માનવ તસકરી મામલે NIAના 6 રાજ્યમાં 22 ઠેકાણે દરોડા

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ માનવ તસ્કરી સંબંધિત એક કેસમાં 6 રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે, માનવ તસ્કરીમાં સંડોવાયેલી ગેંગને પકડવા…

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ માનવ તસ્કરી સંબંધિત એક કેસમાં 6 રાજ્યોમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે, માનવ તસ્કરીમાં સંડોવાયેલી ગેંગને પકડવા માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અન્ય રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે. આમાં મોટું નેટવર્ક સામેલ હોવાની શક્યતા છે.


આ નેટવર્ક યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપીને તસ્કરી કરે છે. આ પછી, તેઓ સાયબર છેતરપિંડી સાથે સંકળાયેલા નકલી કોલ સેન્ટર્સમાં કામ કરવા માટે મજબૂર કરે છે. બિહારના ગોપાલગંજમાં આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો.


દાણચોરોનું નેટવર્ક દેશના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મહિલાઓ, પુરુષો અને બાળકોની તસ્કરી કરે છે. એનઆઇએને શંકા છે કે આ ગેંગ તસ્કરી કરીને કેટલાક લોકોને વિદેશ પણ મોકલે છે. તેઓ વિદેશી તસ્કરેની ટોળકી સાથે સંબંધ ધરાવતા હોવાની પણ શંકા છે. રાજ્ય પોલીસની મદદથી ગઈંઅની અલગ-અલગ ટીમો સવારથી જ ઘણી જગ્યાએ તપાસ કરી રહી છે.


નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલ્લાના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ત્રણ રાજ્યોના 9 જિલ્લામાં આ દરોડા પાડવામાં આવ્યા હતા. કેનેડામાં અર્શ દલ્લાની ધરપકડ બાદ આ પહેલીવાર છે જ્યારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ તેની સામે આટલા મોટા પાયા પર કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *