હળવદમાં પ્રૌઢે ઝેરી દવા પી જિંદગીથી છેડો ફાડ્યો

જામજોધપુરનાં સિદસરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ હળવદમા રહેતા પ્રૌઢે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢનુ રાજકોટ સારવાર દરમિયાન મોત…

જામજોધપુરનાં સિદસરમાં યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદમા રહેતા પ્રૌઢે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢનુ રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ હળવદમા આવેલી સોનીવાડમા રહેતા નરેન્દ્રગીરી રમણીકગીરી ગોસાઇ (ઉ.વ. 44) 3 દિવસ પુર્વે હળવદમા આવેલ કલેશ્ર્વર મંદિર પાસે તળાવની પાળે હતા ત્યારે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢનુ રાજકોટ સારવારમા મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. બીજા બનાવમા જામજોધપુરના સિદસર ગામે રહેતા ઉદય વાલશીંગભાઇ મોરી નામનો 18 વર્ષનો યુવાન 3 દિવસ પુર્વે વાડી વિસ્તારમા હતો ત્યારે અકળ કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *