સૌરાષ્ટ્ર યુનિર્સિટીના ભવનમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરવાનું દરેક છાત્રનું સ્વપન હોય છે. પરંતુ વર્તમાનમાં ખરડાયેલી છાપ અને કોમન પોર્ટલની મેજટથી પ્રવેશમાં ઓટ આવી છે. ચાર ભવનમાં પ્રવેશનો આંકડો ડબલમાં પણ પહોંચ્યો નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પરના નેનો સાયન્સ, ઇલેક્ટ્રોનિક્સ, લાઇબ્રેરી સાયન્સ અને તત્વજ્ઞાન ભવનમાં સિંગલ ડીઝીટમાં એડમિશન થયા છે. નેનો સાયન્સમાં તો માત્ર ત્રણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. લાઇબ્રેરી સાયન્સ અને ઇલેક્ટ્રોનિક ભવનમાં અનુક્રમે ચાર -ચાર વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 29 ભવનોની ઇંટેક્ટ કેપેસિટી 1518 વિદ્યાર્થીઓને સમાવવાની છે. યુનિવર્સિટી ભવનમાં એડમિશન મેળવવાનું વિદ્યાર્થીઓનું ડ્રિમ હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ પરિસ્થિતિમાં ફેરફાર થયો છે અને ઇન્ટેક કેપેસિટી ની 1,518 માંથી 963 બેઠકો ભરાય છે અને 555 બેઠકો ખાલી છે. જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગ્ય જ ભવનમાં દેખાતા હોય છે અને આવું જ પ્રોફેસરની બાબતમાં છે. ભવનમાં પ્રોફેસરો ભણાવતા નથી તેવી વ્યાપક ફરિયાદો પણ અવારનવાર ઉઠવા પામતી હોય છે.
ચાર ભવનમાં સિંગલ ડીઝીટ માં એડમિશન થયા છે તો બાકીના ભવનમા લો ડિપાર્ટમેન્ટમાં 21 આંકડાશાસ્ત્રમાં 22 ઇતિહાસમાં 25 વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા રાજકોટ જામનગર અમરેલી સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લા માટેની આ એક માત્ર સરકારી યુનિવર્સિટી હોવા છતાં તેમાં પ્રવેશ મેળવવા માટેનો રસ વિદ્યાર્થીઓમાં ઘટતો જાય છે. યુનિવર્સિટીના સતાવાળાઓ આમા ગણગણાટ છે કે, આ વખતે જીકાસમાં એડમિશનમાં ભારે વિલંબ થયો છે અને પ્રોસિજર પણ અટપટી હોવાથી ખાનગી યુનિવર્સિટીઓ તરફ વિદ્યાર્થીઓનો પ્રવાહ વળી ગયો છે. કારણ અને તારણ જે હોય તે, પરંતુ જો આમ જ રહેશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં વિદ્યાર્થીઓની સંખ્યા એટલી ચિંતાજનક હદે ઘટી ગઈ છે કે અમુક ભવનો બંધ કરવાની દિશામાં પણ વિચારવાની નોબત આવે તો નવાઈ નહીં.
