Connect with us

rajkot

જીસ કા ડર થા વહી બાત હો ગઈ બાર એસો.ની ચૂંટણીમાં ‘ગઢ આલા પર સિંહ ગેલા’

Published

on

રાજકોટ બાર એસોસિએશનના પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા બાર એસોસિએશનનો તાજ કબજે કરવા પોતાની સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી હતી જ્યારે સમરસ પેનલને ટક્કર આપવા પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પોતાની એક્ટિવ પેનલને મેદાનમાં ઉતારવા ચૂંટણી જંગ જામ્યો હતો બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ મધરાત્રે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં નસ્ત્રજિસકા ડર થા વહી બાત હો ગઈસ્ત્રસ્ત્ર બાર એસોસિએશનની ચૂંટણીમાં નસ્ત્રગઢ આલા પર સિંહ ગેલાસ્ત્રસ્ત્ર જેવો ઘાટ સર્જાયો હતો જેમાં ભાજપ લીગલ સેલ સમર્પિત સમરસ પેનલના સુકાની કમલેશ શાહનો પરાજય થયો હતો જ્યારે એક્ટિવ પેનલના ઉમેદવાર બકુલ રાજાણીએ ઐતિહાસિક જીત હાંસિલ કરી હતી જ્યારે સમરસ પેનલે ઉપપ્રમુખ, સેક્રેટરી, લાઇબ્રેરી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને મહિલા અનામત ઉપર કબજો કર્યો હતો તેમજ બાર એસોસિએશનના નવ કારોબારી હોદા ઉપર એક્ટિવ પેનલના ત્રણ અને સમરસ પેનલના છ ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. મધરાત્રે પરિણામ જાહેર થતાં જ વિજેતા ઉમેદવારોએ જીતનો જશ્ન મનાવ્યો હતો. પરિણામ જાહેર થાય તે પૂર્વે સમરસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર કમલેશ શાહ, એક્ટિવ ઓએનલના ઉપ પ્રમુખ પદના ઉમેદવાર સિદ્ધરાજસિંહ જાડેજા સહિત પાંચ હોદા ઉપર રિકાઉન્ટિંગની માંગ કરવામાં આવી છે જેની ફરી મત ગણતરી કરવામાં આવશે બાદમાં ચોક્કસ પરિણામ જાહેર કરવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
રાજકોટ સહિત રાજ્યના તમામ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થતા જ રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા બાર એસોસિએશનનો તાજ કબજે કરવા પોતાની સમરસ પેનલને મેદાનમાં ઉતારવામાં આવી હતી જ્યારે તેની સામે પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ પોતાની એક્ટિવ પેનલને મેદાનમાં ઉતારતા ચૂંટણી જંગ જામ્યો હતો અને બંને પેનલોએ ચૂંટણી જંગ જીતવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને ગઈકાલે જ સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં મતદાન યોજાયું હતું જેમાં સમરસ પેનલ અને એક્ટિવ પેનલ સહિતના સ્વતંત્ર ઉમેદવાર સહિત 43 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. અને ત્રણ વાગે મત ગણતરી પૂર્ણ થયા બાદ સાંજે મત ગણતરી શરૂૂ કરવામાં આવી હતી અને મત ગણતરીમાં પ્રમુખ પદના હોદા ઉપર એક્ટિવ પેનલના બકુલ રાજાણી તમામ રાઉન્ડમાં આગળ રહ્યા હતા જ્યારે ઉપરમુખ પદ ઉપર સમરસ પેનલના સુરેશભાઈ અને એક્ટિવ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી અને મધરાત્રે મત ગણતરી પૂર્ણ થતા જ એક્ટિવ પેનલના પૂર્વ પ્રમુખ બકુલ રાજાણીએ ઇતિહાસ રચ્યો હોય તેમ સમરસ પેનલના પ્રમુખ પદના દાવેદાર કમલેશ શાહને પરાજય આપ્યો હતો જ્યારે ઉપ પ્રમુખ પદે ભારે રસાકસી બાદ સમરસ પેનલના સુરેશ ફળદુએ એક્ટિવ પેનલના સિદ્ધરાજસિંહ જાડેજા ને 10 મતે હરાવ્યા હતા જ્યારે સેક્રેટરી પદે પી.સી. વ્યાસ સામે એક્ટિવ પેનલના સુમિત વોરાએ હરનો સ્વાદ ચાખવો પડ્યો હતો જોઇન્ટ સેક્રેટરી પદે સમરસ પેનલના જયેન્દ્ર ગોંડલીયાએ ભારે લીડથી એક્ટિવ પેનલના કેતન મંડને હરાવ્યા હતા જ્યારે ટ્રેઝરર પડે સમરસ પેનલના આર.ડી. ઝાલાએ એક્ટિવ પેનલના દિવ્ય છગને પરાજિત કર્યા હતા લાઇબ્રેરી સેક્રેટરી માટે મેહુલ મહેતાએ એક્ટિવ પેનલના સંજય જોષીને પાછળ રાખ્યા હતા. મહિલા કારોબારીમાં સમરસ પેનલના રેખાબેન લીંબાસીયાએ એક્ટિવ પેનલના રક્ષાબેન ઉપાધ્યાયને પરાજિત કર્યા હતા આ ઉપરાંત કારોબારી સભ્યોમાં એક્ટિવ પેનલના અજય પીપળીયા, પિયુષ સખીયા અને હિરલબેન જોશીનો વિજય થયો હતો જ્યારે સમરસ પેનલના અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, કૌશલ વ્યાસ, અમિત વેકરીયા, નિકુંજ શુક્લ અને ભાવેશ રંગાણીનો વિજય થયો હતો મતગણતરી પૂર્ણ થતાં જ એક્ટિવ પેનલ અને સમરસ પેનલના વિજેતા ઉમેદવારોએ મધરાત્રે ઢોલ નગારા અને આશતબાજી કરી જીતનો જશ્ન બનાવ્યો હતો.

પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને બે કારોબારી સભ્યોનું રિકાઉન્ટિંગ

રાજકોટ બાર એસોસીએશનની ચુંટણીમાં મધરાત્રે મતગણતરી પૂર્ણ થતાં જ એક્ટિવ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બકુલ રાજાણીએ સમરસ પેનલના કમલેશ શાહને 79 મતે પરાજિત કર્યા હતા જ્યારે ઉપ પ્રમુખ પદ પર સમરસ પેનલના સુરેશ ફળદુએ એક્ટિવ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાને 10 મતે હરાવ્યા હતા જ્યારે સમરસ પેનલના પી.સી. વ્યાસે સેક્રેટરી પદ ઉપર જીત મેળવી એક્ટિવ પેનલના સુમિત વોરાને પરાજીત કર્યા હતાં. ચુંટણી કમિશનર પરિણામ જાહેર કરે તે પૂર્વે જ પ્રમુખ પદના દાવેદાર સમરસ પેનલના કમલેશ શાહ, ઉપપ્રમુખ પદના એક્ટિવ પેનલના ઉમેદવાર સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે એક્ટિવ પેનલના સુમિત વોરા અને કારોબારી સભ્યમાં સમરસ પેનલના યશ ચોલેરા અને સાગર હાપાણીએ રિકાઉન્ટીંગ માટે અરજી કરી હતી. જે અરજીને ધ્યાને લઈને ચુંટણી કમિશનરો 11 વાગ્યે ચર્ચા વિચારણા કર્યા બાદ ફરી મત ગણતરી કરશે અને બાદમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

rajkot

મનપાના આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા અંતે સસ્પેન્ડ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ તા.5
મહાનગરપાલિકામાં આસી. ટીપીઓ તરીકે ફરજ બજાવતા અને ત્યાર બાદ અન્ય વિભાગમાં બદલી પામેલા રાજેશ મકવાણાએ અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનિંગ શાખાના રજીસ્ટારમાં ચેડા કરતા તેની ધરપકડ કરવામાં આવેલ આથી નિયમ મુજબ મ્યુ.કમિશનરે આજરોજ તેમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જારી કર્યો હતો.
અગ્નિકાંડ બાદ મકવાણાની વોર્ડ નં.10 માં જવાબદારી નહી હોવા છતાં પણ તેઓ દ્વારા બનાવ બાદ ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટઝોનનાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો બનાવી પુરાવાઓનો નાશ કરવો, સરકારી રેકર્ડમાં ચેડા કરવા, સરકારી તપાસને ગેરમાર્ગે દોરવી, વિગેરે જેવી સરકારી કર્મચારીને ન છાજે તે પ્રકારની કાર્યવાહી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે, જે ફરજ પ્રત્યેની ખૂબ મોટી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી સાબિત થયેલ છે.
સસ્પેન્શન સમય દરમિયાન મજુકર અર્ધપગારી રજા પર હોય અને જે પગાર મેળવે તે પગાર જી.સી.એસ.આરની ક્લમ 151ની જોગવાઇ અનુસાર નિર્વાહ ભથ્થા તરીકે મેળવશે. રાજેશ નરશીભાઇ મકવાણાએ સસ્પેન્શ સમય દરમ્યાન સામાન્ય વહીવટ વિભાગ (જી.એ.ડી.)માં નિયમિતપણે હાજરી પુરવાની રહેશે. હાલ મજકુર કર્મચારી જ્યુડિશિયલ કસ્ડીમાં હોય, તે સમયગાળા પુરતું હાજરી પુરવામાંથી મુક્તિ આપવામાં આવે છે તેમજ સસ્પેન્શન સમય દરમ્યાન કોઇપણ જગ્યાએ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં અને તે બાબતનું પ્રમાણપત્ર દર માસે નિર્વાહ ભથ્થાની ચુકવણી કરતા પહેલા લગત શાખાધિકારીએ મકવાણા પાસેથી મેળવવાનું રહેશે.

Continue Reading

rajkot

રાજકોટ નજીક પીપળિયા ગામે ધમધમતી નકલી શાળા ઝડપાઇ

Published

on

By

ગુજરાત મિરર, રાજકોટ,તા.5
ગુજરાતમાં બે વર્ષથી નકલી કચેરીઓ, નકલી બીયારણો, નકલી અધિકારીઓ સહીત નકલી ખાદ્ય ચીજો પકડાઇ રહી છે. ત્યારે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. રાજકોટમાં માલીયાણ નજીક આવેલ પીપળીયા ગામમાંથી કોઇપણ જાતની મંજુરી વગર ધમધમતી નકલી શાળા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નકલી શાળાને શીલ મારવામાં આવ્યું છે અને શાળા ચલાવતા દંપતીને પકડીને તેની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના માલીયાસણ નજીક આવેલ પીપળીયા ગામની નવીનનગર સોસાયટીમાં ચાર દુકાનો ભાડે રાખી અને મધ્યપ્રદેશનું દંપતી સંદિપ તિવારી અને તેની પત્ની કાત્યાની તિવારી કોઇપણ મંજુરી વગર દરરોજ 1 થી 10ની માન્યતા વગરની ગૌરી પ્રિ-પ્રાયમરી શાળા ચલાવી રહ્યા હોવાની ફરીયાદ મળતા શિક્ષણ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર હકિકત સામે આવી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા મધ્યપ્રદેશના દંપતીની અટકાયત કરાઇ છે અને તેમની પુછતાછ કરવામાં આવી રહી છે. તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે ચાર દુકાનમાં ચાલતી શાળાને શીલ મારી દેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન ત્યાંથી ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા 29 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. તેઓને હાલ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કટીબધ્ધતા દાખવવામાં આવી છે અને તેમને ન્યાયીક રીતે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ આપવામાં આવશે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશનું આ દંપતી એક મોડસ ઓપરેન્ડી ચલાવતું હતું જેમાં અહીં શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા હતા અને તેમની પાસેથી ફી ઉઘરાવી લેવામાં આવતી હતી. ત્યારબાદ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં તેઓના એડમીશન કરવામાં આવતા હતા. માન્યતા પ્રાપ્ત શાળાઓ સાથે તેઓનું સેટલમેન્ટ ચાલતું હતું જેમાં કેટલાક ટકા ફીનો હિસ્સો આ શાળાઓને આપવામાં આવતું હતું. આ કૌભાંડ 2018થી શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી મળતા જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરોડા પાડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના નાક નીચે છેલ્લા છ વર્ષથી ધમધમતી નકલી શાળા ઝડપાતા વાલીઓમાં પણ રોષ ભભુકી ઉઠયો છે. 2018થી એડમીશન લેનાર અને ત્યાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ વાલીઓમાં તંત્ર સામે સવાલ ઉઠયો છે. શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની વૃતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની વ્યથા વાલીઓ ઠાલવી હતી.

Continue Reading

rajkot

સૌ.યુનિ.ના ત્રીજા ઇન્ચાર્જ કુલપતિ બનતા ડો.ડોડિયાડો.નિલાંબરીબેન દવેને હટાવાયા

Published

on

By

2018માં ચાર મહિના ડો.ડોડિયા કરી ચૂક્યા છે વહીવટ; ત્રણ નામો રદ કરી નવા મગાવાયા

ગુજરાત મિરર, રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિની નિયુક્તિ કરવામાં આવી છે. ડો.નિલાંબરીબેન દવેને હટાવી અને ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ડો.કમલ ડોડીયાએ આજે ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ સંભાળી અને વહીવટી કામનો પ્રારંભ કરી દીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને ઓક્ટોબર 2023ની આસપાર ઇન્ચાર્જનો હવાલો સોંપાયો હતો પરંતુ આઠ મહિનામાં જ શિક્ષણ વિભાગ દ્વારા તેમની પાસેથી ઇન્ચાર્જનો હવાલો પરત ખેંચી લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને ફરી એક વખત રાજકોટ પી.ડી.યુ. મેડિક્લ કોલેજના ઓપ્થેલ્મોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપાયો છે.
ડો.કમલ ડોડીયા અગાઉ 2018માં ફેબ્રુઆરી મહિનાથી મે-2018 ચાર માસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે વહીવટ કરી ચૂક્યા છે. તે સમયે મેડિક્લમાં પાસ થવા માટે રૂા.2.50 લાખની માંગણી કરતો સુરેન્દ્રનગરથી સી.યુ.શાહ મેડિક્લ કોલેજનો વિડીયો વાઇરલ થયો હતો અને તે સમયે આંતરિક ખેંચતાણ થતા ભાજપના એક તત્કાલીન સિન્ડિકેટ સભ્ય દ્વારા ડો.કમલ ડોડીયા વિરૂદ્ધ મોરચો માંડયો હતો અને તેમને હટાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી વખત તેમને ચાર્જ સોંપવામાં આવતા અને આ મુદ્દે કેમ્પસમાં ચર્ચા થઇ રહી છે.
માત્ર આઠ માસમાં જ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને હટાવી લેતા અનેક ચર્ચાઇ જોર પક્ડયું છે. તેમાં કેટલાક નિતિ વિષયક નિર્ણયો લેવામાં નબળા પૂરવાર થયા છે. અગાઉ પણ તેઓ ઇન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. વર્તમાનમાં પણ પેપરો લીક થયા હતા. કોલેજ જોડાણની 500થી ફાઇલો હતી. નિર્ણય વગર જ પેન્ડિંગ પડી છે. ઉપરાંત ચીફ એકાઉન્ટ ઓફિસરના બદલે ઓડિટરની નિયુક્તિ કરી નાખી તેમજ પીએચ.ડીની પરીક્ષા મોડી લધી. નવા કાયદા મુજબ એક્ઝિયુટીવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના મોડી કરી હોવા સહિત અનેક કામગીરી ક્ષતિ રહીત રહી હોવાની ચર્ચા.
શિક્ષણ વિભાગ દ્વારા સર્ચ કમિટી રચી અને તેના દ્વારા નામો મોકલવામાં આવ્યા હતા. જેમાં ડો.સચિન પરીખ, ડો.નિલાંબરીબેન દવે અને ડો.મુર્થીના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તમામ નામો રિજેક્ટ કરાયા છે અને કમીટીને ફરીથી નામો મોકલવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણને સંભાળી શકે અને શિક્ષણ વ્યવસ્થા સુધારી શકે તેવા કાયમી કુલપતિ સરકારને હજુ મળ્યા નથી. છેલ્લા ઘણા સમયથી શિક્ષણના બદલે રાજકારણ વધી ગયું છે અને ભાજપ સામે ભાજપનું જુથ જ સક્રિય બન્યું છે ત્યારે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હોવાની ચર્ચા શિક્ષણવિદોમાં થઇ રહી છે.

ફેબ્રુઆરી-2022થી સૌરાષ્ટ્ર યુનિ.માં ઇન્ચાર્જનો વહીવટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિને વહીવટ સોંપાયો છે. અગાઉ 2022માં ડો.નિતિન પેથાણીની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે ફેબ્રુઆરી-2022માં આંકડાશાસ્ત્રના અધ્યક્ષ ડો.ગીરીશ ભિમાણીને ચાર્જ સોંપાયો હતો અને તેઓ દોઢ વર્ષ રહ્યા બાદ તેમને હટાવી અને ડો.નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપાયો હતો. આમ છેલ્લા અઢી વર્ષ ચાર્જમાં વહીવટ થયા બાદ ત્રીજી વખત પણ ઇન્ચાર્જને ચાર્જ સોંપાયો છે.

Continue Reading
રાષ્ટ્રીય13 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય13 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત13 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત13 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત13 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય13 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય13 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય14 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય14 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય14 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

રાષ્ટ્રીય16 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત2 days ago

જૂનાગઢની સગીરા સાથે ગેંગરેપ પ્રકરણમાં રાજકોટની હોટલના મેનેજર સહિત 4 ઝડપાયા

Trending