Sports
ઓલિમ્પિક મેડાલિસ્ટ મનુ ભાકરનું આકર્ષક રેમ્પ વોક
વેલકમ ફેશન વીકનો વીડિયો વાઇરલ
થોડા દિવસ અગાઉ મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. ત્યારે તે હવે લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કરીને બધાનું દિલ જીતી લીધું છે. મનુ ભાકર પહેલીવાર ફેશન શોમાં જોવા મળી હતી. આ ફેશન શોમાં મનુ ભાકર સુંદર અને આધુનિક આઉટફિટ્સમાં જોવા મળી હતી. જે ખાસ આ ઈવેન્ટ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. મનુ ભાકરે ફેશન શોમાં રેમ્પ વોક કરવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ અનુભવ અદ્ભુત હતો જોકે હું થોડી ઘભરાયેલી હતી.
મનુ ભાકરનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં મનુ ભાકર ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેશન વીકમાં મનુ ભાકરની સુંદરતાના અંદાજએ દર્શકોના દિલ જીતી લીધા હતા. સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ રજૂ કરી રહ્યા છે.
Sports
ભારતે બીજા દિવસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય,જાણો બંને ટીમોની પ્લેઈંગ ઈવેંટ
બેંગલુરુમાં રમાનારી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો. પરંતુ બીજા દિવસે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. AccuWeatherના અહેવાલ મુજબ આજે પણ વરસાદની સંભાવના છે પરંતુ વરસાદ હાલ પૂરતો બંધ થઈ ગયો છે. વરસાદની 40 ટકા સંભાવના છે, જે રમતને બગાડી શકે છે.
ન્યૂઝીલેન્ડે ભારતમાં અત્યાર સુધીમાં 12 ટેસ્ટ સીરીઝ રમી છે પરંતુ તે એકપણ ટેસ્ટ સીરીઝ જીતી શકી નથી. ન્યૂઝીલેન્ડે છેલ્લી વખત ભારતમાં 1988માં વાનખેડે ખાતે ટેસ્ટ મેચ જીતી હતી.
ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે અમે પહેલા બેટિંગ કરવા જઈ રહ્યા છીએ, શરૂઆતમાં થોડી બેટિંગ કરવી મુશ્કેલ હોઈ શકે છે પરંતુ પિચની પ્રકૃતિ એવી છે કે તમે પહેલા બોર્ડ પર રન બનાવવા માંગો છો. અમે છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. અમારા માટે આ એક નવી શ્રેણી છે અને અમે સારી શરૂઆત કરવા માંગીએ છીએ. છેલ્લી ટેસ્ટથી બે ફેરફાર કરવામાં આવ્યા છે, સરફરાઝને ગિલની જગ્યાએ અને કુલદીપને આકાશની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે કહ્યું કે વિકેટ પર ઘણા સમયથી કવર છે, તેથી આશા છે કે અમે શરૂઆતમાં બોલ સાથે તેનો સારો ઉપયોગ કરી શકીશું. હવામાન થોડું ખરાબ છે, તેથી અમે અહીં સારી તૈયારી કરી શક્યા નથી. એજાઝ પટેલની સાથે અમારી પાસે ત્રણ ઝડપી બોલર છે અને અમારી પાસે બે ઓલરાઉન્ડર છે જે સ્પિન બોલિંગ પણ કરે છે.
ઈન્ડિયા પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ન્યુઝીલેન્ડ પ્લેઈંગ ઈલેવન: ટોમ લાથમ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), ગ્લેન ફિલિપ્સ, મેટ હેનરી, ટિમ સાઉથી, એજાઝ પટેલ, વિલિયમ ઓ’રર્કે.
Sports
ફૂટબોલ સ્ટાર એમબાપ્પે પર બળાત્કારનો આરોપ
રમતગમત જગતમાં અચાનક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્ટાર ફૂટબોલર કૈલિયન એમબાપ્પે એક મોટા વિવાદમાં આવી ગયો છે. તેના પર હોટલમાં બળાત્કારનો આરોપ છે. જો કે, દિગ્ગજ ખેલાડીએ આ મામલે પોતાનું મૌન તોડ્યું અને તેને નકલી ગણાવ્યું. પરંતુ બીજી તરફ પોલીસે ઝડપી તપાસ શરૂૂ કરી છે.
એક અખબારના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેના પર બળાત્કારનો આરોપ છે. હાલમાં પોલીસ તેમની તપાસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ખબફાાય એ આ સમાચારની નિંદા કરી અને તેને નકલી ગણાવ્યો. અખબારે અહેવાલ આપ્યો છે કે સ્વીડિશ પોલીસ બેંક હોટેલમાં કથિત બળાત્કારની ઘટનાની તપાસ કરી રહી છે, જ્યાં ખબફાાય અને તેના સાથીઓ એક રાત રોકાયા હતા. ખબફાાય એ આ મુદ્દા પર પોતાનું મૌન તોડ્યું છે, અને દાવો કર્યો છે કે તે તેની છબી અને પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ છે, તે પણ બાકી પગાર અંગેની સુનાવણી પહેલા. તે જ સમયે, તેમની ટીમે દાવો કર્યો છે કે સત્ય બહાર લાવવા અને ફ્રેન્ચ ફોરવર્ડની છબી સુધારવા માટે તમામ કાયદાકીય પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ધ સનના અહેવાલ મુજબ, ટીમે ડાંકેની ઈજા પર પણ કહ્યું કે તેના પર લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા અને બે જવાબદાર છે.
Sports
રોહિત શર્માને સામેલ કરવા RCBએ 20 કરોડ ખર્ચવા પડે: રવિચંદ્રન અશ્ર્વિન
આઈપીએલ 2025 પહેલા મેગા ઓકશન થવાનુ છે. બીસીસીઆઈએ રિટેન્શનના નિયમો પણ જાહેર કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંતે રિટેન કરવામાં આવનારા ખેલાડીઓના નામો જાહેર કરવામાં આવશે. દરેક ટીમને વધુમાં વધુ 6 ખેલાડીઓ રિટેન કરવાનો અધિકાર મળ્યો છે. આ સ્થિતિમાં, મુંબઈ ઇન્ડિયન્સને 5 ખિતાબ જીતાવી ચૂકેલા કેપ્ટન રોહિત શર્મા આગામી સીઝનમાં આ ટીમ સાથે રહેશે કે નહિ, આ સૌથી મોટો પ્રશ્ન છે.
રોહિત શર્મા જો રિલીઝ થાય છે તો તેઓ ઓકશનમાં જોવા મળશે. કેટલાક રિપોર્ટ્સ અનુસાર, જો રોહિત ઓકશનમાં આવે છે, તો પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમના પર મોટી બોલી લગાવી શકે છે. આ બંને ટીમોને ઓકશનમાં નવા કેપ્ટનની શોધ રહેવાની છે. આ સ્થિતિમાં, રવિચન્દ્રન અશ્વિનએ તેમના યુટ્યૂબ ચેનલ પર આ મુદ્દે નિવેદન આપ્યું.
એક ફેનએ અશ્વિનને તેમના યુટ્યૂબ ચેનલ પર વિરાટ કોહલી અને રોહિત શર્માની એક જ ટીમમાં રમવાની સંભાવના બાબતે પૂછ્યું હતું. તેના જવાબમાં અશ્વિનએ કહ્યું કે છઈઇને જો રોહિતને તેમની ટીમમાં સામેલ કરવા હોય, તો 20 કરોડ રૂૂપિયા ખર્ચવા પડશે. રવિચન્દ્રન અશ્વિનએ કહ્યું, જો તમે રોહિત શર્મા ઇચ્છી રહ્યા છો, તો 20 કરોડ રાખવાની જરૂૂર પડશે.
રોહિત શર્માએ પોતાના ઈંઙક કરિયરની શરૂૂઆત ડેક્કન ચાર્જર્સ સાથે કરી હતી. ત્યારબાદ તેઓ 2011માં મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયા. ત્યાર બાદ, મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને 2013માં કેપ્ટન બનાવ્યા. તેમણે પહેલી જ સીઝનમાં મુંબઈને ચેમ્પિયન બનાવવામાં સફળતા મેળવી. ત્યાર બાદ તેમણે 2015, 2017, 2019 અને 2020માં પણ મુંબઈને ઈંઙકમાં ચેમ્પિયન બનાવ્યું. પરંતુ છેલ્લીસીઝનમાં તેમને કેપ્ટનની ભૂમિકા પરથી હટાવવામાં આવ્યા હતા. મુંબઈની ટીમે રોહિતની જગ્યા પર ઇંફમિશસ ઙફક્ષમુફને ટીમની કમાન સોંપી હતી.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય18 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય18 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત