5000થી વધુ સરકારી પુસ્તકો પસ્તીમાંથી મળ્યા

અરવલ્લી જિલ્લાના માલપુર શહેરમાં એક ભંગાર વેપારીના ગોદામમાંથી સરકારી પાઠ્યપુસ્તકો જપ્ત કરવામાં આવ્યા. આ ઘટનાએ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે આ પુસ્તકો મહિસાગર જિલ્લાના…

અરવલ્લી જિલ્લાના માલપુર શહેરમાં એક ભંગાર વેપારીના ગોદામમાંથી સરકારી પાઠ્યપુસ્તકો જપ્ત કરવામાં આવ્યા. આ ઘટનાએ શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચાવી દીધો છે આ પુસ્તકો મહિસાગર જિલ્લાના લીબરડિયા પંથકના એક ભંગાર વેપારી પાસેથી ખરીદવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

માહિતી મળતાં જ મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ માલપુરમાં ભંગાર વેપારી મદન ગુર્જરના ગોદામમાં રેન્ડમ નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન, ધોરણ 1 થી 8 સુધીના આશરે 5,000 જૂના અને કેટલાક નવા પાઠ્યપુસ્તકો મળી આવ્યા હતા આ પુસ્તકો જેઠુભાઈ કારી નામના ભંગાર વેપારી દ્વારા માલપુરના એક વેપારીને પસ્તીના રૂૂપમાં ભંગાર તરીકે વેચવામાં આવ્યા હતા.

શિક્ષણ વિભાગે આ તમામ પુસ્તકો જપ્ત કરી છે અને આ મામલાની તપાસ શરૂૂ કરી છે. શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આ પુસ્તકો ગરીબ અને જરૂૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફતમાં આપવામાં આવ્યા હતા પરંતુ તેમને ભંગાર તરીકે વેચવામાં આવ્યા હતા, જે ખૂબ જ દુ:ખદ અને ગંભીર બાબત છે.

શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે તે આ મામલે કડક કાર્યવાહી કરશે. તપાસ દરમિયાન, જિલ્લાઓ અને ભંગારના વેપારીઓ બંનેમાંથી સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, શિક્ષણ વિભાગ આવી ઘટનાઓને રોકવા માટે કડક નિયમો અને દેખરેખ પ્રણાલી લાગુ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *