સૌરાષ્ટ્ર
મહાપાલિકાની સામાન્ય સભામાં ભૂગર્ભ ગટરના પ્રશ્ને તડાફડી
જામનગર માં છલકાતી ભૂગર્ભ ગટર ના પ્રશ્ને આજ ની સામાન્ય સભા માં શાસક-વિપક્ષ ના સભ્યો એ ઉગ્ર રજૂઆતો કરી હતી.જો કે અધ્યક્ષ દ્વારા કોઈ આકરા પગલા નું ઉચ્ચારાયુ ન.હતું.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસૂર્યા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પદાધિકારીઓ-કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
1404 આવાસ યોજનાના બાકી રહેલા લાભાર્થીઓને હપ્તા ભરવાની રકમમાં વ્યાજમાફીની મુદ્દત વધારવાની દરખાસ્તને સર્વાનુમત્તે બહાલી આ5વામાં આવી હતી. તો આ ચર્ચામાં ભાગ લેતા ગોપાલ સોરઠીયા એ તેમજ આનંદ રાઠોડએ જણાવ્યું હતું કે નામ ટ્રાન્સફર થયા ન હોય તેવા કિસ્સામાં પણ આવાસ ધારક ને લાભ આપવામાં આવે તે જરૂૂરી છે. જ્યારે આનંંદ રાઠોડે વધુ.માં જણાવ્યું હતું કે શહેર ની અન્ય પણ કેટલીક જર્જરિત ઈમારતો અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
આ પછી કોઈ એજન્ડા નહી હોવા થી અધ્યક્ષસ્થા નેથી એક દરખાસ્ત રજુ થવા પામી હતી. જેમાં સેક્રેટરીના હોદ્દાની મુદ્દત 6 માસ માટે વધારવી જેને પણ સર્વાનુમત્તે મંજુરી આપવામાં આવી હતી. વિપક્ષના કાસમભાઈ જોખીયાક્ષએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમારા વોર્ડમાં પેચવર્ક ના કામો કેમ થતા નથી ? તેને જવાબ અપાયો હતો કે કામ કરી આપવામાં આવશે.
વિ5ક્ષના અલ્તાફ ખફીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આરોગ્યલક્ષી અમૃતમ કાર્ડ યોજનામાં મહનગરપાલિકામાં ફરજ પર રહેલા નિયતિબેન નામનાં અધિકારી યોગ્ય જવાબ આપતા નથી. ફોન પણ ઉપાડતા નથી. તેના જવાબ માં જણાવાયું હતું કે તેઓ જિલ્લા પંચાયતમાં.થી અહિં મુકવામાં આવ્યા છે. આ કર્મચારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. અથવા તો તેને પરત મોકલી નિલેષ ભટ્ટને કામગીરી સોંપવામાં આવે , કોર્પોરેટર જૈનબબેન ખફી એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ભૂગર્ભ ગટર ની યોગ્ય સફાઈ થતી નથી અને દર માસે ર0 લાખનું ચુકવણું કોન્ટ્રાકટરને થઈ રહ્યું છે. આથી આ કામગીરી ખાતાકિય રીતે કરાવવી જોઈએ.
વોર્ડ નંબર 1ર માં વરસાદી પાણી.ના નિકાલ ની કોઈ વ્યવસ્થા નથી અગાઉ સામાન્ય સભામાં ખોટો જવાબ અપાયો હતો કે કામ મંજુર થયું છે. વોર્ડ નંબર 1ર અને 16 માં થયેલ કામગીરીમાં લેવલ જાળવ્યું નથી એટલે કે કામ નબળુ છે. આ અંગે મેયરે સંબંધિત અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વિપક્ષ ના કોર્પોરેટર રાહુલ બોરીયા એ પણ વરસાદી પાણી ભરાવવાના મુદ્દે તથા ગટર છલકાવવા ના મુદ્દે પોતાના વોર્ડમાં લોકો પરેશાન થતા હોવાનું જણાવ્યું હતું.
વિપક્ષ ના નેતા ધવલ નંદા એ પ્રશ્નોતરીમાં ભાગ લેતા જણાવ્યું હતું કે આવાસ યોજનામાં તેમના પૈસા ની એફ ડી કરાવવાના બદલે તેમના પૈસા સોસા. ના બીલ ભરપાઈ કરવા માટે ખર્ચ કરી નાખવામાં આવ્યું છે.જો તેના પૈસાની એફડી કરાવી હોત તો વ્યાજની આવક મળી રહે. તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે આવાસ ધારકોએ એસોસિએશન બનાવવાનું હોય છે જે નહી બનાવતા તેમના લાઈટબીલ સહિતનો ખર્ચ કરવાની ફરજ પડી હતી.
ભૂગર્ભ ગટરની કાયમી પળોજણ
વિપક્ષના કોર્પોરેટર કુરકાન શેખએ જણાવ્યું હતું કે, પોતાના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છે. આ એજન્સીને 400 વખત પેનલ્ટી કરી છે તો કડક પગલા શા માટે લેવાતા નથી ? તેના પ્રશ્નમાં શાસકપક્ષ ભાજપના કોર્પોરેટર કિશન માડમે પણ સુર પુરાવ્યો હતો અને ભૂગર્ભની ફરિયાદોનો યોગ્ય નિકાલ થતો નહીં હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભાજપ ના જ કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી અતિ દુર્ગંધ આવે છે તો બે માસ માટે પ્લાન્ટ બંધ કરાવવો જોઈએ.
ટ્રાફિકના બહાને નાના ધંધાર્થીઓને હેરાન ન કરો
આ પછી વિપક્ષના રચનાબેન નંદાણીયાએ ગોકુલ મંડપ સર્વિસ દ્વારા ખોટા બીલો પાસ કરાવાયા હોય તેના સંચાલક કોણ છે ? તેનું નામ જાહેર કરવા માંગ કરતા સંજય સોરઠીયાનું નામ જાહેર થયું હતું, તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે તે ભાજપ સાથે સંકળાયેલ છે. જો કે સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષ કગથરાએ દરમ્યાનગીરી કરી નિયમ મુજબ નિર્ણય લઈ કામ આપવામાં આવતું હોવાનો ખુલાશો કર્યો હતો. રચનાબેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટ્રાફિકના નામે રેંકડી-પથારાવાળા, ફેરીયા ને ત્રાસ આપવા માં આવે છે. આ મુદ્દે તેમણે આ ઉગ્ર રજુઆત કરતા સભા પૂર્ણ જાહેર કરી દેવાઈ હતી.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
કચ્છ
કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત
દેણાના કારણે પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી
આંબિવલીમાં કરિયાણાની દુકાન ચલાવવાની સાથે જ ડિસ્ક જોકી (ઉઉં) તરીકે પણ કામ કરતા 48 વર્ષના નરેન્દ્ર વિકમાણીએ દેવું થઈ જવાથી હતાશ થઈને ગળાફાંસો ખાઈને રવિવારે જીવન ટૂંકાવી દીધું હતું. તેમણે મરતાં પહેલાં સુસાઇડ-નોટ લખી હતી અને એમાં લેણદારોને ઉદ્દેશીને લખ્યું હતું કે કરજ મેં લીધું હતું પણ હું એ ચૂકવી શક્યો નથી, પણ તમે મારી પત્ની કે મારા દીકરાને એ માટે હેરાનન કરતા.
મૂળ કચ્છના કોટડા (રોહા)ના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના નરેન્દ્ર વિકમાણી આંબિવલીમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના પરિવારની કરિયાણાની દુકાન છે. તેમના એક સંબંધીએ કહ્યું હતું કે કરજ કંઈ બહુ વધારે નહોતું, પણ તેણે ઘરમાં કોઈને કહ્યું જ નહીં અને એકલો-એકલો મૂંઝાતો રહ્યો. તેના પરિવારમાં પત્ની અને 20 વર્ષના દીકરાનો સમાવેશ છે. દીકરો જોબ કરે છે. તેણે સુસાઇડ-નોટમાં લેણદોરોને કહ્યું છે કે મારી પત્ની અને દીકરાને હેરાન ન કરતા.
અન્ય એક સંબંધીએ કહ્યું હતું કે નરેન્દ્રભાઈના પિતા વલ્લભભાઈએ વર્ષો પહેલાં કરિયાણાની દુકાન ચાલુ કરી હતી. તેમને નરેન્દ્ર, જયેશ, ભાવેશ અને મનોજ એમ ચાર દીકરા હતા. જેમ-જેમ દીકરા મોટા થતા ગયા એમ પોતપોતાનો અલગ-અલગ વ્યવસાય કરતા ગયા. નરેન્દ્રભાઈ પિતાની દુકાન પણ ચલાવવાની સાથે ડિસ્ક જોકી પણ હતા. તેમણે એમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું અને પછી એ ચલાવવા ટેમ્પો પણ લીધો હતો. થોડા જ વખતમાં તેઓ નરુ કા ઉઉં તરીકે ફેમસ થઈ ગયા હતા.
જોકે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હતું, પણ સામે પેમેન્ટ મોડું આવતું હોવાથી દેવું થતું જતું હતું. તેમણે જો કોઈને કહ્યું હોત તો રસ્તો નીકળી શક્યો હોત, પણ એવું થાય એ પહેલાં જ અંતિમ પગલું લઈ લીધું. રવિવારે સાંજે નીકળેલી તેમની અંતિમયાત્રામાં 50 કરતાં વધુ યુવાનો જોડાયા હતા.
કચ્છ
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
રાપર તાલુકાના ગાગોદર ગામે પાણીના ખાડામાં કપડા ધોતી વખતે અને ન્હાતી વખતે સાત બાળકો પાણીમાં ડુબવા લાગ્યા હતો. જે પૈકી સલેમાન ધોનાની દિકરી તથા ઉમરદિન ધોનાના પત્ની એવા સેનાજબેન (ઉ.વ. 24) તથા તેમના કુટુંબિ ભાઈ ફારૂૂક હબીબ ધોના (ઉ.વ. 16)નું મોત થયું હતું. જ્યારે અન્યોને બચાવી લેવાયા હતા.
કાનમેર ગામમાં રહી મજુરી કામ કરનાર પરિવારની મહિલાઓ સાથે આજે બપોરે બાળકો પણ કપડાં ધોવા, ન્હાવા ગયા હતા. ગામમાં પશ્ચિમ બાજુએ આવેલા પાણીના ખાડા પાસે આ પરિવારજનો બપોરે પહોંચ્યા હતા જેમાં બે મહિલાઓ કપડાં ધોઈ રહ્યાં હતા.
જ્યારે બાળકો થોડા આગળના ભાગે ન્હાઈ રહ્યાં હતા. ખાડામાં ન્હાતી વખતે ફારૂૂક આગળ નિકળી જતાં તે ડૂબવા લાગ્યો હતો. તેણે રાડા રાડ કરતાં તેના કુટુંબિ બહેન શેનાજ તેને બચાવવા ગયા હતા અને બંને પાણી ભરેલા ખાડામાં ડૂબવા લાગ્યા હતા. આ જોઈને પરિવારના અન્ય કિશોર, કિશોરીઓ તેમને બચાવવા જતાં સાત બાળકો ડૂબી રહ્યાં હતાં. રાડારાડના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. આ સાત બાળકો પૈકી અમુકને તરતા આવડતા તે નિકળી ગયા હતા અને અન્યોને લોકોએ રસ્સી વડે બહાર ખેંચી લીધા હતા. જ્યારે મહિલા અને તેના કુટુંબિ ભાઈ ફારૂૂક પાણીમાં ગરક થયા હતા. બાદમાં આ બંનેને બહાર કાઢીને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબિબો બંનેને મૃત જાહેર કરાયા હોવાનું ગાગોદરના પી.આઈ. બી. એ. સેંગલએ જણાવ્યું હતું. હર્ષોલ્લાસના ઈદ પર્વના બીજા દિવસે એકીસાથે ભાઈ-બહેનના મોતને પગલે સમગ્ર પંથકમાં ભારે માતમ છવાયો હતો.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી