રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન જાહેર, શહેર વેઇટિંગમાં

રાજકોટ જિલ્લા ભાજપના નવુ સંગઠન ગઇકાલે જાહેર થયું છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાના અંત આવ્યો હતો અનેકની મનની મનમાં રહી ગઇ હોય તેમ બાદબાકી સાથે…

રાજકોટ જિલ્લા ભાજપના નવુ સંગઠન ગઇકાલે જાહેર થયું છેલ્લા ઘણા સમયથી ચાલતી ચર્ચાના અંત આવ્યો હતો અનેકની મનની મનમાં રહી ગઇ હોય તેમ બાદબાકી સાથે ત્રણ ઉપપ્રમુખ અને ત્રણ મહામંત્રીની રીપિટ કરી 21 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. છતા શહેર ભાજપ સંગઠનની જાહેરાતની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. સંભવત આજ સાંજ સુધીમાં શહેર ભાજપ સંગઠન જાહેર થઇ જશેે.

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા આજે નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉપપ્રમુખ તરીકે લોધિકાના કાજલબેન ગોંડલીયા, ગોંડલના રીનાબેન ભોજાણી, ધોરાજીના રેખાબેન ડાભી, ગોંડલના પ્રફુલભાઇ ટોળીયા, જામકંડોરણાના સુરેન્દ્રસિંહ વાળા, ઉપલેટાના જયેશભાઇ ત્રિવેદી, લોધિકાના મનોજભાઈ રાઠોડ, અને ધોરાજીના રાજુભાઈ બાલધાની નિમણુંક કરવામાં આવી છે જયારે મહામંત્રી તરીકે રાજકોટ તાલુકાના નરેન્દ્રસિંહ જાડેજા, જસદણ તાલુકાના હરેશભાઇ હેરભા અને ઉપલેટાના રવિભાઈ માંકડિયાની નીમજુક કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી તરીકે ભારતીબેન સાંકળિયા, સતિષભાઈ ભીમજીયાણી, મુકેશભાઈ મેર, પ્રવીણભાઈ હેરમાં, સુધાબેન ગોહેલ, મનીષાબેન સંચાણીયા, અનિતાબેન ચૌહાણ અને શૈલેષ અજાણીની નિમણુંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી રાજકોટ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતનાઓને બદલી દેવામાં આવશે તેવી ચર્ચા છેલ્લા બે દિવસથી રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચર્ચાઈ રહી હતી. પરંતુ આ ચર્ચા બાદ ઢોલરીયાએ પ્રદેશ સંગઠનના હોદેદાર સમક્ષ રજુઆત કરી લોબિંગ કરાવતા આખરે પ્રદેશ મવડી મંડળ દ્વારા આ ભલામણ માન્ય રાખી અલ્પેશ ઢોલરિયાને યથાવત રાખવા નિર્ણય કર્યો છે અને છેલ્લી ઘડીએ તેમને યથાવત રાખી બાકીના સંગઠન માળખાની આજે જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે રાજકોટ શહેરના પ્રમુખ સહીત સંગઠનમાં બદલાવ માટેની ચર્ચા વચ્ચે શહેરનું નવું માળખું ક્યારે જાહેર થશે અને તેમાં કોનો સમાવેશ થશે તેના પર સૌકોઇની મીટ મંડાયેલી છે.

રાજકોટ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખામાં રિપીટ થિયરી જોવા મળી જેમાં મહામન્ત્રી પદ પર ત્રણેય હોદેદારોને રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદ પર રીનાબેન ભોજાણીને પણ રિપીટ કરવામાં આવ્યા છે. અનિતાબેન ચૌહાણને કાર્યાલય મંત્રીમાંથી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જયારે યુવા મોરચા પ્રમુખ તરીકે મહામંત્રી પદે રહેલા દેવ કોરડિયાને પ્રમુખ, સૂરજ ડેરને મંત્રી માંથી મહામંત્રી જાહેર કરવામા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *