બાંગ્લાદેશના પૂર્વ PM શેખ હસીના, તત્કાલીન ગૃહમંત્રીને ફાંસીની સજા

2024ના સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન માનવતા વિરૂધ્ધ ગુનાઓ બદલ દોષિત માનતી આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ: તાજના સાક્ષી બનેલા પુર્વ પોલીસવડાને ફાંસીમાંથી મુક્તિ અહીંની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ…

2024ના સરકાર વિરોધી પ્રદર્શનો દરમિયાન માનવતા વિરૂધ્ધ ગુનાઓ બદલ દોષિત માનતી આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલ: તાજના સાક્ષી બનેલા પુર્વ પોલીસવડાને ફાંસીમાંથી મુક્તિ

અહીંની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (આઇસીટી)એ આજે 2024માં સરકાર વિરૂધ્ધ વિરોધ પ્રદર્શનો દરમિયાન બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના ગુનાઓ બદલ મૃત્યુદંડની સજા ફટકારી છે. જ્યારે હસીનાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી ત્યારે કોર્ટમાં હાજર પ્રેક્ષકો તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યા. ન્યાયાધીશ ગુલામ મુર્તઝાની આગેવાની હેઠળના ત્રણ ન્યાયાધીશોના ટ્રિબ્યુનલે 400 પાનાના છ ભાગમાં પોતાનો ચુકાદો આપ્યો. ચુકાદામાં હસીના સરકારના ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલને પણ ફાંસીની સજા થઇ છે. જયારે પૂર્વ પોલીસ વડા ચૌધરી અબ્દુલ્લા અલમામુનને દોષિત ઠરાવાયા છતાં તાજના સાક્ષી તરીકે જુબાની આપતાં મૃત્યુદંડને બદલે ઓછી સજા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઓગસ્ટ 2024ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હત્યાઓ માટે ટ્રિબ્યુનલે તેમને જવાબદાર ઠેરવ્યા. બળવા પછી શેખ હસીના ભારત ભાગી ગયા હતા અને છેલ્લા 15 મહિનાથી ત્યાં રહે છે. ત્રણ સભ્યોના ICT-BD એ 28 કાર્યકારી દિવસો સુધી કેસની સુનાવણી કરી. અંતે, 23 ઓક્ટોબરના રોજ, સુનાવણી પૂર્ણ થઈ, જેમાં 54 સાક્ષીઓએ કોર્ટ સમક્ષ જુબાની આપી હતી.

ન્યાયાધીશ મોહમ્મદ શફીઉલ આલમ મહમૂદ અને મોહમ્મદ મોહિતુલ હક ઇનામ ચૌધરીની આગેવાની હેઠળના ટ્રિબ્યુનલે ન્યાયાધીશ મોહમ્મદ શફીઉલ આલમ મહમૂદનો પણ સમાવેશ કર્યો હતો. ટ્રિબ્યુનલે તેના ચુકાદામાં એમ પણ કહ્યું હતું કે મોટી સંખ્યામાં વિરોધીઓ માર્યા ગયા હતા. શેખ હસીનાએ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર હેલિકોપ્ટર બોમ્બમારાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલે એમ પણ કહ્યું હતું કે અવામી લીગના કાર્યકરો કથિત રીતે રસ્તાઓ પર ઉતર્યા હતા અને પક્ષના નેતૃત્વની સંપૂર્ણ જાણકારી સાથે પૂર્વયોજિત હુમલાઓ કર્યા હતા.

હિંસામાં આવામી લીગના ટોચના નેતૃત્વની ભૂમિકા સ્થાપિત કરવા માટે ટ્રિબ્યુનલે શેખ હસીના અને તેમના મંત્રી હસનુલ હક ઇનુ વચ્ચે થયેલી ઘણી ફોન વાતચીતનો પણ ખુલાસો કર્યો છે. તેમાં શેખ હસીનાએ વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનોને આતંકવાદી કૃત્યો તરીકે કેવી રીતે દર્શાવવાનો પ્રયાસ કર્યો તેની વિગતો આપવામાં આવી છે.
ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ બાંગ્લાદેશી સુરક્ષા દળો દ્વારા સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઘાતક ધાતુના છરાઓથી ભરેલી લશ્કરી બંદૂકોમાંથી છોડવામાં આવેલી ગોળીઓથી થયા હતા. શેખ હસીનાની સરકાર હેઠળ, સેના, પોલીસ અને છઅઇ એ ન્યાયિક હત્યાઓ કરી હતી. શેખ હસીના અને અન્ય આરોપીઓએ સંયુક્ત રીતે કાવતરું ઘડ્યું હતું.

ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે ઘણા વિડિઓઝમાં હેલિકોપ્ટરમાંથી લોકો પર ગોળીબાર દર્શાવવામાં આવ્યો હતો. ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ ન કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. એક વિડિઓમાં એક પ્રદર્શનકારીને બંને આંખોમાંથી લોહી વહેતું અને મદદ માટે વિનંતી કરતો દર્શાવવામાં આવ્યો હતો. કેટલાક વિરોધીઓને પાંચ મીટરના અંતરેથી ગોળી મારી દેવામાં આવી હતી, અને ઘણાને ઘણી વખત ગોળી મારી દેવામાં આવી હતી.

સરકાર વિરોધી તોફાનોમાં 1400થી વધુ લોકો માર્યા ગયા હતા

ટ્રિબ્યુનલના જણાવ્યા મુજબ, આશરે 1,400 લોકો માર્યા ગયા હતા અને 11,000 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી. ટ્રિબ્યુનલે ભારપૂર્વક નોંધ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રએ પણ અવલોકન કર્યું હતું કે રાજકીય નેતૃત્વના નિર્દેશો પર કસ્ટડીમાં ત્રાસ આપવામાં આવ્યો હતો. આવી ઘટનાઓના અસંખ્ય અહેવાલો છે. મોટી સંખ્યામાં વિડિઓઝ પણ જપ્ત કરવામાં આવ્યા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે.

ચૂકાદાને પક્ષપાતિ અને રાજનીતિથી પ્રેરિત ગણાવતા શેખ હસીના
આજે ઈન્ટરનેશનલ ટ્રીબ્યુનલે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના અને પૂર્વ ગૃહમંત્રીને સજાએ મોતનો ફેંસલો સંભળાવ્યો હતો. જેની સામે શેખ હસીનાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. હાલમાં ભારતમાં આશ્રય લઈ રહેલા શેખ હસીનાએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ટ્રીબ્યુનલનો ચુકાદો સંપૂર્ણ રીતે પક્ષપાતિ છે. આ ચુકાદો રાજકીય ચંચુપાતને કારણે આવેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *