જેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર 13 વર્ષ પછી સાથે દેખાશે

કરણ જોહરના રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’માં જોવા મળશે જેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર એક સમયે ટીવીના પ્રખ્યાત કપલ હતા. બંનેના લગ્ન થયા, પરંતુ તેમના સંબંધો…

કરણ જોહરના રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’માં જોવા મળશે

જેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર એક સમયે ટીવીના પ્રખ્યાત કપલ હતા. બંનેના લગ્ન થયા, પરંતુ તેમના સંબંધો તૂટી ગયા. પરંતુ ચાહકો હજુ પણ બંનેને સાથે જોવા માંગે છે. ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે સમાચાર આવ્યા કે બંને છૂટાછેડાના 13 વર્ષ પછી ફરી એકવાર સાથે જોવા મળશે. તેઓ કરણ જોહરના આગામી રિયાલિટી શો ધ ટ્રેટર્સમાં જોવા મળશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણસિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટ બંને ધ ટ્રેટર્સ રિયાલિટી શોમાં ભાગ લેવા માટે સંમત થયા છે. આ શો આંતરરાષ્ટ્રીય સ્તરે નાટક, ઝઘડા અને ક્યારેય ન સમાપ્ત થતા વિવાદો માટે જાણીતો છે.
જોકે, આ શોના સ્પર્ધકોની યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રાજ કુન્દ્રા, રફ્તાર, અપૂર્વ મુખિજા, મુનાવર ફારૂૂકી, ઉર્ફી જાવેદ, કરણ કુન્દ્રા, જસ્મીન ભસીન અને અન્ય લોકો પણ આ શોમાં ભાગ લેતા જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *