Notice: Trying to get property 'slug' of non-object in /home/gujaratmirror/public_html/wp-content/plugins/sortd/admin/class-sortd-redirection.php on line 441
Connect with us

સૌરાષ્ટ્ર

નશીલા સિરપના કાળા કારોબારમાં નશાબંધીના અધિકારીની પણ સંડોવણી !

Published

on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અનધિકૃત રીતે વેચાતા આયુર્વેદિક પીણાંની આડમાં આરોગ્યને નુકસાનકર્તા એવા કેફી પીણું ભરેલા સીરપની બોટલનો તોતિંગ જથ્થો પોલીસે પકડી પાડી, આ પ્રકરણમાં સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર કામગીરી કરી છે. દ્વારકા જિલ્લા પોલીસે કથિત આયુર્વેદિક ઔષધીઓનો કાયદાકીય છૂટછાટનો ગેરલાભ ઉઠાવી અને ચાલાકીપૂર્વક કરોડો રૂૂપિયાનો ધીકતો ધંધો કરતા વ્હાઈટ કોલર બુટલેગરોને પકડી પાડ્યા છે. આ પ્રકરણમાં નશાબંધી અધિકારી સહિત ચાર શખ્સોને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ ખાતે થોડા સમય પૂર્વે બે દુકાનદારો પાસેથી સેલ્ફ જનરેટેડ આયુર્વેદિક સીરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં વિવિધ રીતે સંકળાયેલા દુકાનદારો, હોલસેલ વીક્રેતાઓ, ઉત્પાદકો, સીરપ કંપનીના મેનેજર, વિગેરે સહિત આઠ શખ્સોની દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ધરપકડ કરી હતી.
આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં વિવિધ મહત્વની બાબત પ્રકાશમાં આવી હતી. પોલીસ સૂત્રો દ્વારા આ અંગે જણાવ્યા મુજબ સંજય શાહ નામના એક આસામી દ્વારા થોડા સમય પૂર્વે હર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. જ્યાં અમિત વસાવડા કે જેની પાસે આયુર્વેદિક ક્ષેત્રનું કોઈ જ્ઞાન ન હતું, તેની આયુર્વેદિક ફોર્મ્યુલેશનની કામગીરી કરવામાં આવતી હતી. તેની સાથે રાજેશ દોકળે અને માર્કેટિંગ અને પ્રોડક્શનનું કામ સંભાળતા સુનિલ કક્કડનું નામ જાહેર થયું છે.
આ કંપની આસવ અરિષ્ઠા આયુર્વેદ બાબતે સરકાર દ્વારા આલ્કોહોલ બાબતે નક્કી કરવામાં આવેલા નિયમોની છૂટછાટનો દુરુપયોગ કરી અને ચાલાકીપૂર્વક આયુર્વેદિક પીણાંના નામે આલ્કોહોલિક બિયરનો ધંધો કરતા હતા. જે કંપનીમાં વાર્ષિક 80 થી 90 લાખ જેટલી બોટલનું પ્રોડક્શન તેમજ આશરે રૂૂપિયા 20 થી 22 કરોડ રૂૂપિયાનું વેચાણ થતું હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ આયુર્વેદ બાબતે લાયકાત વગરનો અમિત વસાવડા દ્વારા તેની ઓછી સમજ વચ્ચે સીરપમાં આયુર્વેદિક ફોર્મ્યુલેશન બનાવાયું હતું. જે આયુર્વેદ નિષ્ણાત દ્વારા ચકાસવામાં આવતા આ પ્રોડક્ટમાં લેબલમાં દર્શાવેલા માપ કરતા આયુર્વેદિક તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરવામાં આવ્યા હતા. જેથી આયુર્વેદિક પીણાંમાં દવાનો સ્વાદ કે સુગંધ આવે નહીં. કંપનીનો ઇરાદો પ્રથમથી જ આસવ અરિષ્ઠા બનાવવાની જગ્યાએ બિયર બનાવવાનો હતો. આવા પીણામાં બીયરનો સ્વાદ અને સુગંધ આવે તે માટેની તકેદારી રાખવામાં આવતી હતી.
બીયર ઇન્ડસ્ટ્રીમાં વપરાતા હોપ્સ ફલાવરના બિયારણના એક્ટ્રેક્ટ ઉમેરવામાં આવતું. જેથી બિયર જેવી બીટરનેસ (તુરાશ) આવે. જે બાબતનો કોઈ ઉલ્લેખ ફોર્મ્યુલેશનમાં જણાવ્યો નથી અને જે હોપ્સ જે કંપની પાસેથી મંગાવવામાં આવતું, તેનો નાણાકીય વ્યવહાર પણ ખાનગી રીતે કરવામાં આવતો હતો. સરકાર દ્વારા આસવ અરિષ્ઠામાં 12 ટકા આલ્કોહોલ વાપરવાની પરવાનગી આપવામાં આવેલ. જેનો હેતુ ઔષધીય તત્વોનું પ્રિઝર્વેશન 10 વર્ષ સુધી થઈ શકે તે માટેનો હતો. આ કંપનીમાં નશો થાય તે માટે આલ્કોહોલની માત્રા મેક્સિમમ રાખવા માટે પ્રોડક્શન ટીમને સૂચના આપવામાં આવતી હતી.
વધુમાં પીણાની બોટલોનો કલર અંબર કલર જેવો હોવો જોઈએ જેથી સૂર્યપ્રકાશથી તેની અંદર રહેલા તત્વોને કોઈ નુકસાન ન થાય. પરંતુ કંપનીવાળા પ્રોડક્ટનું વેચાણ વધારવા અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે માર્કેટમાં ટ્રેન્ડ ઉપર ચાલતા પીણાંના બોટલના કલર જેવી જ બોટલો માર્કેટમાં ઠાલવતા હતા.
પ્રિઝર્વેટીવ અને ક્લિનિંગ પાઉડરનો ઉપયોગ તેમજ બિયર જેવો ટેસ્ટ લાવવા હોપ્સનો ઉપયોગ કરવામાં આવતો તે બાબતે પ્રોડક્શન પ્રોડક્ટ ઉપર ફોર્મ્યુલેશન સ્ટીકરમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવતો ન હતો. આ પ્રકારની સીરપના બનાવટમાં સરકારના તમામ નિયમોને અનુસરવામાં આવતા ન હતા. ફેક્ટરીમાં ક્વોલિટી કંટ્રોલ લેબ પણ ન હતી.
તમામ પ્રોડક્ટના સેમ્પલ લેવાના બદલે એક જ સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલવામાં આવતું હતું. આયુર્વેદનો અભ્યાસ કરેલો ન હોય તેમજ આયુર્વેદના જાણકાર ના હોય તેવા કર્મચારીઓ અહીં કામ કરતા હતા. આ કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષમાં ક્યારેય પણ કોઈ ઇન્સ્પેક્શન કરવા આવ્યું ન હતું. પરંતુ છેલ્લે જુલાઈ 2023 ના માસમાં ઇન્સ્પેક્શન આવ્યું હતું અને ઘણી ખામીઓ દર્શાવવામાં આવી હતી. જે બાબતે નામ માત્રનું ક્વોલિટી એસ્યોરન્સ કંટ્રોલ બનાવેલ હતો.
હર્બોગ્લોબલ કંપની દ્વારા કરવામાં આવેલા પ્રોડક્શનને આ જ કંપનીના માલિકો દ્વારા એ.એમ.બી. નામની ડમી લોન ફોર્મ બનાવી તેની મદદથી પ્રોડક્ટને માર્કેટમાં મૂકવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં અમદાવાદની સી.ઓ. એન્ટરપ્રાઇઝ કે જેની પાસે એસ.એ. – 2 લાયસન્સ હતું, તેના દ્વારા વેચાણ કરવામાં આવતું હતું. સરકારના નશાબંધી અધિકારી મેહુલ ડોડીયા દ્વારા શિવમ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ કંપનીના સિસ્ટમ મેનેજમેન્ટ માટે મેહુલ ડોડીયાને કંપનીનો બે/તૃતીયાંશ પાર્ટનર બનાવી દેવામાં આવ્યો હતો. જેના બદલામાં તેણે નશાબંધી અધિકારી તરીકે વીઆરએસ લઈ અને રિટાયરમેન્ટ બાદ શિવમ એન્ટરપ્રાઇઝમાં પાર્ટનર તરીકે જોડાવાનું આગોતરું આયોજન કર્યું હતું.
આ કંપનીના ડીસ્ટ્રીબ્યુટરની પૂછપરછમાં કંપની સાથે વાતચીતમાં પમજા આવશેથ, પકરંટ આવશેથ, પકીક મળશેથ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો. મહદ અંશે નશાની ડિમાન્ડ ધરાવતા સૌરાષ્ટ્રને આ કંપની દ્વારા જાણે ટાર્ગેટ કરવામાં આવતું હતું. પથરી અને અનિદ્રાના વધુ પડતા દર્દીઓ સૌરાષ્ટ્રમાં હોય, આવી સીરપનું વેચાણ સૌરાષ્ટ્રમાં દિન-પ્રતિદિન વધી રહ્યું હતું.
આવા આયુર્વેદિક પીણાંને કોઈ ડોક્ટર તેમના પ્રિસ્ક્રિપ્શનમાં લખતા ન હતા. ફક્ત અને ફક્ત પાન મસાલાના ગલ્લાવાળાઓ જ તેનું વેચાણ કરતા હતા. આવા સીરપ કયા રોગમાં કેવી રીતે ઉપયોગ કરવા, કયા પ્રકારના ઉપચાર માટે ઉપયોગી છે, તેવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ બોટલના લેબલ ઉપર કરવામાં આવતો ન હતો. પાનગલ્લા ઉપર આયુર્વેદિક બોટલ લેવા જાય ત્યારે લાલ ઘોડા, લીલા ઘોડા જેવા નામથી પ્રોડક્ટની ઓળખ આપતા હતા. આ લેબલ અંગ્રેજી ભાષામાં હતું જેથી આયુર્વેદિક તજજ્ઞ જ તેને સમજી શકે. જે બાબતે દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી વિભાગના પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી દ્વારા અવિરત રીતે ઊંડાણપૂર્વકની તપાસ અને સંશોધનમાં વિવિધ ગંભીર મુદ્દાઓ પણ પ્રકાશ પડ્યો હતો.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

મોરબી-વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન બંધ પડતા અનેક મુસાફરો રઝળ્યા

Published

on

By

રફાળેશ્ર્વર-મકનસર વચ્ચે અચાનક ડેમુ ટ્રેન બંધ પડી ગઇ, વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામા ન આવતા મુસાફરોમાં રોષ

આજે વહેલી સવારે મોરબીથી છ વાગ્યે ઉપડેલી મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે બંધ પડી જતા અંદાજે 300થી 400 જેટલા મુસાફરો અટવાઈ ગયા હતા. મોટાભાગના મુસાફરો વાંકાનેરથી ઇન્ટરસિટી સહિતની કનેકટિંગ ટ્રેન પકડવા માટે ડેમુમાં મુસાફરી કરી રહ્યા હોય ડેમુ ખોટવાતા તમામ મુસાફરો રઝળી પડ્યા હતા.


પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં કાયમી કોઈને કોઈ ધાંધિયા હોય છે ત્યારે ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર વચ્ચે ખટકાઈ જતા વાંકાનેર રેલવે સ્ટેશનથી ઇન્ટરસિટી તેમજ અન્ય લાંબા અંતરની ટ્રેનમાં મુસાફરી માટે નીકળેલા 300થી 400 જેટલા મુસાફરો હેરાન પરેશાન થઇ ગયા હતા.


બીજી તરફ માંડ કરીને વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં ન આવતા મુસાફરોમાં રોષ વ્યાપી ગયો હતો. મુસાફરોની હેરાનગતિ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધકે પણ ઉડાઉ જવાબ આપતા આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી.

Continue Reading

કચ્છ

રણ મહોત્સવની ટેન્ડર પ્રક્રિયામાં વિલંબથી કચ્છના હોટેલ ઉદ્યોગકારોમાં ચિંતાની લાગણી

Published

on

By

ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા બેઠકમાં વ્યક્ત કરાયો સૂર

કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થતાં રણોત્સવ આયોજન લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે. ભુજ ખાતે આજે કચ્છ હોસ્પિટાલિટી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં રણોત્સવના આયોજન અને ટૂરિઝમ ઉદ્યોગને વિકાસ લગતા જરૂૂરી સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને રણ મહોત્સવના આયોજન સામેના વિઘ્નો દૂર કરવા માંગણી કરાઈ હતી.


કચ્છના ધોરડોના સફેદ રણમાં યોજાતા રણોત્સવે લોકોમાં ભારે આકર્ષણ ઉભું કર્યું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવે છે. આ વર્ષે રણોત્સવના આયોજન લઈને અસમંજસની સ્થિતિ ઉભી થઈ છે. ટેન્ટસિટીના ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થવાના કારણે રણોત્સવના આયોજન અંગે મુંઝવણ ઉભી થઈ છે. કચ્છ હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ગઈકાલે મહત્વની બેઠક મળી હતી. જેમાં રણોત્સવ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી.


બેઠકમાં લાગણી વ્યક્ત કરાઈ હતી કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અમિતાભ બચ્ચનની સુંદર એડ બનાવીને રાષ્ટ્રીય ફલક પર પ્રસારિત કરવામાં આવી હતી, જેના લીધે કચ્છ સહિત ગુજરાતના પ્રવાસનને ભારે વેગ મળ્યો હતો. પુન: આ જુની એડ ચાલુ કરાવવી તેમજ અન્ય એક નવી એડ કોઈ સેલિબ્રિટી પાસે કરાવીને એને પણ ઈન્ડિયા લેવલે પ્રસારિત કરવામાં આવે અને રણોત્સવ દરમિયાન ગુજરાત ટુરિઝમ દ્વારા દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેથી પ્રવાસીઓ કચ્છની સંસ્કૃતિને માણી શકે.


રણોત્સવ દરમિયાન ટેન્ટસીટીની બહાર આવેલા ગ્રામ હાટ માર્કેટ તેમજ વિવિધ એક્ટિવિટીનો દિવાળીથી પ્રારંભ કરવામાં આવે છે. અગાઉ પાટનગર ભુજ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કચ્છ કાર્નિવલનું અદભુત આયોજન થતું હતું, જે પુન: ચાલુ કરવા માટે માગ કરી છે. રણોત્સવ દરમિયાન ધોરડો ખાતે ઓછામાં ઓછા પાંચથી છ નવા ઈવેન્ટ અથવા ફેસ્ટીવલ શોનું આયોજન કરવામાં આવે તો પ્રવાસીઓમાં આકર્ષણ ઉભું થઈ શકે તેમ છે.

Continue Reading

ગુજરાત

પુત્રના મૃત્યુના કલાકોમાં જ માતાનું હૃદય બેસી ગયું

Published

on

By


જામનગરમાં બીમાર પુત્રના મોતના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડેલી માતાએ પણ અંતિમ શ્વાસ લેતા અરેરાટી મચી ગઈ છે. 24 કલાકમાં જ માતા-પુત્રના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાયેલ છે.
મળતી વિગતો મુજબ ડો. બક્ષીના દવાખાના પાસે રહેતા સાવન વસંતભાઇ કનખરા એકાદ વર્ષથી પેરાલીસિસ એટેક બાદ તેઓ પથારીવસ હતા. જેનુ ગઇકાલે નિધન થયું હતું. યુવાને ગઈકાલે આખરી શ્વાસ લીધા બાદ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.


મૃતક યુવાનની અંતિમવિધિમાં જોડાયા હતા. ભારે રોકકળ વચ્ચે અંતિમક્રિયા કરાયાના ગણતરીની કલાકોમાં મૃતક યુવાનના માતા ભાનુબેન વસંતભાઇ કનખરાને હાર્ટ એટેક આવ્યો હતો. પુત્રના મોતના આઘાતમાં માતાનું હદય થંભી જતાં તેનું પણ કમકમાટીભર્યું મોત થયું હતું.

Continue Reading
રાષ્ટ્રીય10 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય10 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય10 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય11 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય11 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય11 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત11 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય11 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ11 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય11 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય10 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કચ્છ2 days ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending