લાંબી પળોજણમાંથી લોકાને મળશે મુક્તિ, સામાજિક ન્યાય વિભાગનો પરિપત્ર જાહેર
ગુજરાત સરકારે ડિજિટલ ઈન્ડિયાની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આવકનું પ્રમાણપત્ર અંગે મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે. હવે રાજ્યના નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને આવક પ્રમાણપત્ર મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂૂર રહેશે નહીં.
આ નવા સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવવા અને ભ્રષ્ટાચાર ઘટાડાનો છે. નવા ઠરાવ અનુસાર, હવે અરજદારે પોતાની આવક અંગે કોઈ લાંબી વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવાને બદલે સેલ્ફ ડેક્લેરેશન (Self Declaration) આપવાનું રહેશે. હવે અરજદારે પોતાની આવક બાબતે સ્વ-ઘોષણા આપવી રહેશે. જો કે, ખોટી માહિતી આપવાના કિસ્સામાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારના નવા ઠરાવ અનુસાર ડિજિટલ ય-સર્ટિફિકેટ સુવિધા સાથે આવકનું પ્રમાણપત્ર હવે QR Code અને Digitally Signed e-Seal સાથે આપવામાં આવશે. સાથે જ અરજી પ્રક્રિયાને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે Single Sign-On (SSO) સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. જેનાથી ઓનલાઈન અરજી પ્રક્રિયા મજબૂત બનશે. SSO સિસ્ટમથી અરજદાર એક જ જગ્યાથી અનેક સુવિધા મેળવી શકે છે. તેમજ અરજદાર ઓનલાઇન માધ્યમથી અરજી અને ટ્રેકિંગ સુવિધાનો લાભ મેળવી શકશે.
આ નવી વ્યવસ્થામાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (ઝઉઘ)ની ભૂમિકા વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. દરેક અરજીનો ચોક્કસ સમયમર્યાદામાં નિકાલ થાય તે માટે વહીવટી તંત્રને સુદ્રઢ બનાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી રાજ્યમાં ભ્રષ્ટાચાર ઘટશે. આ સાથે જ સમય અને આર્થિક ખર્ચ બચશે અને વહીવટી કામગીરી વધુ પારદર્શી બનશે.
