બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
જોધપર નદી ગામે રહેતી 17 વર્ષીય સગીરાએ પોતાના ઘરે રૂૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મોરબીના જોધપર નદી ગામના રહેવાસી સંજનાબેન નંદલાલભાઈ રાજપરા (ઉ.વ.17) નામની સગીરાએ કોઈ કારણોસર પોતાના મકાને રૂૂમ બંધ કરી રૂૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.
