ગુજરાત સરકાર દ્વારા સોમવારે જાહેર કરાશે નવી ઉદ્યોગ નીતિ

ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-2026″નું 15 જૂનના રોજ અનાવરણ કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા…

ગુજરાત સરકાર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને નવી દિશા આપનારી બહુપ્રતિક્ષિત “ઔદ્યોગિક નીતિ-2026″નું 15 જૂનના રોજ અનાવરણ કરવા જઈ રહી છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરવામાં આવશે.

નવી નીતિ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા, રોકાણો આકર્ષવા, નવીનતાને પ્રોત્સાહન આપવા, રોજગારીની તકો ઉભી કરવા અને ભારતના અગ્રણી ઔદ્યોગિક અને રોકાણ સ્થળ તરીકે ગુજરાતની સ્થિતિને મજબૂત બનાવવા માટે એક સર્વાંગી રોડમેપ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.

આગામી ઔદ્યોગિક નીતિમાં Ease of Doing Businessને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું, ખજખઊ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેક્નોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવું તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે તેવી સંભાવના છે.

વર્ષોથી, ગુજરાત સ્થાનિક અને વૈશ્વિક રોકાણો માટે એક પસંદગીનું સ્થળ તરીકે ઉભરી આવ્યું છે, જેને વિશ્વ કક્ષાની માળખાગત સુવિધાઓ, સક્રિય શાસન, મજબૂત કનેક્ટિવિટી અને કુશળ કાર્યબળનો ટેકો મળ્યો છે. નવી ઔદ્યોગિક નીતિ આ શક્તિઓ પર નિર્માણ કરશે અને ગુજરાતના આર્થિક વિકાસ, રોકાણ આકર્ષણ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતાને વધુ વેગ આપશે તેવી અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *