શાળાઓમાં લેવાતી એકમ કસોટી રદ કરવા રાજ્યભરમાંથી ઉઠેલો વિરોધનો સૂર

GCERTના પૂર્વ નિયામક દ્વારા ઉપવાસ આંદોલન, શૈક્ષણિક સંગઠનોનો ટેકો રાજ્યમાં ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી એકમ કસોટીને લઈને હવે વિરોધનો વંટોળ શરૂૂ થયો છે.…

GCERTના પૂર્વ નિયામક દ્વારા ઉપવાસ આંદોલન, શૈક્ષણિક સંગઠનોનો ટેકો

રાજ્યમાં ધોરણ-1થી 12ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી એકમ કસોટીને લઈને હવે વિરોધનો વંટોળ શરૂૂ થયો છે. સૌપ્રથમ શિક્ષણ વિભાગના પૂર્વ અધિકારીએ તેનો વિરોધ કર્યા બાદ અનેક શિક્ષણવિદોએ પણ આ મુદ્દે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. ઉપરાંત પ્રાથમિક શિક્ષક સંઘ પણ એકમ કસોટી રદ થાય તેની તરફેણમાં છે. જોકે, હજુ સુધી એકમ કસોટીને લઈને કોઈ જ નિર્ણય કરાયો ન હોવાથી શનિવારના રોજ GCERTના પૂર્વ નિયામક દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે. જેને અનેક શૈક્ષણિક સંગઠનો તરફથી ટેકો જાહેર કરાયો છે. બીજી બાજુ શુક્રવારના રોજ શિક્ષણ વિભાગે એકમ કસોટી માટે બેઠક બોલાવી હતી, પરંતુ તે મોકૂફ રાખી છે અને આગામી દિવસોમાં નવી તારીખ જાહેર કરાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની સ્કૂલોમાં લેવામાં આવતી ધોરણ-1થી 12ની એકમ કસોટીને લઈને હવે ઠેરઠેર વિરોધ ઊભો થયો છે. શનિવારના રોજ રાજ્યના GCERTના પૂર્વ નિયામક નલીન પંડિત દ્વારા એકમ કસોટી નાબૂદ કરવા માટે પોતાના નિવાસસ્થાને ઉપવાસ કરશે. જેને ઘણા શૈક્ષણિક સંગઠનો દ્વારા પણ ટેકો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના સૌથી મોટા પ્રાથમિક શિક્ષક સંઘ પણ એકમ કસોટીના વિરોધમાં છે અને તેમણે પણ સરકારમાં રજૂઆત કરી હતી. જેના પગલે શુક્રવારના રોજ એકમ કસોટીને લઈને બેઠક બોલાવવાનું નક્કી કરાયું હતું, પરંતુ આ બેઠક રદ કરી દેવાઈ છે અને હવે પછી નવી તારીખ જાહેર કરાશે.

રાજ્યના GCERTના પૂર્વ નિયામક દ્વારા એકમ કસોટીને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યા બાદ આ મુદ્દે શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં, શિક્ષણ સાથે જોડાયેલા જાણીતા પ્રિન્સિપાલો, એવોર્ડથી પ્રાપ્ત શિક્ષણવિદો કિરીટ જોશી, પરેશ ત્રિવેદી, વૈશાલી શાહે રજૂઆત કરી હતી કે, ધોરણ-1થી 12માં લેવામાં આવતી એકમ કસોટી દૂર થવી જોઈએ. જે અંગે તેમણે કારણો પણ રજૂ કર્યા હતા. આમ, છતાં એકમ કસોટીને લઈને કોઈ જ નિરાકરણ ન આવતા શિક્ષણ વિભાગના જ પૂર્વ અધિકારીએ ઉપવાસ આંદોલન શરૂૂ કર્યું છે અને શનિવારના રોજ એકમ કસોટી દૂર કરવા ઉપવાસ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *