જુનાગઢ
કેશોદમાં તાંત્રિક વિધિના નામે યુવતી ઉપર દુષ્કર્મ, પાંચ સામે ફરિયાદ
જૂનાગઢ જિલ્લામાં દુષ્કર્મની વધુ એક ચકચારી ઘટના બહાર આવી છે. જિલ્લાના કેશોદ ખાતે તાંત્રિકવિધિના નામે ભોળવી એક યુવતી પર દુષ્કર્મ આચરવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે. આ બારામાં પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે દોડધામ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ કેશોદમાં રહેતી એક યુવતીને તાંત્રિકવિધિ દ્વારા રૂપિયાનો વરસાદ કરવાની લાલચ આપી ચીટર ટોળકીએ પોતાની જાળમાં ફસાવી હતી અને થોડો સમય તેને વિધીના નામે સંપર્કમાં રાખી યુવતીનું બે્રેઈનવોશ કરી તેની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
આ ઘટના અંગે યુવતીએ ગઈકાલે સાંજે પાંચ જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે મુખ્ય આરોપી એવા તાંત્રિક તેમજ તેના સાગ્રીતોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ આ તાંત્રિક ટોળકીએ અન્ય લોકો સાથે પણ તાંત્રિકવિધીના નામે ચીટીંગ કર્યુ હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસે પાંચેય આરોપીઓને પકડવા માટે જાળ બિછાવી છે અને આ ટોળકી પકડાયા બાદ આવા અનેક કિસ્સાઓ બહાર આવવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ ટોળકીએ તાંત્રિકવિધિના નામે યુવતીને પોતાની જાળમાં ફસાવી હતી અને તેણીને પૈસાનો વરસાદ કરવાના નામે તેની ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટના ક્રમમાં પાંચ શખ્સોની સંડોવણી બહાર આવી છે. તેમાંથી કેટલાક શખ્સોએ દુષ્કર્મ આચર્યુ છે તે અંગે કોઈ વિગતો જાહેર કરાઈ નથી.
પોલીસ દ્વારા પણ આ ફરિયાદને સંવેદનશિલ ગણી હજુ સુધી નામો જાહેર કરવામાં આવ્યા નથી પરતુ સાંજ સુધીમાં આરોપીઓને ઝડપી લીધા બાદ સમગ્ર ઘટના અંગે જાહેરાત કરવામાં આવે અને આરોપીઓના કરતૂતો બહાર આવે તેવી શકયતા દર્શાવવામાં આવી રહી છે. આ ઘટના બનતા કેશોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. અગાઉ પણ જૂનાગઢ જિલ્લામાં તાંત્રિકવિધિના નામે ચીટીંગ અને દુષ્કર્મની અનેક ઘટનાઓ બનવા પામી હતી. આમ છતાં લોકો લાલચમાં ફસાઈ રહ્યાં છે.
ગુજરાત
જૂનાગઢની સગીરા ઉપર રાજકોટમાં દુષ્કર્મ મામલે વધુ 4ની ધરપકડ
સગીરાને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં કુલ 10ની ધરપકડ
જૂનાગઢની સગીરા સાથે રાજકોટના શખ્સે કરેલા દુષ્કર્મ બાદ તેને દેહવ્યાપારમાં ધકેલી દેવાના ગુનામાં પોલીસે વધુ ચાર શખ્સોને ઝડપી લીધા છે. આ ગુનામાં સગીરાને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈને 14 જેટલા શખ્સો દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવાયાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે પકડાયેલા આરોપીઓને રાજકોટ લઇ જઇને તપાસ શરૂૂ કરી હતી. આ ગુનમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમાં રીહાન ઉર્ફે રેહાન યુનુસભાઇ શેખના 4 દિવસના રીમાન્ડ પૂરા થતાં બેયને જેલ હવાલે કરાયા છે.
આ સિવાય રાજકોટના આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશભાઇ સાપરા, જસ્મીન દિનેશભાઇ મકવાણા અને હાર્દિક દિપકભાઇ ઝાપડાના રીમાન્ડ હજી ચાલુ હોઇ તેઓની પુછપરછ ચાલુ છે. આ સિવાય પોલીસે રાજકોટના બીજા 4 શખ્સો સત્યુગ ઉર્ફે સત્યમ જીતેશભાઇ ટીમાણીયા, અયાન ઇદ્રીશભાઇ જોધપુરા મુલ્તાની, અરબાઝ ઇમ્તીયાઝભાઇ ખીમાવત અને કૃપાલ કિશોરભાઇ ટીમાણીયાને ઝડપી લીધા છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
વંથલીમાં દાદી સાથે સૂતેલી સગીરા સાથે છેડતી કરનાર શખ્સ પકડાયો
આરોપીને પકડી કાયદાનું ભાન કરાવતી પોલીસ
વંથલીના એક ગામે રાત્રિના અંધારાનો લાભ લઈ ગામના જ એક યુવાને સગીરાની છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા પોતાના દાદી સાથે રાત્રિના સમયે તેના ઘરે સૂતી હતી, ત્યારે આરોપીએ આવી સુતેલી સગીરાનું ગોદડું ખેચ્યું હતું. જોકે, દાદી અને સગીરા બંને જાગી જતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં પોતાની સગીર વયની દીકરીની એક યુવાને છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી વંથલી પોલીસ દ્વારા પોક્સો તેમજ છેડતીની કલમનો યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે ગુનો નોંધી છેડતી કરનાર યુવાનને પકડવા તપાસ હાથ ધરી હતી. ત્યારે માણાવદર તાલુકાના સીપીઆઈ અને વંથલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે પકડાયેલ આરોપીની પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના એક ગામે સગીરાની છેડતી મામલે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સગીરા રાત્રે પોતાના ઘરે તેની દાદી સાથે સૂતી હતી. આરોપી સગીરાના ઘરે જઈ સગીરા સૂતી હતી ત્યારે તેની છેડતી કરી હતી. જે મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે માણાવદરના સીપીઆઈ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઇ ઈઙઈં દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ પૂછપરછમાં આ આરોપી જ્યારે સગીરા ગામમાં નીકળતી હતી ત્યારે અવારનવાર ખરાબ નજરે તેની સામે જોતો હતો અને રાત્રિના સમયનો લાભ લઇ આ આરોપી સગીરાના ઘરમાં ઘૂસી છેડતી કરી હતી. જેને લઇ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય2 days ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ2 days ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
રાષ્ટ્રીય9 hours ago
ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
-
કચ્છ1 day ago
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો