લાલપરી નદીના પટમાં ગેરકાયદે દબાણો ઉપર મામલતદારના બુલડોઝરો ફર્યા

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે જિલ્લામાં ગેરકાયદેસર સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા રાજકોટ…

જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની સૂચનાને પગલે જિલ્લામાં ગેરકાયદેસર સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા રાજકોટ નજીક આવેલ રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે અને નવાગામ જવાના રસ્તા નજીક લાલપરી નદીના પટમાં આવેલી આશરે 500 ચોરસ મીટર સરકારી જમીન પરનું ગેરકાયદેસર બાંધકામ આજે દૂર કરવામાં આવ્યું હતું. આ જમીનની અંદાજિત બજાર કિંમત પાંચ કરોડ રૂૂપિયા જેટલી થવા જાય છે.

આ કાર્યવાહી દરમિયાન, સરકારી જમીન પર બનેલી કેજીએન ચિકન અને ફિશની દુકાન, એક કાચું ગોડાઉન અને અન્ય કામચલાઉ બાંધકામોને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં તલાટી ગ્રુપ-2 ધારાબેન વ્યાસ અને સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તારીખ 08/04/2025 ના રોજ દબાણકર્તાને નોટિસ આપવામાં આવી હતી. જો કે, દબાણકર્તા દ્વારા નિર્ધારિત સમય મર્યાદામાં બાંધકામ દૂર કરવામાં ન આવતા, આજે મામલતદાર એસ.જે. ચાવડા, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા અને તલાટી ગ્રુપ-2 ધારાબેન વ્યાસની ટીમ દ્વારા સ્થળ પર જઈને આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *