એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે એજન્સીઓનું સર્ડલ એટલે રાજકોટ એડવર્ટાઈઝીંગ સર્કલ. એકતા – સહકાર અને વિકાસના ઉદ્રશ્યો સાથે ઘડાયેલું એક માતબર સંગઠન છે. આરએસીએ એક લાંબા અંતરાલ બાદ મેમ્બરશીપ માટે એજન્સીઓ ને નિમંત્રીત કરી છે.
આરએસી તેની સંગઠન શકિત દ્વારા નોલેજ શેરીંગ, ગેસ્ટ ગેધરીંગ, ઈન્ડસ્ટ્રી ઈસ્યુઝ અને નેટવર્કીંગ જેવા ઉદ્રશ્યો ને પાર પાડે છે. વર્ષ દ2મ્યાન અનેક મિટીંગ, બિઝનેશ વર્કશોપ, સેમિનાર, મિડિઆ સંમેલન, ગેસ્ટ મિટીંગ, પારિવારીક સ્નેહમિલન, પિકનીક, મિડિઆ મુલાકાત જેવા વ્યવસાયનાં હિતમાં અનેકવિધ્ કાર્યક્રમ યોજે છે. આગામી સમયમાં અનેકવિધ ઓનલાઈન/ઓફ્લાઈન સેમિનાર, વર્કશોપ અને ઇવેન્ટસનું પ્લાનીંગ હાથ ધરવામાં આવશે.
આરએસીનું સંચાલન કોર મેમ્બર કમિટી દ્વારા કરવામાં આવે છે. રાજકોટની નામાંકીત સભ્યોની આ સમિતિ હોદ્દાઓની ફોર્માલીટી થી પરે રહી મેમ્બર વિકાસ માટે ટીમ વર્કથી કાર્ય કરે છે. એફબી, ઇન્સટા પેજીસ સાથે પોતાના સભ્યો માટે અલાયદા વોટસએપ ગ્રુપ દ્વારા એસો. વ્યવસાય વિકાસ માટે એક મેકને નોલેજ અને માહિતિનું આદાન-પ્રદાન કરે છે.
એસો. – એજન્સીમાં બે વ્યક્તિ કાર્ય2ત હોય તો યુઅલ મેમ્બરશીપની સગવડતાં પણ આપે છે. દરેક સભ્ય એજન્સીને તેમની સ્ટેશનરીમાં ઉપયોગ લઈ શકાય તે રીતે મેમ્બરશીપ સર્ટીફીકેટ, યુનિક આઇડેન્ટીટી તેમજ બેજ પણ આપે છે.
એડવર્ટાઈઝીંગ ક્ષેત્રે સંકળાયેલ કોઈપણ એજન્સી – ટ્રેડીશ્નલ મિડિઆ, ડીજીટલ મિડિઆ, આઉટડોર કે વિશિષ્ઠ સર્વીસ આપનાર સભ્ય બની શકે છે. એસો.ની અખબા2ી યાદી એ જણાવે છે કે મેમ્બરશીપ માહિતી અને ફોર્મ મેળવવા માટે જયેશભાઈ સોના (99242 34642) કે નિલેશભાઈ ત્રિવેદી (98242 10323)ને સંપર્ક સાધી શકાય છે.
ફોર્મ અને ચેક પહોંચડાવાનું સ્થળ: ગિરિશભાઈ ત્રિવેદી – દ્રષ્ટિ કોમ્યુનિકેશન, બીજો માળ, ગેલેકસી કોમ. સેન્ટર, જવાહર રોડ, રાજકોટ રહેશે.
નવા મેમ્બરો માટે 15 થી 28 ફેબ્રુઆરી સુધી મેમ્બરશીપ ઓપન ક2વામાં અવેલ છે, તો મિડિઆ ક્ષેત્રે સંકળાયેલી દરેક એજન્સીઓએ આ સમય દરમિયાન અધિકૃત કોર મેમ્બર્સનો સંપર્ક કરવો.
