Uncategorized
પંજાબમાં બનશે નવું સમીકરણ / કોંગ્રેસ – આપના ગઠબંધનની તૈયારી, ભાજપની સાથે જોડાઈ શકે છે આ પક્ષ
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંજાબમાં રાજકીય પક્ષોની ગતિવિધિઓ આંતરિક જોર પકડવા લાગી છે. પાંચ રાજ્યોની તાજેતરની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ વિપક્ષી પાર્ટીઓને તેમની વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની ફરજ પાડી છે, ત્યારે ભાજપ રાજ્યમાં ઉત્સાહથી ભરેલો છે.
રાષ્ટ્રીય સ્તરે રચાયેલા ભારતીય ગઠબંધન હેઠળ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પંજાબમાં બેઠકોની વહેંચણીની ભૂમિકાની તપાસ કરી રહી છે, જ્યારે અકાલી દળ, જે લાંબા સમયથી એકજૂથ હતું, તેણે ફરીથી ભાજપ સાથે ગઠબંધનની શક્યતાઓ શોધવાનું શરૂ કર્યું છે. . સર્જાઈ રહેલા નવા સમીકરણોને જોતા રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પંજાબની જનતાને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-આપ અને SAD-ભાજપ ગઠબંધનમાંથી બે વિકલ્પ મળી શકે છે.
AAP સાથે ગઠબંધનને લઈને રાજ્ય કોંગ્રેસ મૂંઝવણમાં
કોંગ્રેસ અને AAPના ગઠબંધનથી ભલે પંજાબ કોંગ્રેસના નેતાઓ ખુશ નથી, પરંતુ તેઓ આ મામલે પાર્ટી હાઈકમાન્ડના માર્ગદર્શિકાને અવગણવાના પક્ષમાં પણ નથી. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા પણ આના સંકેતો આપવામાં આવ્યા છે. બીજી તરફ પંજાબમાં સરકાર બન્યા પછી તરત જ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસના નેતાઓ સામે તકેદારી કાર્યવાહી શરૂ કરનાર AAP સરકારે અચાનક પોતાનું વલણ નરમ કર્યું છે. AAP સાથે ગઠબંધન વિરુદ્ધ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના નિવેદનો છતાં પંજાબ AAP તરફથી કોઈ પ્રતિક્રિયા નથી.
ભાજપ-અકાલી દળ પર આક્રમક બન્યા CM
ગત વિધાનસભા સત્ર દરમિયાન પણ મુખ્યમંત્રી ભગવંત માન અને વિપક્ષના નેતા પ્રતાપ બાજવા વચ્ચે કોઈ ખેંચતાણ નહોતી, પરંતુ આ વખતે મુખ્યમંત્રીએ જોરદાર રીતે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તદુપરાંત, AAP સરકારે હવે તેના હુમલાઓ કોંગ્રેસમાંથી ખસેડીને અકાલી દળ પર લઈ લીધા છે. વરિષ્ઠ અકાલી નેતા બિક્રમ સિંહ મજીઠિયા વિરુદ્ધ AAP સરકારની તાજેતરની કાર્યવાહી અને મુખ્યપ્રધાન દ્વારા આકરા પ્રહારો એ સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી દિવસોમાં ભાજપની સાથે અકાલી દળ પણ AAPના નિશાના હેઠળ આવશે. આ ફેરફારને કોંગ્રેસ અને AAP વચ્ચે વધતી આંતરિક નિકટતા તરીકે જોવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં બંને પક્ષોના હાઈકમાન્ડ પોતાના સ્તરે ગઠબંધન નક્કી કરવા જઈ રહ્યા છે, જેમાં પંજાબના નેતાઓની સલાહ કામ કરશે નહીં. જો કે, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોમાં AAPની સ્થિતિ પછી, પાર્ટી માટે એકમાત્ર નફાકારક સોદો કોંગ્રેસ સાથે ગઠબંધન છે.
ફરી જૂનું ગઠબંધન બનશે
બીજી તરફ પંજાબમાં લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરનાર ભાજપ ભલે વડાપ્રધાન મોદીની બાંહેધરી દરેક ઘર સુધી પહોંચાડવાનો દાવો કરી રહી હોય, પરંતુ પાર્ટી રાજ્યમાં પોતાની કેડરને મજબૂત કરી શકી નથી. ત્યારે દિલ્હીમાં ખેડૂતોના આંદોલન પછી ભાજપ સાથે 25 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખનાર અકાલી દળે ફરીથી ભાજપ સાથે ગઠબંધનની શક્યતાઓ આંતરિક રીતે તપાસવાનું શરૂ કર્યું છે. આ અંગે અકાલી નેતાઓએ પણ સંકેત આપ્યા છે કે, બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે. આગામી દિવસોમાં આ જુનું ગઠબંધન પણ નવી ભૂમિકામાં ઉભરી શકે છે.
Uncategorized
શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ
આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત
જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.
તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.
મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.
Uncategorized
વડાપ્રધાનની સભા પહેલાં કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પાંચ આતંકી ઢેર
બારામુલ્લા અને કઠુઆમાં સેનાની કાર્યવાહી, બે જવાનની શહીદીનો બદલો લેવાયો
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચક ટેપર કરીરીમાં ગોળીબાર શરૂૂ થયો હતો. આ ઓપરેશન હાલ ચાલુ છે.
Uncategorized
શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય
સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..
જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.
સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.
લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.
પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?
-
ગુજરાત2 days ago
મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી