સલાયામાં વારંવાર વીજપુરવઠો ખોરવાતા લોકો પરેશાન

સલાયામાં છેલા ઘણા સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી છે. જેના લીધે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.હાલમાં ગરમી ચાલુ થઈ ગયેલ છે.તેમજ…

સલાયામાં છેલા ઘણા સમયથી વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી છે. જેના લીધે લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.હાલમાં ગરમી ચાલુ થઈ ગયેલ છે.તેમજ રમઝાન માસ પણ ચાલુ થતો હોઈ તથા ધંધાદારી લોકોને પણ ભારે તકલીફ હોય લાઇટનો પુરવઠો સતત જળવાઈ રહે એ માટે આજરોજ પીજીવીસીએલમાં સલાયાના સામાજિક કાર્યકર અને આઈ લવ સલાયા ગ્રુપ સાથે જોડાયેલ અવેશભાઈ બ્લોચ દ્વારા લેખિતમાં રજૂઆત કરી અને લાઇટનો પુરવઠો સતત જળવાઈ રહે એ માટે રજૂઆત કરાઈ છે.તેમજ આવનારા દિવસોમાં ગરમી ચાલુ થતી હોય અને રમઝાન માસ હોય જેથી લોકોને મુશ્કેલી ન પડે એ માટે યોગ્ય કરી અને લાઇટનો પુરવઠો સતત જળવાઈ રહે એ માટે રજૂઆત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *