90 સરકારી કોલેજોમાં સ્પોટ્ર્સ આસિ.ની ભરતી ખાનગી કંપનીને સોંપી દેવાઇ

21000ના પગારમાં ‘માણસો’ પૂરા પાડશે: કંપનીએ કોલેજો પાસે યોગ્ય ઉમેદવારોની ભલામણ કરવા માંગ કરી: શિક્ષણ જગતમાં ભારે વિરોધ ગુજરાત સરકારે રાજ્યની 90 સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ…

21000ના પગારમાં ‘માણસો’ પૂરા પાડશે: કંપનીએ કોલેજો પાસે યોગ્ય ઉમેદવારોની ભલામણ કરવા માંગ કરી: શિક્ષણ જગતમાં ભારે વિરોધ

ગુજરાત સરકારે રાજ્યની 90 સરકારી કોલેજોમાં સ્પોર્ટ્સ અસિસ્ટન્ટની નિમણૂક ખાનગી કોન્ટ્રાક્ટર મારફતે કરવાનો નિર્ણય કર્યો છે. આ ભરતી નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG)ની ગ્રાન્ટ હેઠળ મંજૂર કરવામાં આવી છે. દરેક પોસ્ટ માટે માસિક નિશ્ચિત પગાર 21,000 રૂૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી શૈક્ષણિક વર્તુળોમાં તીવ્ર ટીકા અને વિરોધ ઊભો થયો છે.

સરકારી કોલેજોમાં રમતગમતના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા અને રમત-સંબંધિત પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે સ્પોર્ટ્સ અસિસ્ટન્ટની જરૂૂરિયાત લાંબા સમયથી અનુભવાતી હતી. પરંતુ સરકારે કાયમી ભરતીને બદલે ખાનગી કંપનીને વર્ક ઓર્ડર આપીને કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂકો કરવાનો માર્ગ અપનાવ્યો છે. આ કંપનીને KCG તરફથી કામ સોંપવામાં આવ્યું છે.

આ નિર્ણય પર શિક્ષણકારો અને શૈક્ષણિક નિષ્ણાતોનો વિરોધ વધી રહ્યો છે. તેઓનું કહેવું છે કે શૈક્ષણિક અને સહાયક સ્ટાફની નિમણૂકો ખાનગી એજન્સીઓને સોંપવાથી પારદર્શકતા ઘટે છે અને શૈક્ષણિક ધોરણોને નુકસાન પહોંચે છે. ઘણા નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારની આઉટસોર્સિંગ પ્રથા યોગ્ય અને લાયકાત ધરાવતા ઉમેદવારોને આકર્ષવામાં નિષ્ફળ જાય છે.

ખાનગી કંપનીને આ કામ મળ્યા બાદ પણ મુશ્કેલી આવી રહી છે. આપેલા પગારે યોગ્ય ઉમેદવારો મળવામાં અડચણો ઊભી થઈ છે. તેથી કંપનીએ વિવિધ યુનિવર્સિટીઓને પત્ર લખીને મદદ માંગી છે. કંપનીએ વિનંતી કરી છે કે શારીરિક શિક્ષણ અથવા સ્પોર્ટ્સ સાયન્સની લાયકાત ધરાવતા વર્તમાન વિદ્યાર્થીઓ અને એલ્યુમ્નીની ભલામણ કરવામાં આવે, જેથી યોગ્ય ઉમેદવારો મળી શકે.

શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી શાળાઓ અને કોલેજોમાં કાયમી ભરતી લગભગ બંધ જેવી સ્થિતિ છે. આ કારણે કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂકો વધી રહી છે. આવી નિમણૂકોમાં નોકરીની સુરક્ષા ન હોવાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ તરફ આકર્ષાતા નથી. પરિણામે આ પોસ્ટ્સ ઓછી આકર્ષક બની છે અને કાર્યક્ષેત્રમાં અસ્થિરતા પેદા થઈ રહી છે.

નિષ્ણાતો વધુમાં કહે છે કે શૈક્ષણિક માળખું સુધારવા અને વૈશ્વિક ધોરણો સાથે મેળ ખાતું બનાવવાની વાતો વારંવાર થતી રહે છે, પરંતુ વાસ્તવિકતામાં કાયમી ભરતીને બદલે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર નિર્ભરતા વધી રહી છે. આ પ્રથા લાંબા ગાળે ગુણવત્તા, જવાબદારી અને સ્થિરતા બંનેને અસર કરી શકે છે.

આ મુદ્દે શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા ચાલુ છે. ઘણા લોકોનું માનવું છે કે સરકારે આવી મહત્વની પોસ્ટ્સ માટે કાયમી ભરતીની પ્રક્રિયા અપનાવવી જોઈએ, જેથી પારદર્શકતા જળવાય અને લાયક ઉમેદવારોને પ્રોત્સાહન મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *