શનિવારે સવારે બક્સરમાં ગુનેગારોએ એક જ પરિવારના પાંચ સભ્યોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આમાં ત્રણ સગા ભાઈઓનું મૃત્યુ થયું. બે લોકોની હાલત ગંભીર છે. આ ઘટના શનિવારે સવારે જિલ્લાના રાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અહિયાપુર ગામમાં બની હતી. આ ઘટનાના વિરોધમાં ગામલોકોએ અને પરિવારના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લોકોએ ટ્રકો મૂકીને રસ્તો બ્લોક કરી દીધો.
સ્થાનિક લોકોનું કહેવું છે કે અહિયાપુર ગામના વિનોદસિંહ યાદવ અને સુનીલસિંહ યાદવનો શુક્રવારે ગામના કેટલાક લોકો સાથે કાંકરી-રેતીના ધંધાને લઈને વિવાદ થયો હતો. ઝઘડા પછી, ત્રણેય આજે સવારે પાંચ વાગ્યે નહેર પાસે ચાલી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક ગુનેગારો કારમાં આવ્યા અને ગોળીબાર શરૂૂ કરી દીધો. આમાં ત્રણેય ભાઈઓને ગોળી વાગી હતી. તેમને બચાવવા આવેલા પરિવારના અન્ય સભ્યોને પણ ગોળી વાગી હતી. આ ઘટનામાં વિનોદસિંહ યાદવ અને સુનીલસિંહ યાદવનું મોત નીપજ્યું હતું, જ્યારે વીરેન્દ્રસિંહ યાદવ, પુંજસિંહ યાદવ સહિત ત્રણ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક કોચાસની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની હાલત ગંભીર હોવાથી તેમને બનારસ રિફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન વીરેન્દ્ર સિંહ યાદવનું પણ મૃત્યુ થયું. વહીવટીતંત્રે પણ આ વાતની પુષ્ટિ કરી છે. બીજા ઘાયલ પુંજસિંહ યાદવની હાલત હજુ પણ ગંભીર છે.
