જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓને રાહત આપવાના હેતુથી મિલકત વેરા, વોટર ચાર્જીસ અને વ્યવસાય વેરાની બાકી રકમ પર 100 ટકા વ્યાજ માફી યોજનાની ફરી એકવાર અમલવારી શરૂૂ કરવામાં આવી છે. આ યોજના તારીખ 16/06/25 થી તારીખ 07/07/25 સુધી અમલમાં રહેશે. મહાનગરપાલિકાના જનરલ બોર્ડના ઠરાવ નંબર 140, તારીખ 20/06/2025 અને વહીવટી મંજૂરી તારીખ 25/06/25 અનુસાર, તારીખ 01/04/06 થી તારીખ 31/03/25 સુધીના સમયગાળાની કારપેટ બેઇઝ પદ્ધતિ મુજબની બાકી રકમ પર આ વ્યાજ માફીનો લાભ મળશે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે બાકીદારો વિવિધ કારણોસર તેમનો વેરો ભરી શક્યા નથી, તેઓને વ્યાજના બોજમાંથી મુક્તિ મળે અને તેઓ સરળતાથી તેમની બાકી રકમ ભરી શકે. આ યોજના તારીખ 26/06/20થી સત્તાવાર રીતે શરૂૂ થઈ જશે. પાલિકા દ્વારા કરદાતાઓને સુવિધા મળી રહે તે માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેથી તેઓ સરળતાથી અને ઝડપથી તેમનો વેરો ભરી શકે અને આ યોજનાનો લાભ મેળવી શકે. વ્યાજ માફી યોજનાનો લાભ લેવા માટે અંતિમ તારીખ 07/07/25 છે, જેની તમામ બાકીદારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આ યોજનાથી મહાનગરપાલિકાને પણ બાકી વેરાની વસૂલાતમાં મદદ મળશે અને શહેરના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે.
