હવે ‘જલસા’ બહાર રવિવારે ચાહકોને નહીં મળે અમિતાભ, પરંપરા તૂટશે

સોશિયલ મીડિયાની પોસ્ટથી ચાહકોને આંચકો મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ સાથે ઈન્ટરેક્ટ કરવાની એક પણ તક હાથથી જવા દેતા નથી. પછી તે સોશિયલ મીડિયા હોય…

સોશિયલ મીડિયાની પોસ્ટથી ચાહકોને આંચકો

મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ સાથે ઈન્ટરેક્ટ કરવાની એક પણ તક હાથથી જવા દેતા નથી. પછી તે સોશિયલ મીડિયા હોય કે ઘરની બહાર જઈને ફેન્સને મળવું અને તેમને ભેટ વહેંચવી હોય. અમિતાભની આ દરેક રવિવારની પરંપરા રહી છે કે તેઓ પોતાના ઘર ’જલસા’ ની બહાર પોતાના ફેન્સને ચોક્કસ મળે છે. પરંતુ લાગે છે કે હવે આ પરંપરા તૂટવાની છે. અમિતાભ બચ્ચન ડ (ટ્વિટર) કે ઇન્સ્ટાગ્રામ જ નહીં પરંતુ ટમ્બલર પર પણ એક્ટિવ છે. તેઓ ત્યાં પોતાના બ્લોગ્સ લખતા હોય છે.

આ દરમિયાન તાજેતરમાં અમિતાભે એક પોસ્ટ લખી છે, જેણે તેમના ફેન્સને હેરાન કરી દીધા છે. અમિતાભે આ પોસ્ટમાં લખ્યું, ’કામ જોશ સાથે ચાલતું રહે છે.. પરંતુ, એક પરંતુ આવે છે.. અને મારા માટે દિવસ પૂરો થઈ જાય છે.. રવિવારની રજાનો આનંદ લેવા માટે.. અહીં તો રવિવાર છે.. પરંતુ અફસોસની વાત છે કે જલસા ગેટ પર કોઈ રવિવાર નથી…’ આની આગળ અમિતાભે પોતાના ફેન્સને હિદાયત આપી કે તેઓ પોતાની ટ્રાવેલ કરવાની એનર્જી બચાવીને રાખે અને સાથે જ જલ્દી ફરીથી મળવાની આશા પણ આપી. આગળ અમિતાભે લખ્યું, ’તેથી યાત્રાની ઉર્જા બચાવીને રાખીએ અને જલ્દી મળીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *