૂર્યવંશીએ ICC દ્વારા જાહેર કરાયેલા તાજેતરના T20 બેટિંગ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પછી તે 278મા ક્રમે હતો અને હવે તે 48મા ક્રમે પહોંચી ગયો છે. ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની ટી20 શ્રેણીની બે મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સિદ્ધિને કારણે વૈભવ સૂર્યવંશીને 15 વર્ષની ઉંમરે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો.
