ઇસ્ટર યુધ્ધવિરામ લંબાવવા, શાંતિ મંત્રણાની ઓફર કરતા પુતિન: અમેરિકી દબાણ સામે ઝૂક્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને સોમવારે વર્ષોમાં પ્રથમ વખત યુક્રેન સાથે દ્વિપક્ષીય શાંતિ વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે એક દિવસીય ઇસ્ટર યુદ્ધવિરામ બાદ ભવિષ્યમાં વધુ યુદ્ધવિરામ…

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને સોમવારે વર્ષોમાં પ્રથમ વખત યુક્રેન સાથે દ્વિપક્ષીય શાંતિ વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે એક દિવસીય ઇસ્ટર યુદ્ધવિરામ બાદ ભવિષ્યમાં વધુ યુદ્ધવિરામ માટે પણ તૈયારી દર્શાવી હતી. પુતિનનું નિવેદન વોશિંગ્ટન તરફથી શાંતિ માટે તૈયારી દર્શાવવાના દબાણ વચ્ચે આવ્યું છે.

દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પુષ્ટિ કરી કે યુક્રેન એક પ્રતિનિધિમંડળ લંડન મોકલી રહ્યું છે, જ્યાં બુધવારે યુએસ અને અન્ય પશ્ચિમી દેશો સાથે બેઠકો થશે. લંડન મંત્રણા એ ત્રણ વર્ષથી વધુ જૂના યુદ્ધને સમાપ્ત કરવાના પગલાંની ચર્ચા કરવા માટે પેરિસમાં ગયા સપ્તાહની બેઠકનું અનુવર્તી છે.

રશિયન સરકારી ટીવી સાથે વાત કરતા પુતિને જણાવ્યું હતું કે શનિવારે 30 કલાકની ઇસ્ટર યુદ્ધવિરામ જાહેર કર્યા બાદ લડાઈ ફરી શરૂૂ થઈ છે. રશિયા અને યુક્રેન બંનેએ એકબીજા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

કિવએ યુદ્ધવિરામને શરૂૂઆતથી જ પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.
વોશિંગ્ટને યુદ્ધવિરામના વિસ્તરણનું સ્વાગત કર્યું છે. દરમિયાન, ઝેલેન્સકીએ નાગરિક વિસ્તારોમાં 30 દિવસના યુદ્ધવિરામની માંગ કરી છે. તેમણે રવિવારે રશિયન હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે રશિયા યુદ્ધને લંબાવવાનો ઇરાદો ધરાવે છે.

પુતિને કહ્યું હતું કે મોસ્કો કોઈપણ શાંતિ પ્રયાસો માટે ખુલ્લો છે અને કિવ પાસેથી સમાન વલણની અપેક્ષા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે, જ્યારે રાષ્ટ્રપતિએ નાગરિક લક્ષ્યો પર હુમલો ન કરવા પર વાટાઘાટો વિશે વાત કરી, ત્યારે તેનો અર્થ યુક્રેન સાથે સીધી વાટાઘાટો હતી.

દરમિયાન રવિવારે યુક્રેનમાં કોઈ હવાઈ હુમલા થયા ન હતા, પરંતુ યુક્રેનિયન દળોએ અહેવાલ આપ્યો હતો કે રશિયા દ્વારા જાહેર કરાયેલ યુદ્ધવિરામનું લગભગ 3,000 વખત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સૌથી ભારે હુમલા પોકરોવસ્ક વિસ્તારમાં થયા હતા. ઝેલેન્સકીએ સોમવારે કહ્યું કે યુદ્ધવિરામ માત્ર નામ પર છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન દળોએ 444 વખત રશિયન લક્ષ્યો પર હુમલો કર્યો હતો અને 900 થી વધુ ડ્રોન હુમલાની જાણ કરી હતી. મંત્રાલયે એવો પણ દાવો કર્યો હતો કે આ હુમલાઓમાં નાગરિકોના મોત અને ઘાયલ થવાની ઘટનાઓ છે. રોઇટર્સ આ યુદ્ધક્ષેત્રના દાવાઓને સ્વતંત્ર રીતે ચકાસી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *