રાષ્ટ્રીય
કાલે તબીબોની રાષ્ટ્રવ્યાપી હડતાળ, ઇમરજન્સી સિવાયની સેવા બંધ
કોલકાતાની લેડી ડોક્ટર ઉપર આચરાયેલા હેવાનિયતના વિરોધમાં ઈંખઅ દ્વારા શનિવારે 24 ક્લાક મેડિક્લ સેવા બંધનું એલાન
સરકારી હોસ્પિટલોના જુનિયર તબીબો આજથી જ બેમુદતી હડતાળ પર ઉતરી જતા અફરા તફરી
કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આ મામલે ગુજરાતમાં ઘેરા પડઘાઓ પડ્યા છે અને આવતીકાલે રાજકોટ સહિત રાષ્ટ્રવ્યાપી ખાનગી તબીબો એક દિવસની હડતાલની જાહેરાત કરી છે. ઇમરજન્સી સિવાયની ખાનગી હોસ્પિટલની તમામ સેવાઓ આવતીકાલે બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું છે. ઉપરાંત આજથી દેશભરની સરકારી હોસ્પિટલના જુનિયર તબીબો બે મુદતી હડતાલ ઉપર ઉતરી જતા દેશભરમાં ભારે અફરા તફરી ઉભી થઇ છે.
ઇન્ડિયન મેડિક્લ એસોસિએશનના પ્રમુખ ડો.કાંત જોગાણીએ ‘ગુજરાત મિરર’સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, આવતીકાલે ખાનગી હોસ્પિટલના તબીબોની રાષ્ટ્રવ્યાપી એકદિવસ હડતાલ ઉપર જશે અને ક્લકાતામાં બનેલી ઘટના અંગે વિરોધ કરી જુનીયર તબીબો કે જેઓ આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે. તે વિરોધ પ્રદર્શને સમર્થન આપશે. કોલકતાની ઘટનાનું વિરોધ કરી રહેલા તબીબો ઉપર પણ હુમલો થતા આ મામલો વધુ ગરમાયો છે અને સરકાર આ મામલે સંતોષકારક જવાબ નહીં આપતા તબીબોએ સરકાર સામે લડતના મંડાણ શરૂ ર્ક્યા છે.
આ ઘટનાના વિરોધમાં દેશભરના ડોકટર શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી હડતાલ કરશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓની ઓનલાઇન બેઠકમાં 24 કલાકની હડતાલનો લેવાયો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇમરજન્સી સેવાઓ અને કેઝ્યુલિટી સેવા સિવાય તમામ સેવા બંધ રહેશે. આ સાથે જ દર્દીઓને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આ હડતાલ મામલે ગુજરાતના પ્રતિનિધિઓની ઓનલાઇન બેઠક મળી હતી.
કોલકતાની આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હતુનો બનાવ બન્યો હતો જેના પગલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. આર.જી. મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે રાતે હજારો લોકોનું ટોળુ આવ્યું હતું. ટોળાએ હોસ્પિટલમાં ઘૂસીને તોડફોડ કરીને વિરોધ કરી રહેલા ડોકટરોને મારમાર્યો હતો. ડોકટરો પર થયેલા હુમલા અને ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હત્યા મામલે આજે વિરોધ કરવામાં આવ્યો હતો. દેશભરની સરકારી હોસ્પિટલના જુનિયર ડોકટર અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને રેલી યોજી હતી અને આ મામલે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ સહિત રાજ્યભરના ખાનગી તબીબોએ પણ આ ઘટનાને લઇને વિરોધ પ્રદર્શન કરવા માટે આવતીકાલે એક દિવસ હડતાલની જાહેરાત કરી છે. શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી રાજકોટ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલોના તબીબો આ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાશે.
જેને પગલે ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ ઠપ્પ થઇ જશે.
કોલક્તામાં તબીબ ઉપર થયેલ દુષ્કર્મ અને હત્યા કેસના પડઘા રાજકોટ અને ગુજરાત જ નહીં રાષ્ટ્રવ્યાપી જોવા મળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આ ઘટના બાદ કોઇ કડક કાર્યવાહી નહીં કરવામાં આવતા અને આ મામલે વિરોધ કરી રહેલા તબીબો સાથે સરકારે હજુ સુધી કોઇ વાતચીત કરી નથી. તેમજ તબીબોની સુરક્ષાને લઇને કોઇ નિર્ણયો લીધા નથી. ત્યારે આ રાષ્ટ્રવ્યાપી હડતાલને કારણે દેશભરની મેડિક્લ સેવાઓને આવતીકાલે ભારે અસર પહોંચશે કારણ કે, ઇમરજન્સી સેવાઓ અને કેઝ્યુલિટી સેવાઓ સિવાયની તમામ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાતા આવતીકાલે દેશભરમાં મેડિક્લ ઇમરજન્સી સિવાયની તમામ સેવા કે જેમાં ઓપરેશન સહિતની સેવાઓ બંધ રાખવાની જાહેરાત થતા આ હડતાલને પગલે રાજકોટ અને ગુજરાત જ નહીં પણ દેશભરમાં તેના પડઘા પડશે.
રાષ્ટ્રીય
વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી
આઝાદી પછી ચાર વખત વન નેશન, વન ઈલેક્શન થઈ ચૂક્યા છે
પ્રથમ બે ટર્મમાં વડાપ્રધાન મોદીની સરકારે નોટબંધી, જીએસટી, લોકડાઉન, કલમ 370 નાબુદી જેવા ઐતિહાસિક નિર્ણયો લીધા બાદ હવે ત્રીજી ટર્મમાં મોદી સરકાર દેશભરમાં લોકસભા અને ધારાસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાના ઐતિહાસિક એજન્ડા ઉપર આગળ વધી રહી હોય તેમ આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ મંત્રીમંડળની બેઠકમાં ‘વન નેશન, વન ઈલેક્શન’ના પ્રશ્તાવને લીલીઝંડી આપી દીધી છે. અને હવે સંસદના આગામી શિયાળુ સત્રમાં આ અંગેનું બીલ પણ લાવવામાં આવે તેવા નિર્દેશો મળે છે.
જો કે, મોદી સરકારના આ પગલાને વિપક્ષોએ વધુ એક ઉતાવળિયો નિર્ણય ગણાવ્યો છે. અને ભૂતકાળમાં પણ વનનેશન વન ઈલેક્શન નિષ્ફળ ગયાનું જણાવી ભવિષ્યમાં પણ આ યોજનાની સફળતા સામે સવાલો ઉઠાવ્યા છે.
છેલ્લા ઘણા સમયથી સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી હતી કે વન નેશન વન ઇલેક્શનને મંંજૂરી મળી શકે છે. પરંતુ આજે આ સમાચાર પર મોદી કેબિનેટે મ્હોર મારી દીધી છે. વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી મળી ગઇ છે. મોદી કેબિનેટની બેઠકમાં પ્રસ્તાવની મંજૂરી મળી ગઇ છે. રામનાથ કોવિંદ કમિટીના રિપોર્ટને બેઠકમાં આપવામાં આવી મંજૂરી.ત્યારે હવે શિયાળુ સત્રમાં સરકાર આ બિલ લઇને આવશે તેવી માહિતી સામે આવી રહી છે.
મોદી સરકાર દ્વારા પોતાના ઢંઢેરામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ, કાશ્મીર કલમ 370ને સમાપ્ત કરવી અને નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ કરવાનો વાયદો પુરો કરી દીધો છે. પીએમ મોદી પણ સ્વતંત્રતા પર લાલથી તમારા ભાષણમાં દિવસની ચૂંટણી અને સંસદીય ચૂંટણી એક સાથે સાથેની વકીલાત પણ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા મહિને સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં પવન નેશન, વન ઈલેક્શનથની હિમાયત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અવારનવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે પએક રાષ્ટ્ર, એક ચૂંટણીથ માટે દેશે આગળ આવવું પડશે. તેમણે રાજકીય પક્ષોને લાલ કિલ્લા અને રાષ્ટ્રીય ત્રિરંગાને સાક્ષી તરીકે લઈને રાષ્ટ્રની પ્રગતિ સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં મુખ્ય વચનોમાંના એક તરીકે પએક રાષ્ટ્ર, એક ચૂંટણીથનો સમાવેશ કર્યો હતો.
રાષ્ટ્રીય
સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ
સિંધુ, સહિત છ નદીના પાણી અને પાવર ઉત્પન્ન કરારની સમીક્ષા કરવા માંગ\
ભારતે સિંધુ જળ કરારમાં ફેરફારની માંગ કરી છે. આ સંબંધમાં ભારત દ્વારા 30 ઓગસ્ટે પાકિસ્તાનને ઔપચારિક નોટિસ મોકલવામાં આવી છે. આ સંબંધમાં બંને દેશો વચ્ચે 1960માં સિંધુ અને અન્ય 5 નદીઓના પાણીના ઉપયોગને લઈને સમજૂતી કરવામાં આવી હતી. સિંધુ જળ સંધિની કલમ ડઈંઈં (3) મુજબ, તેની જોગવાઈઓ સમયાંતરે બદલાઈ શકે છે જેથી બંને દેશોના હિતોની પૂર્તિ થઈ શકે. ભારતે 1960ના કરારમાં ફેરફારની માંગને લઈને કેટલીક દલીલો પણ આપી છે કે તેની શા માટે જરૂૂર છે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારે કહ્યું છે કે 1960 પછી સંજોગોમાં ઘણો બદલાવ આવ્યો છે. આવી સ્થિતિમાં સિંધુ જળ કરારની શરતોમાં કેટલાક ફેરફારો કરવાની જરૂૂર છે. આ માટે ખાસ કરીને ત્રણ કારણો આપતા ભારતે કહ્યું કે 1960માં જે શરતો નક્કી કરવામાં આવી હતી તેનો હવે કોઈ આધાર નથી. ત્યારથી વસ્તુઓ ઘણી બદલાઈ ગઈ છે. પ્રથમ કારણ આપવામાં આવ્યું છે કે ડેમોગ્રાફીમાં ફેરફાર થયો છે. આ કારણે ખેતી અને અન્ય વસ્તુઓમાં પાણીના ઉપયોગમાં પણ ફેરફાર થયો છે.
આ સિવાય ભારત હાનિકારક ગેસના ઉત્સર્જનને દૂર કરીને સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધવા માંગે છે. આ માટે સિંધ જળ કરાર મુજબ ફરી એકવાર નદીના પાણી પરના અધિકારો નક્કી કરવામાં આવે તે જરૂૂરી છે. આ સિવાય ત્રીજું કારણ આપવામાં આવ્યું છે કે સરહદ પારના આતંકવાદને કારણે આ સમજૂતીનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો નથી. આ કારણે ભારત તેના અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતું નથી. કિશનગંગા અને રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અંગે પાકિસ્તાનના વલણથી પણ ભારત ચિંતિત છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાને આ પ્રોજેક્ટ્સમાં અવરોધો ઊભા કર્યા છે, જ્યારે ભારતે હંમેશા જળ સમજૂતીને લઈને ઉદાર વલણ અપનાવ્યું છે.
વાસ્તવમાં, સિંધુ જળ કરાર ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 નદીઓના પાણીની વહેંચણી વિશે છે, જેને સિંધુ નદી પ્રણાલીનો ભાગ માનવામાં આવે છે. આ કરાર પર 19 સપ્ટેમ્બર, 1960ના રોજ કરાચીમાં તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ બેંકે આ કરારમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવી હતી.
રાષ્ટ્રીય
TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે
માયા રતન ટાટાની સાવકી ભત્રીજી છે
ટાટા ગ્રુપ ભારતનું અગ્રણી ઔદ્યોગિક ગૃહ છે. ભારતના લોકો વર્ષોથી આ બ્રાન્ડમાં અતૂટ વિશ્વાસ ધરાવે છે. મીઠાથી લઈને ટ્રક સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન કરતા ટાટા ગ્રુપનો ઈતિહાસ લગભગ 150 વર્ષ જૂનો છે. માત્ર 21 હજાર રૂૂપિયાથી શરૂૂ થયેલો ટાટા ગ્રુપનો બિઝનેસ આજે લાખો કરોડ સુધી પહોંચી ગયો છે. પરંતુ સફળતાની આ સફર એટલી સરળ ન હતી. જેઆરડી ટાટા અને રતન ટાટાએ તેને જમીનથી ઊંચાઈ સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ટાટા ગ્રુપનો આગામી અનુગામી કોણ હશે? આ અંગે લોકોમાં ચર્ચા શરૂૂ થઈ છે. જેમાં માયા ટાટાનું નામ સૌથી આગળ છે.માયા ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાની સાવકી ભત્રીજી છે. માયા નોએલ ટાટા અને અલુ મિસ્ત્રીની પુત્રી છે, અલુ મિસ્ત્રી ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીની પુત્રી છે અને ટાટાના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની બહેન છે.
માયા ટાટાએ જો બેયસ બિઝનેસ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ વોરવિકમાંથી શિક્ષણ મેળવ્યું છે. તેમણે તેમની કારકિર્દીની શરૂૂઆત ટાટા કેપિટલની પેટાકંપની ટાટા ઓપોર્ચ્યુનિટીઝ ફંડથી કરી હતી. જ્યાં તેમણે પોર્ટફોલિયો મેનેજમેન્ટ અને રોકાણકારોના સંબંધોના ક્ષેત્રમાં ઊંડી નિપુણતા મેળવી.
માયા ટાટા હાલમાં ટાટા મેડિકલ સેન્ટર ટ્રસ્ટના છ બોર્ડ સભ્યોમાંથી એક છે, જે કોલકાતા સ્થિત અગ્રણી કેન્સર હોસ્પિટલ ચલાવે છે. આ હોસ્પિટલનું ઉદઘાટન રતન ટાટાએ 2011માં કર્યું હતું. તેણીની સક્રિયતા અને યોગદાન સૂચવે છે કે તે ભવિષ્યમાં ટાટા ગ્રુપનું નેતૃત્વ કરી શકે છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
ગુજરાત2 days ago
મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું