જામનગર શહેરમાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર ફ્લાયઓવરબ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે. આ બંને પ્રોજેક્ટ માટે કુલ રૂ.1183 લાખનો ખર્ચ થશે.મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા નકશા અને અંદાજ મુજબ, ઠેબા ચોકડી પર રૂ.7397 લાખના ખર્ચે અને સમર્પણ સર્કલ પર રૂ.4434 લાખના ખર્ચે ફ્લાયઓવરબ્રિજ બનાવવામાં આવશે.
આ બંને પ્રોજેક્ટ માટેની ટેન્ડર નોટિસ તા. 2 ડિસેમ્બરના રોજ મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યોગ્ય એજન્સીને કામ સોંપવામાં આવશે અને ત્યારબાદ બંને ફ્લાયઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂૂ થશે.આ પ્રોજેક્ટથી શહેરમાં કાલાવડ અને ખંભાળિયા તરફથી આવતા વાહનોને ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર લાગતા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. આ સાથે જ શહેરના ટ્રાફિક સિસ્ટમમાં સુધારો થશે અને વાહનચાલકોને સરળતાથી તેમના ગંતવ્ય સુધી પહોંચવામાં મદદ મળશે.
જામનગર શહેરમાં કાલાવડ તેમજ ખંભાળિયા તરફથી પ્રવેશદ્વારના મુખ્ય સ્થાન પર ટ્રાફીક જામની સમશ્યા નિવારવાની દિશામાં મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. આ બંને સ્થળ ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર રૂૂા. 1183 લાખના ખર્ચે બે ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવશે. મહાપાલિકાએ તૈયાર કરેલા નકશા-અંદાજ મુજબ ઠેબા ચોકડી (બાયપાસ જંકશન) પર રૂૂા. 7397 લાખના અંદાજીત ખર્ચે અને સમર્પણ સર્કલ પર અંદાજે રૂૂા. 4434 લાખના ખર્ચે ફલાય ઓવરબ્રીજનું નિર્માણ થશે. આ માટેની ટેન્ડર નોટિસ પણ જામનગર મનપાએ આપી દીધી છે. અને આ બંને ટેન્ડર તા. 2.12 ના રોજ મનપાની વેબ સાઈટ પર ઓનલાઈન મૂકવામાં આવશે. આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી એજન્સી નકકી તશે અને પછી આ બંને બ્રીજનું નિર્માણ કાર્ય હાથ ધરાશે.