ગુજરાત
અતિવૃષ્ટિથી બગડી ગયેલા પાક સાથે ખેડૂતો પહોંચ્યા ખંભાળિયા કલેક્ટર કચેરી
દ્વારકા જિલ્લામાં થયેલી નુકસાનીનો સરવે કરાવી વળતર આપવા માંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. ચોમાસાના ચાર મહિના ખેડૂતોના ખરીફ પાકો પાણીમાં જ ડૂબેલા રહ્યા છે એવું કહેવાય છે ત્યારે પાકોને વધારે પડતું પાણી મળવાના કારણે તેનો વિકાસ વૃદ્ધિ થવી જોઈએ તે થયો નહિ. છેલ્લા 10 વર્ષની સરખામણીએ દર વર્ષે વિધે 30 મણ મગફળી ઉતરતી હોય તો આ વર્ષે તે 8 થી 10 મણ જ ઉતરશે એટલે કે સીધું 60 થી 70 ટકા નુકશાન પરોક્ષ રીતે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે, તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.
આ ઉપરાંત 18 જુલાઈથી 22 જુલાઈ અને 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટ વચ્ચે જે અતિવૃષ્ટિ થઈ તેણે ખેડૂતોના પાકો તો ધોઈ નાખ્યા છે સાથે સાથે જમીન પણ ધોઈ નાખી છે. દ્વારકા જિલ્લામાં 30 થી 40 ટકા ખેડૂતો એવા છે કે જેણે ત્રણ ત્રણ વખત પાકના વાવેતર કર્યા છે. ચોમાસાની અતિવૃષ્ટિમાંથી જે પાકો માંડ માંડ જીવ બચાવી ઉભા રહ્યા હતા. ખેડૂતોએ તે પાકોમાં અનેક વખત ખાતર પોતર કરી, દવાઓ છાંટી ખૂબ માવજત કરી પાકોને બચાવ્યા અને હવે જ્યારે તેને લણણી કરવાનો સમય આવ્યો, ત્યારે જ કમોસમી વરસાદ થયો. જે ખેડૂતોએ પાક ઉપાડી લીધો હતો, તેનું તો સર્વસ્વ લૂંટાઈ ગયા સમાન છે. પણ જે ખેડૂતોએ કમોસમી વરસાદની આગાહી સાંભળી ઉપાડવાનું માંડી વાળ્યું હતું તેના પાકો પણ જમીનમાં હોવા છતાં તેમાં પણ ખૂબ મોટી નુકશાની છે.
ઉપરોક્ત બાબત રજૂ કરી અને ગુજરાતી કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલીયાના વળ પણ હેઠળ જિલ્લાના ખેડૂતોએ એકત્ર થઈ અને ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. અતિવૃષ્ટિ જેવા વરસાદના કારણે બગડી ગયેલા મગફળીના છોડ સાથે આવેલા ખેડૂતોએ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકશાન બદલ તેનો સર્વેની કામગીરી આજથી ચાલુ કરવામાં આવે સર્વેના રિપોર્ટ તૈયાર કરી, રાજ્ય સરકારને તાત્કાલિક મોકલી આપવામાં આવે તેવી માંગ કરી છે. દ્વારકા જિલ્લાને કેન્દ્ર સરકારના 2016 ના અછતગ્રસ્ત મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં દ્વારકા તાલુકામાં 393 ટકા, કલ્યાણપુર તાલુકામાં 225 ટકા અને ખંભાળીયા તાલુકામાં 267 ટકા તથા ભાણવડ તાલુકામાં 224 ટકા, વરસાદ ચાલુ વર્ષે નોંધાયો છે. છેલ્લા 30 વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દ્વારકા જિલ્લાનો સરેરાશ વરસાદ 267 ટકા થયો છે. જે ગુજરાતમાં સૌથી વધારે છે.
ક્રાઇમ
રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા
રાજ્યમાં દિવાળી પહેલાં જ EDએ 23થી વધુ જગ્યાઓ પર દરોડા પાડયા છે. બનાવતી કંપનીના મામલામાં હવે EDએ એન્ટ્રી કરી છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ સુરત, કોડીનારમાં દરોડા પાડવામાં આવ્યા છે. EDએ નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. CGSTના કૌભાંડ અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં અમદાવદ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત કોડીનાર સહીત ૭ શહેરોના ૨૩ થી વધુ જગ્યાઓ પર ઇડીએ દરોડા પડ્યા હતા. 200થી વધુ નકલી કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસ બાદ કેન્દ્રીય એજન્સી ત્રાટકી છે, આ કેસમાં અગાઉ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કરોડો રૂપિયાના GST કૌભાંડ મામલે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બોગસ કંપની બનાવીને બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર, ધ્રુવીના સંચાલક દેવરાણી સહિત પાંચની ધરપકડ કરી હતી.
ક્રાઇમ
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.
ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.
આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
ગુજરાત
કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો
અગાઉના ઝઘડામાં વચ્ચે પડવાના મન દુ:ખથી કરાયો હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ માં રહેતા એક દલિત યુવાન પર જૂની અદાવત ના મન દુ:ખના કારણે તલવાર- ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે એક દંપતિ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં આંબેડકર નગરમાં રહેતા કરણ ભીખાભાઈ ધમમર નામના 21 વર્ષના યુવાને પોતાના ઉપર તલવાર -ધોકા-લાકડી જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કાલાવડમાં રહેતા અશોકભાઈ અને તેની પત્ની ભાવનાબેન ઉપરાંત બે પુત્ર કરણ અશોકભાઈ અને અર્જુન અશોકભાઈ સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાન ને હોસ્પિટલમાં ખસેડાયો છે, અને તેને 15 ટાંકા લેવા પડ્યા છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાનના મિત્ર અને આરોપી સાથે અગાઉ ઝઘડો થયો હતો, તેમાં વચ્ચે આવવા બદલ આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે તમામ આરોપીઓ સામે હુમલા તથા એસ્ટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય21 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય21 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત