ગુજરાત
તમારા સાંસદના કામથી ખુશ છો? વિકલ્પે કોને ટિકિટ આપી શકાય?
લોકસભાની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે નવી રણનીતિ અપનાવી છે અને નમો એપ દ્વારા સરકારની કામગીરી સાથે લોકો પાસેથી તેમન સાંસદોની કામગીરીના અભિપ્રાયો પણ મેળવવામાં આવી રહ્યા છે પરંતુ નમો એપ દ્વારા મતદારોને પુછવામાં આવેલા કેટલાક પ્રશ્ર્નોથી સાંસદોની ચિંતામાં વધારો થયો છે.
નમો એપમાં લોકો સાંસદની કામગીરીથી કેટલા ખુશ છે? અત્યારના સાંસદો સિવાય બીજા વિકલ્પ કયા? તમારા વિસ્તારમાં સાંસદને કયારે જોયા હતા? વિગેરે સવાલોથી ભાજપના અનેક સિટીંગ સાંસદોનું ટેન્શન વધ્યું છે.
નમો એપ દ્વારા જનતાના મનની વાત સીધી ભાજપ હાઇકમાન્ડ સુધી પહોંચતી હોવાથી ઘણા સાંસદોને પોક્ષ ખુલી જવાની પણ ચિંતા છે. ખાસ કરીને જે સાંસદોએ માત્ર દિલ્હી દરબારમાં જ ‘આંટાફેરા’ કર્યા છે અને જનતા સાથે સીધા જોડાયેલ નથી તેવા સાંસદોને ટિકિટ કપાઇ જવા સુધીનો ભય છે. ભાજપના આ સરવેથી અમુક સંસદ સભ્યોની લોકપ્રિયતાનો પરપોટો ફૂટી જાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે.
ભારત સંકલ્પ યાત્રાનો દોર અત્યારે શરૂૂ થઈ ગયો છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારના ભાજપ સાંસદો પાસેથી ફીડબેક લેવા માટેની એક અનોખી પદ્ધતિ અપનાવી છે. વર્ષ 2024ની ચૂંટણીમાં એ જ વ્યક્તિને સાંસદની ટીકીટ મળશે કે જનતાની અપેક્ષા પર ખરા ઉતરશે.
ભાજપના સાંસદો જે કામકાજ કરે છે તેનું મુલ્યાંકન કરવા માટે પાર્ટી નમો એપનો ઉપયોગ કરવાનો પ્લાન કરી રહી છે. પાર્ટી અધ્યક્ષ જે.પી નડ્ડાએ હાલમાં જ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી. આ સર્વેમાં કોઈ વિસ્તારના લોકો તેમના સાંસદ વિશે શું વિચારે છે. સાંસદના કામથી તેઓ કેટલા ખુશ છે કે નહીં તે અંગેનો લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવે છે.
નમો એપના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો કે ભાજપના ક્યા સાંસદ સાથે તેમની જનતા કેટલી મજબુતી સાથે તેની સાથે ઉભી છે. આ સંબંધમાં કુલ 15 સવાલ પુછવામાં આવ્યાં છે.. નમો એપથી ક્ષેત્રોમાં સર્વે કરાવવામાં આવી રહ્યો છે.. જન્તા પોતાના મનની વાત શેર કરશે. ભાજપના નમો એપ પર કરવામાં આવેલા સર્વેને લોકો સાથે શેર કરવામાં આવશે.. જેથી તે સ્પષ્ટ થશે કે સાંસજની જમીની પકડ કેટલી છે.
નમો એપ દ્વારાએ પરખ કરવામાં આવશે કે જનતા સાંસદોના કામથી ખુશ છે કે નહીં. સાથે સામાન્ય મતદારોને પણ પૂછવામાં આવ્યું છે કે અત્યારના સાંસદ સિવાય તેમની પાસે બીજો ક્યા વિકલ્પ છે. આ સર્વે દરમિયાન એવું પણ પૂછવામાં આવ્યું હતું કે તમે છેલ્લે ક્યારે તમારા વિસ્તારમાં તમારા સાંસદને જોયા હતાં. જો જનતાના મનમાં કોઈ નવો ઉમેદવાર હોય તો તેઓ નામ શેર કરી શકે છે.
વર્ષ 2024ના લોકસભાની ચૂંટણીને લઈને સીધો જ જનતા સાથે સંવાદ કરી રહી છે. નમો એપ પર જનતા પોતાના સાંસદ વિશે પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. આમ કુલ મળીને આ અભિયાનના માધ્યમથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે ભાજપના સાંસદો તેના જ વિસ્તારમાં કેટલા લોકપ્રિય છે. તેનું પ્રદર્શન કેટલુ સરાહનીય છે. જેના આધાર પર આગામી ચૂંટણીમાં તેને સાંસદ માટેની ટિકિટ મળી શકશે.
ભાજપના જૂથો વચ્ચે તરફેણમાં અને વિરૂદ્ધમાં અભિપ્રાયો આપવા સ્પર્ધા
દેશભરમાં મજબૂત રાજકીય પક્કડ ધરાવતા ભાજપમાં હાલ અંદરખાને જોરદાર જૂથવાદ ચાલી રહ્યો છે પરંતુ ‘ઉપરવાળા’ની બીકના કારણે કોઇ ખૂલીને બહાર આવતુ નથી ત્યારે નમો એપ દ્વારા ભાજપે શરૂ કરેલા સરવેમાં વર્તમાન સાંસદો પોતાની તરફેણમાં અભિપ્રાયો રજુ કરવા કાર્યકરો સમક્ષ હાથ જોડી રહયા છે અને પોતાના કામો પણ ગણાવી રહ્યા છે જ્યારે સાંસદોના વિરોધી જૂથો અથવા લોકસભાની ટિકિટની લાઇનમાં છે તેવા લોકો વર્તમાન સાંસદોની વિરૂદ્ધમાં અભિપ્રાયો રજુ કરવા કાર્યકરોને ભંભેરી રહ્યા છે. પરિણામે હાલના તબક્કે નમો એપ ઉપર ભાજપનું આંતરીક રાજકારણ ભારે ગરમાગરમ જોવા મળી રહ્યું છે. કાર્યકરો સિવાય મતદારો પાસે પણ નમો એપ ઉપર અભિપ્રાયો રજુ કરવા પાયલાગણ ચાલી રહ્યું છે. જેના કારણે હાલ તો ભાજપના કાર્યકરો અને મતદારોના ભાવ ઉંચકાઇ ગયા છે.
ગુજરાત
ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર
રેસિડેન્સમાં 0.9 અને 36 મીટરના રોડ પરના બિલ્ડિંગમાં એફએસઆઈમાં વળતર અપાશે, સરકારે નોટિફિકેશન જાહેર કરતા મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી
રાજકોટ શહેરને ગ્રીન અને હરિયાળુ બનાવવા માટે સરકાર દ્વારા ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્માર્ટસીટી ખાતે પ્રથમ ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટની આવાસ યોજના બનાવવામાં આવી હતી.
ત્યાર બાદ બિલ્ડરો આ યોજના તરફ આકર્ષાય તે માટે સરકારે નોટીફીકેશન જાહેર કરી ગ્રીન બિલ્ડીંગ પ્રોજેક્ટ બનાવનારને રેસીડેન્સમાં અને 36 મીટરના રોડ ઉપર એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂ કરી છે. ટીપી વિભાગના જણાવ્યા મુજબ હાલ શહેરમાં એક પણ ગ્રીનબિલ્ડીંગ પ્રોજેક્ટ કાર્યરત નથી. પરંતુ એફએસઆઈમાં વળતર મળવાની જાહેરાત બાદ આગામી દિવસોમાં વધુ પ્રોજેક્ટ મુકાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાજકોટમાં ગ્રીન બિલ્ડિંગને પ્રોત્સાહિત કરવાની દિશામાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા સરકારના નોટિફિકેશનના આધારે ગ્રીન બિલ્ડિંગ બનાવનારાઓને પેઈડ એફ.એસ.આઈ.માં વળતર આપવામા આવનાર છે. રાજય સરકારે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ હાથ ઉપર લીધો છે અને રાજયના દરેક મહાનગરોમાં આવા બિલ્ડિંગો બને તે માટે પ્રોત્સાહક યોજના બહાર પાડી છે.
રાજય સરકાર દ્વારા કુદરતી લાઈટના મહતમ ઉપયોગ, વરસાદી પાણીના સંગ્રહ, વપરાયેલા પાણીનો ફરી ઉપયોગ, ગ્રીન એનર્જી પ્રોડકશન વિગેરેને ડિઝાઈનમાં આવરી લેવાયા છે. આ તમામ બાબતો સાથે બનતી ઈમારતોને ગ્રીન બિલ્ડિંગનો દરજ્જો મળી જશે. આ માટે ત્રણ એજન્સીઓ પણ નિયુક્ત કરાઈ છે.
આએજન્સીઓ ગ્રીન બિલ્ડિંગ બનશે તેનું મોનિટરીંગ કરી પ્રમાણપત્ર આપશે અને તેના આધારે વળતર આપવામા આવશે. રાજકોટમાં હાલ કોઈ આવી ઈમારત બની નથી પણ મહાપાલિકા દ્વારા આવી ઈમારતો માટે ઓફર આવશે તો નોટિફિકેશન પ્રમાણે વળતર આપવામાં આવનાર હોવાનું ટી.પી. શાખાના સૂત્રોએ કહયું હતું. સૂત્રોના જણાવાયા પ્રમાણે નોટિફિકેશન લાગુ કરતા પહેલા સરકારે સુચનો પણ મંગાવેલા છે. રેસીડેન્સ પ્લાન્ટમાં 0.9ની પેઈડ અપ એફ.એસ.આઈ. હોય તો તેમાં ડિસ્કાઉન્ટ મળશે.
36 મીટરના રસ્તા ઉપરના બિલ્ડીંગોમાં 4 સુધીની પેઈડ એફ.એસ.આઈ. અપાતી હોયછેઅને તેમાં વળતર અપાશે તેમ ટાઉનપ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રીનબીલ્ડીંગ પ્રોજેક્ટને વેગ આપવા માટે બિલ્ડીંગ બનાવનારાઓને પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રીનબીલ્ડીંગ રહેણાક અથવા કોમર્શીયલ બનાવવામાં આવે ત્યારે સોલાર પાવર, વોટર, હાર્વેસ્ટિંગ અને પાણીના કુલ વપરાસને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે. તે સિવાય પ્રોજેક્ટમાં વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર અને અન્ય મુદ્દાઓને આવરી લેવામાં આવતા હોય છે. આ પ્રોજેક્ટમાં ખર્ચ વધુ થતો હોય સરકાર દ્વારા નિયમોમાં સુધારણા હાથ ધરી પેઈડ એફએસઆઈમાં વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.
ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.
ગુજરાત
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ
લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં દુષ્કર્મ ગુજાર્યુ
રાજકોટના નિલ સીટી કલબ પાસે સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલકે દિલ્હીની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટની બે હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારતાં આ મામલે એ ડીવીઝન પોલીસમાંથી ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કેટરસ સંચાલકની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ, મુળ દિલ્હીની વતની અને હાલ રાજકોટમાં એક વિસ્તારમાં ભાડેથી મકાન રાખીને રહેતી 31 વર્ષિય યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે નિલ સિટી કલબ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા કેટરસ સંચાલક અમીત ભગવાનજી ભાલોડિયાનું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તે અમીતને ત્યાં કેટરસમાં કામ કરતી હોય બન્ને વચ્ચે સંપર્ક થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. અમીતના છુટાછેડા થયા હોય તેણે કેટરસમાં કામ કરતી યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ખોટા વાયદાઓ કરી રાજકોટની લીમડા ચોકમાં આવેલી કે.રોઝ હોટલ તથા અન્ય હોટલમાં લઈ જઈ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ અમીત તેની સાથે લગ્ન કરી લેશે તેની લાલચે ફરિયાદ કરી ન હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીતના શોષણનો ભોગ બનતી કેટરસમાં નોકરી કરતી યુવતીએ જ્યારે અગાઉ લગ્ન નહીં કરે તો ફરિયાદ કરવાની ધમકી આપતાં અમીતે તેને લગ્ન કરવા માટેનું વાયદો કર્યો હતો અને તેણે ધમકાવી ફરિયાદ કરશે તો જાનથી મારી નાખશે તેવું કહી યુવતીને નોટરી પાસે લઈ જઈ રૂબરૂમાં સમાધાનના લખાણ ઉપર તેની બળજબરીથી સહી પણ કરાવી લીધી હતી.
છેલ્લા ચાર વર્ષથી અમીત પોતાના કેટરસમાં કામ કરતી દિલ્હીની યુવતીનું શોષણ કરી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સબંંધ બાંધીને દુષ્કર્મ ગુજારતો હોય અંતે આ યુવતીએ પોલીસની મદદ લીધી હતી અને આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ભોગ બનનાર યુવતીની ફરિયાદને આધારે રાજકોટનાં નિલ સિટી કલબમાં આવેલ સ્કાય કોન્ડો મીનીયમમાં રહેતા અમીત ભગવાનજી ભાલોડિયા સામે ગુનો નોંધ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટ તથા સેક્ધડ પીઆઈ કે.એ.દેસાઈ અને તેમની ટીમે તપાસ કરી અમીત ભાલોડિયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
-
રાષ્ટ્રીય2 days ago
‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા
-
ગુજરાત2 days ago
દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા
-
ગુજરાત16 hours ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
અમરેલી2 days ago
અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ
-
ગુજરાત2 days ago
PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી
-
રાષ્ટ્રીય19 hours ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી