હિન્દુઓની વધતી હિંસા સામે ભારત કોઇ ‘ઓપરેશનલ’ યોજના વિચારી રહ્યાની અટકળો
પાડોશી દેશ બાંગ્લાદેશમાં સતાપલટા પછી નિરંતર આંતરીક હિંસાચાર અને અશાંતિ ચાલુ રહેતા ભારત સરકારે ત્યાં બાકી રહેલા રાજદ્વારી સ્ટાફના પરિવારજનોને તાત્કાલીક ભારત પરત બોલાવી લીધા છ. જો કે આંતરરાષ્ટ્રીય તખ્તા પર આ ઘટનાને એ રીતે પણ જોવામાં આવે છે કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની સતત વધતી હત્યા અને હુમલાઓને કારણે ભારત સરકાર કોઇક ‘ઓપરેશનલ’ પગલું પણ લઇ શકે છે. ભારત સરકાર પર હણાઇ રહેતા હિન્દુઓની સ્થિતિ પર પગલા લેવા દેશની પ્રજાનું જબરજસ્ત દબાણ પણ છે.
વાત જાણે એમ છે કે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકીય અસ્થિરતા અને હિંસક ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સત્તા પરથી વિદાય બાદ પરિસ્થિતિ હજુ સુધી સંપૂર્ણ રીતે કાબૂમાં આવી શકી નથી. ખાસ કરીને લઘુમતી હિન્દુ સમુદાય પર હુમલાઓ અને હત્યાના બનાવોએ ભારત સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા ઊભી કરી છે. હવે ભારત સરકારે પોતાના રાજદ્વારી પરિવારોને પાછા બોલાવવા નિર્ણય લીધો છે.
આ પરિસ્થિતિ વચ્ચે મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે બાંગ્લાદેશમાં કાર્યરત પોતાના રાજદ્વારી પરિવારજનોને તાત્કાલિક ભારત પરત ફરવા માટે સૂચના આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બાંગ્લાદેશમાં આવનારા દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને સુરક્ષા સંબંધી જોખમો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજદૂતોના પરિવારજનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ પગલું આગોતરી સાવચેતી તરીકે લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના ઢાકા ઉપરાંત ચટગાંવ, ખૂલના, રાજશાહી અને સિલહટ જેવા શહેરોમાં ભારતની દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ કાર્યરત છે. જ્યાં મોટી સંખ્યામાં ભારતીય અધિકારીઓ તૈનાત છે.
વાત જાણે એમ છે કે ઓગસ્ટ 2024માં શેખ હસીનાના પદત્યાગ બાદ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર રચાઈ હતી જેના નેતૃત્વની જવાબદારી મોહમ્મદ યુનુસે સંભાળી હતી. ત્યારબાદથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ધીમે ધીમે ખટાશ જોવા મળી રહી છે. અને એમ પણ ખાસ કરીને કટ્ટરપંથી તત્વોના વધતા પ્રભાવ અને લઘુમતી હિન્દુઓ પર થતાં હુમલાઓ અંગે ભારત સરકાર સતત ચિંતા વ્યક્ત કરી રહી છે. હાલની અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત દ્વારા લેવાયેલો આ નિર્ણય બંને દેશો વચ્ચેના તણાવની ગંભીરતા દર્શાવે છે.
દેશમાં ઉગ્રવાદી તત્વોની વધતી જતી પ્રવૃત્તિઓને કારણે સુરક્ષા ચિંતાઓ વચ્ચે ભારતે બાંગ્લાદેશમાં તૈનાત ભારતીય અધિકારીઓના પરિવારો અને આશ્રિતોને પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. બાંગ્લાદેશમાં સંસદીય ચૂંટણીઓ યોજાવાના અઠવાડિયા પહેલા આ પગલું લેવામાં આવ્યું છે.
“સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સાવચેતીના પગલા તરીકે, અમે ઉચ્ચ કમિશન અને અન્ય પોસ્ટ્સમાં અમારા અધિકારીઓના આશ્રિતોને ભારત પાછા ફરવાની સલાહ આપી છે,” સત્તાવાર સૂત્રોએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું. તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે બાંગ્લાદેશમાં મિશન અને બધી પોસ્ટ્સ ખુલ્લી અને કાર્યરત રહે છે.
2024 માં શેખ હસીના શાસનના પતન પછી, મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર સત્તામાં આવી ત્યારથી ભારત-બાંગ્લાદેશ સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે. તાજેતરના વિરોધ પ્રદર્શનો વચ્ચે બંને પક્ષોએ તેમના મિશન પર સુરક્ષા વધારી દીધી છે. 12 ડિસેમ્બરે વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસામાં પણ વધારો જોવા મળ્યો છે. ભારતે હિંસા પર ચિંતા વ્યક્ત કરી અને બાંગ્લાદેશને દેશમાં સાંપ્રદાયિક ઘટનાઓનો કડક રીતે સામનો કરવા હાકલ કરી.
નવી દિલ્હીએ બાંગ્લાદેશની “મુશ્કેલીજનક વૃત્તિ” પર પ્રકાશ પાડ્યો હતો કે આવી હિંસાને વ્યક્તિગત દુશ્મનાવટ, રાજકીય મતભેદો અથવા બાહ્ય કારણોસર જવાબદાર ઠેરવવામાં આવે છે. આ વાતને ઉજાગર કરતા, જયસ્વાલે કહ્યું કે “આવી અવગણના ફક્ત ગુનેગારોને પ્રોત્સાહન આપે છે” અને લઘુમતીઓમાં ભય અને અસુરક્ષાનું કારણ બને છે. “અમે અગાઉની બ્રીફિંગમાં આ મુદ્દાને વારંવાર સંબોધિત કર્યો છે અને બાંગ્લાદેશમાં ઉગ્રવાદીઓ દ્વારા લઘુમતીઓ, તેમના ઘરો અને વ્યવસાયો પર વારંવાર થતા હુમલાઓની ચિંતાજનક પેટર્ન જોવા મળી રહી છે.
