Connect with us

રાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં લો પ્રેસર ચક્રવાતમાં ફેરવાયું, આંધ્રપ્રદેશ-પુડુચેરીમાં વાવાઝોડું

Published

on


બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં રચાયેલ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે જે 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતી તોફાનના કારણે ભૂસ્ખલનની શક્યતા છે. આંધ્રપ્રદેશ, પુડુચેરીમાં ભારે વરસાદ થઈ શકે છે. જોકે, ગુજરાતમાં ખાસ અસર થાય તેવી સંભાવના નહિવત છે.
દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થયું છે અને 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ થયું છે. જેના કારણે ઘણા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ તટ અને રાયલસીમામાં ભારે વરસાદની સંભાવના છે. જેને પગલે તંત્ર પણ એલર્ટ બની ગયું છે.


આંધ્ર પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના હવામાન વિભાગના રોનાન્કી કુર્મનાથે જણાવ્યું હતું કે, નસ્ત્રબંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમમાં રચાયેલ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે જે ઉત્તર-પશ્ચિમ દિશામાં 10 કિમી/ની ઝડપે આગળ વધી રહ્યું છે. તે ચેન્નાઈથી 440 કિમી, પુડુચેરીથી 460 કિમી અને નેલ્લોરથી 530 કિમી દૂર સ્થિત છે.


પુડુચેરી અને નેલ્લોરમાં સવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. કુર્મનાથે જણાવ્યું હતું કે, આ તોફાન પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે લેન્ડફોલ કરી રહ્યું છે. દક્ષિણ કિનારે અને રાયલસીમા પર ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની અપેક્ષા છે. કિનારે 40-60 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે અને લોકોએ સતર્ક રહેવું જોઈએ અને જરૂૂરી સાવચેતી રાખવી જોઈએ.


બેંગલુરુમાં સતત વરસાદને કારણે હવામાન વિભાગે પઓરેન્જ એલર્ટથ જાહેર કર્યું છે. એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના હિતમાં સાવચેતીના પગલા તરીકે, બેંગલુરુ શહેરમાં તમામ આંગણવાડી કેન્દ્રો, ખાનગી/સહાયિત પ્રાથમિક શાળાઓ, ઉચ્ચ શાળાઓ અને કોલેજો બુધવારે બંધ રહેશે. દશેરાની રજાઓને કારણે શહેરની સરકારી શાળાઓ પહેલેથી જ બંધ છે.

રાષ્ટ્રીય

સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે

Published

on

By


બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને બિશ્નોઈ ગેંગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ગઈઙ નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ફરી એકવાર આ મામલો ગરમાયો છે. હવે બિશ્નોઈ સમાજ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને માફ કરી દેવામાં આવશે, પરંતુ તેના માટે ભાઈજાને એક કામ કરવું પડશે.


એક વાતચીતમાં અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, પજો સલમાન ખાન પોતાનો ગુનો કબૂલે અને જાહેરમાં માફી માંગે તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરવા માટે તૈયાર છે. દેવેન્દ્ર બુરિયાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ મુક્તિધામ મુકામ ખાતે આવીને માફી માંગશે ત્યારે જ તેમની માફી સ્વીકારવામાં આવશે. મુક્તિધામ મુકામ બિશ્નોઈ સમુદાય માટે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે.


દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, અમારો એક મોટો સિદ્ધાંત છે, જે ગુરુ જંભેશ્વેરજી દ્વારા આપવામાં આવ્યો છે. અમારો આ સિદ્ધાંત છે કે જો કોઈ સાચા મનથી માફી માંગે તો તેમને માફ કરી શકાય છે. જો સલમાન ખાન તેમની ભૂલ સ્વીકારે છે, તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરી શકે છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત

Published

on

By

ફૂટબોલની રમત પર છેલ્લા બે દાયકાથી રાજ કરી રહેલા આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો જાદુ હજુ પણ બરકરાર છે. તેની હેટ્રિકના આધારે આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચમાં બોલિવિયાને 6-0થી હરાવ્યું હતું. બોલિવિયા સામેની મેચ દરમિયાન સાથી ખેલાડીઓ લૌટારો માર્ટિનેઝ અને જુલિયન આલ્વારેઝને ગોલ કરવામાં મદદ કરવામાં પણ મેસ્સીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 37 વર્ષીય મેસીએ મેચની 19મી, 84મી અને 86મી મિનિટમાં ગોલ કર્યા હતા.


આ સમયગાળા દરમિયાન, તેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હેટ્રિક લેવાના મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડની પણ બરાબરી કરી. બંને ખેલાડીઓના નામે હવે 10 હેટ્રિક છે. મેચ બાદ તેણે નિવૃત્તિને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે તેણે આ અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી.


તેણે કહ્યું, મેં મારા ભવિષ્યને લઈને કોઈ તારીખ કે સમય મર્યાદા નક્કી કરી નથી. હું ફક્ત તેનો આનંદ માણી રહ્યો છું. હું પહેલા કરતાં વધુ લાગણીશીલ છું અને મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે, કારણ કે હું જાણું છું કે આ વર્ષની શરૂૂઆતમાં કોપા અમેરિકાની ફાઈનલ દરમિયાન થયેલી ઈજામાંથી સાજો થયા બાદ મેસ્સી આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ હોઈ શકે છે બીજી મેચ. મેસ્સીએ કબૂલ્યું કે આખી મેચ દરમિયાન ઘરઆંગણાના દર્શકોને તેના નામનો જયઘોષ કરતા જોવો તે તેના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.

Continue Reading

રાષ્ટ્રીય

નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

Published

on

By

30 રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો

ગતની રાત્રે ફેમિના મિસ ઈન્ડિયા 2024ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની મોસ્ટ આઇકોનિક બ્યુટી પેજન્ટની આ 60મી વર્ષગાંઠ હતી, જેમાં મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલને આ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું હતું. મુંબઈના વર્લીમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકિતા એક અભિનેત્રી છે, જે 18 વર્ષની ઉંમરથી અભિનય કરી રહી છે. ફેમિના મિસ ઈન્ડિયા 2023ની વિજેતા નંદિની ગુપ્તાએ નિકિતાના માથા પર તાજ શણગાર્યો હતો. આ સાથે નેહા ધૂપિયાએ તેનો મિસ ઈન્ડિયા સેશ રજૂ કર્યો હતો.

આ ઈવેન્ટમાં પરફોર્મ કરવાની સાથે અભિનેત્રી સંગીતા બિજલાનીએ પણ રેમ્પ વોક કર્યું હતું. નિકિતાએ પોતાના કરિયરની શરૂૂઆત ટેલિવિઝન એન્કર તરીકે કરી હતી. ફેમિના મિસ ઈન્ડિયા 2024માં 30 રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો. નિકિતાની વાત કરીએ તો અભિનય સિવાય તેને લેખનનો પણ શોખ છે, નિકિતાએ લખેલા નાટકમાં કૃષ્ણ લીલાના 250 પાના પણ છે. હોસ્ટિંગ સિવાય નિકિતાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેનો આગામી પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છે, જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, ફિલ્મનું ટાઈટલ પચંબલ પારથ છે.

Continue Reading
ગુજરાત2 mins ago

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

ગુજરાત4 mins ago

સ્વ.પોપટભાઇ સોરઠિયા હત્યા કેસમાં અનિરૂદ્ધસિંહની સજા માફીને હાઇકોર્ટમાં પડકાર

ક્રાઇમ10 mins ago

લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ

રાષ્ટ્રીય15 mins ago

સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે

આંતરરાષ્ટ્રીય20 mins ago

ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત

રાષ્ટ્રીય23 mins ago

નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો

Sports24 mins ago

સનરાઈઝર્સ હૈદરાબાદ વિસ્ફોટક વિકેટકીપર હેનરિક ક્લાસેનને ચૂકવશે 23 કરોડ રૂપિયા

Sports27 mins ago

ભારત-ન્યૂઝીલેન્ડની તમામ વન-ડે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે

આંતરરાષ્ટ્રીય43 mins ago

છ વર્ષ બાદ ધ વિકટોરિયાઝસિક્રેટ ફેશન શોની જમાવટ

આંતરરાષ્ટ્રીય45 mins ago

ખાલિસ્તાનીઓના કારણે ભારત કેનેડાના સંબંધો વધુ બગડશે

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય19 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય19 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત20 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending