rajkot
આજી ઈન્ડસ્ટ્રીઝ સહિત અનેક સ્થળોએ PGVCLનું સઘન ચેકિંગ: 32 ટીમો ત્રાટકી
શહેરી વીજ વર્તુળ કચેરી હેઠળ આવતી સીટી ડિવીઝન હેઠળના વિસ્તારોમાં વીજતંત્રએ આજે સવારથી પોલીસ એસ.આર.પી.ને સાથે રાખીને કડક ચેકીંગ હાથ ધરતાં વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે વધુ વિગતો આપતાં વીજતંત્રનાં મોનિટરીંગ ઓફિસર કે.બી.શાહે જણાવ્યું હતું કે આજે સવારથી જ 32 ટીમો દ્વારા મોરબી, કોઠારીયા રોડ, પ્રહલાદ પ્લોટ, આજી ઔદ્યોકિ વિસ્તારમાં ત્રાટકીને અનેક વીજ કનેકશનો તપાસાયા હતાં. ખાસ કરીને જય જવાન ફીડર હેઠળના લાલપરી, સીતારામ પાર્ક, તીરૂપતિ, 66-કેવી નવાગામ હેઠળના વિસ્તારો, જંગલેશ્ર્વર ફિડરનાં મહાત્મા ગાંધી સોસાયટી, અંકુર સોસાયટી, જંગલેશ્ર્વર, શ્રી હરિફિડર હેઠળના રામનાથપરા, ભવાનીનગર, હાથીખાના, 66-કેવી દુધસાગર હેઠળનાં વિસ્તારોમાં વ્યાપક વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. એ સિવાય લોટસ ફિડર હેઠળનાં આંબેડકરનગર અને 66 કેવી પોલિટેકનીક સબ સ્ટેશન હેઠળનાં વિસ્તારોમાં સઘન ચેકીંગ આદરાતા ઘણાં સ્થળોએ વીજ કનેકશનોમાં ડાયરેકટ થાંભલે લંગરીયા ભરાવી યા અન્ય રીતે વીજ ચોરી સામે આવી છે. શંકાસ્પદ વીજ કનેકશનોમાં કયારથી વીજ ચોરી કરાઈ રહી છે? વિગેરે તપાસ માટે તંત્ર ધંધે લાગી ગયું છે. સાંજ સુધીમાં અનેકને વીજચોરીના દંડના લાખો રૂપિયાના બીલ ફટકારવા તંત્રએ કવાયત આદરી છે.
rajkot
મનપાના આસિસ્ટન્ટ ટીપીઓ રાજેશ મકવાણા અંતે સસ્પેન્ડ
ગુજરાત મિરર, રાજકોટ તા.5
મહાનગરપાલિકામાં આસી. ટીપીઓ તરીકે ફરજ બજાવતા અને ત્યાર બાદ અન્ય વિભાગમાં બદલી પામેલા રાજેશ મકવાણાએ અગ્નિકાંડ બાદ ટાઉનપ્લાનિંગ શાખાના રજીસ્ટારમાં ચેડા કરતા તેની ધરપકડ કરવામાં આવેલ આથી નિયમ મુજબ મ્યુ.કમિશનરે આજરોજ તેમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર જારી કર્યો હતો.
અગ્નિકાંડ બાદ મકવાણાની વોર્ડ નં.10 માં જવાબદારી નહી હોવા છતાં પણ તેઓ દ્વારા બનાવ બાદ ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટઝોનનાં રજીસ્ટર સાથે ચેડા કરી બનાવટી દસ્તાવેજો બનાવી પુરાવાઓનો નાશ કરવો, સરકારી રેકર્ડમાં ચેડા કરવા, સરકારી તપાસને ગેરમાર્ગે દોરવી, વિગેરે જેવી સરકારી કર્મચારીને ન છાજે તે પ્રકારની કાર્યવાહી કરેલ હોવાનું ધ્યાને આવેલ છે, જે ફરજ પ્રત્યેની ખૂબ મોટી ગંભીર પ્રકારની ગેરવર્તણૂક, બેદરકારી, શીથીલતા અને નિષ્કાળજી સાબિત થયેલ છે.
સસ્પેન્શન સમય દરમિયાન મજુકર અર્ધપગારી રજા પર હોય અને જે પગાર મેળવે તે પગાર જી.સી.એસ.આરની ક્લમ 151ની જોગવાઇ અનુસાર નિર્વાહ ભથ્થા તરીકે મેળવશે. રાજેશ નરશીભાઇ મકવાણાએ સસ્પેન્શ સમય દરમ્યાન સામાન્ય વહીવટ વિભાગ (જી.એ.ડી.)માં નિયમિતપણે હાજરી પુરવાની રહેશે. હાલ મજકુર કર્મચારી જ્યુડિશિયલ કસ્ડીમાં હોય, તે સમયગાળા પુરતું હાજરી પુરવામાંથી મુક્તિ આપવામાં આવે છે તેમજ સસ્પેન્શન સમય દરમ્યાન કોઇપણ જગ્યાએ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં અને તે બાબતનું પ્રમાણપત્ર દર માસે નિર્વાહ ભથ્થાની ચુકવણી કરતા પહેલા લગત શાખાધિકારીએ મકવાણા પાસેથી મેળવવાનું રહેશે.
rajkot
રાજકોટ નજીક પીપળિયા ગામે ધમધમતી નકલી શાળા ઝડપાઇ
ગુજરાત મિરર, રાજકોટ,તા.5
ગુજરાતમાં બે વર્ષથી નકલી કચેરીઓ, નકલી બીયારણો, નકલી અધિકારીઓ સહીત નકલી ખાદ્ય ચીજો પકડાઇ રહી છે. ત્યારે શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યું હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. રાજકોટમાં માલીયાણ નજીક આવેલ પીપળીયા ગામમાંથી કોઇપણ જાતની મંજુરી વગર ધમધમતી નકલી શાળા ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા નકલી શાળાને શીલ મારવામાં આવ્યું છે અને શાળા ચલાવતા દંપતીને પકડીને તેની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ તાલુકાના માલીયાસણ નજીક આવેલ પીપળીયા ગામની નવીનનગર સોસાયટીમાં ચાર દુકાનો ભાડે રાખી અને મધ્યપ્રદેશનું દંપતી સંદિપ તિવારી અને તેની પત્ની કાત્યાની તિવારી કોઇપણ મંજુરી વગર દરરોજ 1 થી 10ની માન્યતા વગરની ગૌરી પ્રિ-પ્રાયમરી શાળા ચલાવી રહ્યા હોવાની ફરીયાદ મળતા શિક્ષણ વિભાગ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર હકિકત સામે આવી છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા મધ્યપ્રદેશના દંપતીની અટકાયત કરાઇ છે અને તેમની પુછતાછ કરવામાં આવી રહી છે. તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે ચાર દુકાનમાં ચાલતી શાળાને શીલ મારી દેવામાં આવ્યું છે. દરોડા દરમિયાન ત્યાંથી ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા 29 જેટલા વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. તેઓને હાલ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કટીબધ્ધતા દાખવવામાં આવી છે અને તેમને ન્યાયીક રીતે માન્યતા પ્રાપ્ત શાળાઓમાં શિક્ષણ આપવામાં આવશે.
વધુમાં અધિકારીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશનું આ દંપતી એક મોડસ ઓપરેન્ડી ચલાવતું હતું જેમાં અહીં શાળામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતા હતા અને તેમની પાસેથી ફી ઉઘરાવી લેવામાં આવતી હતી. ત્યારબાદ માન્યતા પ્રાપ્ત શાળાઓમાં તેઓના એડમીશન કરવામાં આવતા હતા. માન્યતા પ્રાપ્ત શાળાઓ સાથે તેઓનું સેટલમેન્ટ ચાલતું હતું જેમાં કેટલાક ટકા ફીનો હિસ્સો આ શાળાઓને આપવામાં આવતું હતું. આ કૌભાંડ 2018થી શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી મળતા જ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દરોડા પાડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના નાક નીચે છેલ્લા છ વર્ષથી ધમધમતી નકલી શાળા ઝડપાતા વાલીઓમાં પણ રોષ ભભુકી ઉઠયો છે. 2018થી એડમીશન લેનાર અને ત્યાં અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગે પણ વાલીઓમાં તંત્ર સામે સવાલ ઉઠયો છે. શિક્ષણ વિભાગની આંખ આડા કાન કરવાની વૃતિને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઇ રહ્યા હોવાની વ્યથા વાલીઓ ઠાલવી હતી.
rajkot
સૌ.યુનિ.ના ત્રીજા ઇન્ચાર્જ કુલપતિ બનતા ડો.ડોડિયાડો.નિલાંબરીબેન દવેને હટાવાયા
2018માં ચાર મહિના ડો.ડોડિયા કરી ચૂક્યા છે વહીવટ; ત્રણ નામો રદ કરી નવા મગાવાયા
ગુજરાત મિરર, રાજકોટ તા.5
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિની નિયુક્તિ કરવામાં આવી છે. ડો.નિલાંબરીબેન દવેને હટાવી અને ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ડો.કમલ ડોડીયાએ આજે ઇન્ચાર્જ તરીકેનો ચાર્જ સંભાળી અને વહીવટી કામનો પ્રારંભ કરી દીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને ઓક્ટોબર 2023ની આસપાર ઇન્ચાર્જનો હવાલો સોંપાયો હતો પરંતુ આઠ મહિનામાં જ શિક્ષણ વિભાગ દ્વારા તેમની પાસેથી ઇન્ચાર્જનો હવાલો પરત ખેંચી લેવામાં આવ્યો છે અને તેમના સ્થાને ફરી એક વખત રાજકોટ પી.ડી.યુ. મેડિક્લ કોલેજના ઓપ્થેલ્મોલોજી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.કમલ ડોડીયાને ઇન્ચાર્જ કુલપતિનો ચાર્જ સોંપાયો છે.
ડો.કમલ ડોડીયા અગાઉ 2018માં ફેબ્રુઆરી મહિનાથી મે-2018 ચાર માસ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે વહીવટ કરી ચૂક્યા છે. તે સમયે મેડિક્લમાં પાસ થવા માટે રૂા.2.50 લાખની માંગણી કરતો સુરેન્દ્રનગરથી સી.યુ.શાહ મેડિક્લ કોલેજનો વિડીયો વાઇરલ થયો હતો અને તે સમયે આંતરિક ખેંચતાણ થતા ભાજપના એક તત્કાલીન સિન્ડિકેટ સભ્ય દ્વારા ડો.કમલ ડોડીયા વિરૂદ્ધ મોરચો માંડયો હતો અને તેમને હટાવવામાં આવ્યા હતા. ત્યારે ફરી વખત તેમને ચાર્જ સોંપવામાં આવતા અને આ મુદ્દે કેમ્પસમાં ચર્ચા થઇ રહી છે.
માત્ર આઠ માસમાં જ હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો.નિલાંબરીબેન દવેને હટાવી લેતા અનેક ચર્ચાઇ જોર પક્ડયું છે. તેમાં કેટલાક નિતિ વિષયક નિર્ણયો લેવામાં નબળા પૂરવાર થયા છે. અગાઉ પણ તેઓ ઇન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી ચૂક્યા છે. વર્તમાનમાં પણ પેપરો લીક થયા હતા. કોલેજ જોડાણની 500થી ફાઇલો હતી. નિર્ણય વગર જ પેન્ડિંગ પડી છે. ઉપરાંત ચીફ એકાઉન્ટ ઓફિસરના બદલે ઓડિટરની નિયુક્તિ કરી નાખી તેમજ પીએચ.ડીની પરીક્ષા મોડી લધી. નવા કાયદા મુજબ એક્ઝિયુટીવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના મોડી કરી હોવા સહિત અનેક કામગીરી ક્ષતિ રહીત રહી હોવાની ચર્ચા.
શિક્ષણ વિભાગ દ્વારા સર્ચ કમિટી રચી અને તેના દ્વારા નામો મોકલવામાં આવ્યા હતા. જેમાં ડો.સચિન પરીખ, ડો.નિલાંબરીબેન દવે અને ડો.મુર્થીના નામ મોકલવામાં આવ્યા હતા. પરંતુ તમામ નામો રિજેક્ટ કરાયા છે અને કમીટીને ફરીથી નામો મોકલવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણને સંભાળી શકે અને શિક્ષણ વ્યવસ્થા સુધારી શકે તેવા કાયમી કુલપતિ સરકારને હજુ મળ્યા નથી. છેલ્લા ઘણા સમયથી શિક્ષણના બદલે રાજકારણ વધી ગયું છે અને ભાજપ સામે ભાજપનું જુથ જ સક્રિય બન્યું છે ત્યારે સરકાર પણ મુંઝવણમાં મુકાઇ ગઇ હોવાની ચર્ચા શિક્ષણવિદોમાં થઇ રહી છે.
ફેબ્રુઆરી-2022થી સૌરાષ્ટ્ર યુનિ.માં ઇન્ચાર્જનો વહીવટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત ત્રીજા ઇન્ચાર્જ કુલપતિને વહીવટ સોંપાયો છે. અગાઉ 2022માં ડો.નિતિન પેથાણીની ત્રણ વર્ષની ટર્મ પૂર્ણ થતા તેમના સ્થાને ઇન્ચાર્જ તરીકે ફેબ્રુઆરી-2022માં આંકડાશાસ્ત્રના અધ્યક્ષ ડો.ગીરીશ ભિમાણીને ચાર્જ સોંપાયો હતો અને તેઓ દોઢ વર્ષ રહ્યા બાદ તેમને હટાવી અને ડો.નિલાંબરીબેન દવેને ચાર્જ સોંપાયો હતો. આમ છેલ્લા અઢી વર્ષ ચાર્જમાં વહીવટ થયા બાદ ત્રીજી વખત પણ ઇન્ચાર્જને ચાર્જ સોંપાયો છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી