Connect with us

આંતરરાષ્ટ્રીય

પિતાજીના સ્વપ્ન માટે અમેરિકાથી આહવાની સફર ખેડી ડો. નિરાલી પટેલે

Published

on

વિદેશમાં વસી વતનની ચિંતા કરનાર ડો. અશોક પટેલે આહવામાં હોસ્પિટલ શરૂ કરતા પહેલાં જ કોરોનામાં વિદાય લીધી ત્યારે આ કામ પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું દીકરી ડો.નિરાલી પટેલે

આજથી દોઢ દાયકા પહેલાની વાત છે.અમેરિકાના બોસ્ટન શહેરમાં બનેલી આ સત્ય ઘટના કોઈ નવલકથા કે ફિલ્મની વાર્તાથી કમ નથી.એક ઇટાલિયન પેશન્ટ ભારતીય ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવવા આવે છે.તેને રાધાકૃષ્ણ પ્રિય એટલે આ વિષે બંને વાતો કરતા.અવારનવાર મળવાનું થતાં બંને વચ્ચે પિતા-પુત્ર જેવો સંબંધ થઈ ગયો.થોડા સમયના અંતરાલ બાદ એ પેશન્ટ બીમાર થયા, અંતિમ ક્ષણોમાં વકીલની હાજરીમાં તે પોતાના પુત્ર જેવા ડોક્ટરને બોલાવે છે અને પોતાની બધી જ પ્રોપર્ટી એ ડોક્ટરના નામે કરે છે.

ભારતીય પરિવાર અને સંસ્કાર વચ્ચે ઉછરેલા ડોક્ટરના પિતાજી જણાવે છે કે અન્યની સંપત્તિ આ રીતે લેવી યોગ્ય નથી. તે પેશન્ટના પરિવારજનોને શોધવાનો પ્રયત્ન કરે છે જેમાં લાંબા સમયથી છૂટા પડી ગયેલા પત્ની અને પુત્ર મળે છે પરંતુ તે લોકો પણ સંપત્તિ સ્વીકારવાનો ઇનકાર કરે છે અને અંતે ડોક્ટર આ સમગ્ર સંપત્તિ સદ્કાર્યમાં વાપરવાનો નિર્ણય કરે છે. તે પેશન્ટની અંતિમ ક્રિયા પણ ડોક્ટરે જ કરી અને અસ્થિ પધરાવવા ભારત આવે છે ત્યારે પોતાના વતન સુરત નજીક ડાંગ જિલ્લામાં સગવડતાનો અભાવ જુએ છે.

પૈસા તો હતા પરંતુ પરિશ્રમની આવશ્યકતા હતી.અમેરિકાથી સતત આવ-જા કરીને 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કાર્ય કર્યું,પરંતુ વિધાતાના ખેલની કોઈને ક્યાં ખબર પડે છે? આહવામાં હોસ્પિટલનું કામ પૂર્ણ થવામાં હતું ત્યાં જ કોરોનાના કઠિનકાળમાં ડોક્ટરે વિદાય લીધી અને તેમનું આ સ્વપ્ન પૂરું કરવાનું બીડું ઉઠાવ્યું તેમની નાની દીકરી ડો.નિરાલી પટેલે. અમેરિકામાં બેઠા બેઠા પણ વતનની ચિંતા કરનાર એ ડોકટર પિતા એટલે ડો.અશોક પટેલ.તેમની વિદાય બાદ અમેરિકાથી આહવાની ધરતી પર અનેક કઠિનાઈઓ વચ્ચે આજે ડો.નિરાલી પટેલ સફળતાપૂર્વક હોસ્પિટલની કામગીરી સંભાળે છે તે કાબિલેદાદ છે.


ડો.નિરાલી જણાવે છે કે, ‘24 ડિસેમ્બર 2020, કોવિડમાં પિતાજીએ વિદાય લીધી ત્યારે તેમના અંતિમ સમયમાં હું એક જ તેમની પાસે હતી એ મને ભગવાનનો સંકેત લાગ્યો અને એટલે જ તેમનું આ સ્વપ્ન પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો. જે સ્ત્રીએ હજુ હમણાં જ પતિ ગુમાવ્યો હતો તે પોતાની દીકરીને પોતાનાથી દૂર જવા દેવા માગતી નહોતી પરંતુ માતા સરોજબેન પટેલને અમે બંને બહેનોએ લાગણીથી સંભાળ્યા.ત્રણ મહિનાના સમયની મહોલત લઈ હું ગુજરાત આવી અને મોટી બહેન ડો.નતાશાએ અમેરિકામાં પિતાનું ક્લિનિક સાંભળ્યું. આહવાની જમીન પર પગ મૂકતાં જ જાણે પિતાજીના સ્મરણો વધુ ઉત્કટતાથી અનુભવાયા અને ગમે તે થાય અહીં જ કામ કરવા મન મક્કમ કર્યું પરંતુ સ્વપ્નાઓથી જોજનો દૂર એવી હકીકતનો સામનો કરવાનું ખૂબ કઠિન હતું.’


સામાન્ય લોકો માટે બનાવાયેલ વનબંધુ આરોગ્યધામનું બાકી રહેલ કામ પૂરું કરવા ડો.નિરાલીને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. સૌપ્રથમ અહીંના લોકોની માનસિકતા સમજવામાં મુશ્કેલી પડી કારણકે કોઈ બીમાર પડે તો ડોક્ટર પાસે જવા કરતા ચર્ચના પાદરી પાસે કે પછી ભગવાનનું શરણ લેતા. બીજું સંસ્થા કે હોસ્પિટલ ચલાવવાનો અનુભવ નહોતો. બધા ડોક્યુમેન્ટસ પિતાજીના નામે હોવાથી તે પ્રક્રિયામાં પણ ઘણી તકલીફો આવી પરંતુ જાણે કોઈ અદૃશ્ય શક્તિ મદદ કરતી હોય તેમ ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું.

શરૂઆતમાં એક નર્સ અને એક લેબ ટેક્નિશિયન સાથે ક્લિનિકની શરૂૂઆત કરી જેથી લોકો સારવાર માટે આવી શકે, ત્યારબાદ ધીમે ધીમે અન્ય ડોક્ટર અને સંસ્થાઓ જોડાતા ગયા અને પેશન્ટ પણ આવવા લાગ્યા. જ્યાં પ્રાથમિક સારવારનો પણ અભાવ હતો ત્યાં હોસ્પિટલ સાથે ડોક્ટર નિરાલી આંખ, દાંત, સર્જિકલ એમ જુદા જદા કેમ્પ કર્યા. એક સમયે પિતાજી બિલકુલ ફ્રીમાં દવા આપતા ત્યારે લોકોને તેની કિંમત નહોતી અને દવા રસ્તા પર ફેંકી દેતા જેના કારણે હાલ તેઓ નોમીનલ ફી સાથે સારવાર કરે છે. જે લોકો બિલકુલ ખર્ચ કરી શકે તેમ ન હોય તેને નિ:શુલ્ક પણ સારવાર આપે છે. એક સમયે ત્રણ વ્યક્તિ સાથે શરૂૂ કરેલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ બાદ 30 લોકોનો સ્ટાફ છે. લોકોનો પ્રેમ પણ ખૂબ મળે છે. ઘણી વખત ફ્રીમાં દવા લઈ જતી વ્યક્તિ ફરી આવે ત્યારે નાની પોટલીમાં જુદા જુદા અનાજ લાવે છે ત્યારે નિરાલી ખરેખર લાગણીશીલ થઈ જાય છે અને એ સ્વીકારીને તેનું માન રાખે છે.


અત્યારની પરિસ્થિતિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે દરરોજ નવા પડકાર આવે છે પરંતુ શરૂૂઆતનો સમય યાદ કરું ત્યારે અત્યારની મુશ્કેલી ખૂબ નાની લાગે છે. હોસ્પિટલને બધી સવલતોથી સજ્જ કરવા માટે એક્સ-રે, સોનોગ્રાફી મશીન સહિતના ખર્ચ માટે બહેન, પિતાજીના મિત્રો, તેમજ પરિવારજનો નિયમિત રીતે આર્થિક મદદ કરે છે. પિતાજીના સ્વપ્નને પૂર્ણ કરવા આહવાને પોતાનું બનાવનાર ડો. નિરાલી પટેલને આ સ્વપ્ન ક્યારે પોતાનું બની ગયું તે ખબર પણ ન પડી.ભવિષ્યમાં તેઓ આ હોસ્પિટલને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી ધરાવતી હોસ્પિટલ બનાવવા માગે છે અને ટીચિંગ ઇન્સ્ટિટયૂટ પણ શરૂ કરવા માગે છે. ડો. નિરાલી પટેલને તેમનું સ્વપ્ન સાકાર થાય તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા……

એક અજાણ્યા પેશન્ટે પોતાનું વસિયતનામું કોઈ સ્વાર્થ વગર ડોક્ટરના નામે કર્યું અને શરૂ થયો સેવા અને સત્કાર્યોનો આ યજ્ઞ

WRITTEN BY : BHAVNA DOSHI

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

Published

on

By

ટેક્નોલોજી નવી હોય કે જૂની, સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા

લેબનોનમાં એક આઘાતજનક ઘટનાએ ભાગ્યે જ ચર્ચાયેલી ટેક્નોલોજીને સ્પોટલાઇટમાં લાવી છે: પેજર. 17 સપ્ટેમ્બર, 2024 ના રોજ, હિઝબોલ્લાહના સભ્યો અને ચિકિત્સકો દ્વારા ઉપયોગમાં લેવાતા સેંકડો પેજર્સ એક સાથે વિસ્ફોટ થયા, જેમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને લગભગ 4,000 ઘાયલ થયા. આની રાજકીય અસરો વિશાળ છે, ત્યારે આ હુમલો કેવી રીતે કરવામાં આવ્યો તેના તકનીકી પાસાઓ પણ એટલા જ આકર્ષક અને ભયાનક છે.


પેજર્સ, નાના સંચાર ઉપકરણો કે જે આપણામાંના ઘણા 1990 ના દાયકા સાથે સાંકળે છે, તે આજે પણ ઉપયોગમાં છે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં સુરક્ષિત સંચાર નિર્ણાયક છે. હિઝબોલ્લાહ, લેબનોનમાં કાર્યરત આતંકવાદી જૂથ, પેજરનો ઉપયોગ કરી રહ્યું છે કારણ કે તેઓ સ્માર્ટફોન જેવા વધુ આધુનિક સંદેશાવ્યવહાર ઉપકરણો પર કેટલાક સ્પષ્ટ ફાયદાઓ પ્રદાન કરે છે. પેજર્સ ઈન્ટરનેટ અથવા સેલ્યુલર નેટવર્કનો નહીં પણ રેડિયો ફ્રીક્વન્સીઝનો ઉપયોગ કરીને કાર્ય કરે છે, જે તેમને ટ્રેક કરવા, હેક કરવા અથવા સર્વે કરવાનું મુશ્કેલ બનાવે છે. આ ઉપકરણો કેન્દ્રિય ઓપરેટર દ્વારા પ્રસારિત ટૂંકા ટેક્સ્ટ સંદેશાઓ અથવા ચેતવણીઓ પ્રાપ્ત કરે છે. તેથી જ તેમને હિઝબોલ્લાહ જેવા જૂથો માટે વધુ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે, જે આધુનિક ટ્રેકિંગ તકનીકોને ટાળવા પર આધાર રાખે છે.


સ્માર્ટફોન પેજર્સ કરતાં વધુ કનેક્ટેડ છે, જે તેમને હેકિંગ માટે વધુ સંવેદનશીલ બનાવે છે. વર્ષોથી, અમે હેકર્સ દ્વારા દૂરસ્થ રીતે દૂષિત સોફ્ટવેરને ફોન પર દબાણ કરવાના ઉદાહરણો જોયા છે. સ્માર્ટફોનને વિસ્ફોટ માટે નિશાન બનાવવામાં આવ્યા હોય તેવા કોઈ દાખલા નથી. જો કે, કોઈપણ દૂષિત સોફ્ટવેર ઉપકરણને તે બિંદુ સુધી વધુ ગરમ કરી શકે છે જ્યાં તેને આગ લાગે છે અથવા તો વિસ્ફોટ પણ થાય છે.


મેન્યુફેક્ચરિંગ ખામીઓને કારણે સ્માર્ટફોનને બેટરી વિસ્ફોટનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે કેરળમાં એક 8 વર્ષની બાળકીએ તેના હાથમાં ફોન ફાટતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. મધ્યપ્રદેશના અન્ય એક કેસમાં, ઉજ્જૈનમાં એક 68 વર્ષીય વ્યક્તિનું મોત શંકાસ્પદ મોબાઈલ ફોન બ્લાસ્ટ બાદ થયું હતું.
પરંતુ વિસ્ફોટ થવા માટે સ્માર્ટફોનને રિમોટલી હેક કરવામાં આવ્યો હોવાના કોઈ પુષ્ટિ થયેલા અહેવાલો નથી.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

આ ગામના લોકો કરે છે ખતરનાક સાપની ખેતી!! જાણો વિચિત્ર ખેતીવાળા આ ગામ વિશે

Published

on

By

ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને અહીંના લોકો અનાજ, ફળો અને શાકભાજીની ખેતી કરે છે. જો કે માછલી ઉછેર, મરઘાં ઉછેર અને આવા અન્ય કામો પણ ખેતી સાથે સંબંધિત છે, પરંતુ જો તમને સાપ ઉછેર કરવાનું કહેવામાં આવે તો તમારા માટે પણ થોડું આશ્ચર્ય થશે. આજે અમે તમને સાપની ખેતી અને તેનાથી થતી મોટી કમાણી વિશે માહિતી આપીશું. લોકો સાપને જોતા જ ભાગી જાય છે અથવા તો તેને મારી નાખે છે, પરંતુ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લોકો સાપની ખેતી કરીને કરોડો રૂપિયા કમાય છે.

આ દેશનું નામ પણ તમારા માટે અજાણ્યું નથી, કારણ કે સમયાંતરે ત્યાંના ફૂડ વિશેના અજીબોગરીબ સમાચાર મીડિયાની હેડલાઇન્સ બનાવે છે. આ બીજું કોઈ નહીં પણ ચીન છે, જ્યાં સાપની ખેતી કરવામાં આવે છે. ચીનના Xisiqiao ગામના લોકોએ સાપની ખેતી કરીને એટલી બધી કમાણી કરી છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. આ ગામની આવકનો મુખ્ય સ્ત્રોત સાપની ખેતી છે, જેના કારણે આ સાપોનું ગામ પણ કહેવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં સાપ ઉછેર માટે પ્રખ્યાત આ ગામમાં સાપની ખેતી લગભગ દરેક ઘરમાં થાય છે. આ ગામની વસ્તી લગભગ એક હજાર છે અને અહીં રહેનાર દરેક વ્યક્તિ 30,000 સાપ પાળે છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે અહીં દર વર્ષે કરોડો સાપની ખેતી કરવામાં આવે છે.

સાપના માંસમાંથી નફો મેળવો
અહીં પાળવામાં આવતા સાપમાં કોબ્રા જે 20 લોકોને પોતાના ઝેરથી મોતને ઘાટ ઉતારી શકે છે, તે અજગર જે લોકોને થોડીવારમાં ડંખ મારી શકે છે અને લોકોને પાગલ કરી શકે છે તેવા વાઇપર સહિત ઘણા ખતરનાક સાપ છે. આ સિવાય અહીં સાપની ઘણી ખતરનાક પ્રજાતિઓ પાળવામાં આવે છે.

આ ગામમાં જન્મેલા બાળકો રમકડાંને બદલે સાપ સાથે રમે છે. આ લોકો તેમનાથી બિલકુલ ડરતા નથી, કારણ કે આ તેમની એકમાત્ર આવક છે. આ લોકો સાપનું માંસ, શરીરના અન્ય અંગો અને તેનું ઝેર બજારમાં વેચીને મોટી કમાણી કરે છે. કદાચ તમે નહીં જાણતા હોવ કે સાપના ઝેરની કિંમત સોના કરતા પણ વધુ છે અને સૌથી ખતરનાક સાપના એક લીટર ઝેરની કિંમત 3.5 કરોડ રૂપિયા સુધી છે.

ચીનમાં સાપનું માંસ પણ ખવાય છે અને આ લોકો તેનાથી લાખો રૂપિયા કમાય છે. અહીં સાપનું માંસ એ જ રીતે ખવાય છે જે રીતે ભારતમાં ચીઝ ખાવામાં આવે છે. સ્નેક કરી અને તેનું સૂપ અહીં સૌથી વધુ લોકપ્રિય છે. આ સિવાય દવા બનાવવા માટે સાપના ભાગો ખૂબ જ ઉપયોગી છે. તેમાંથી પુરૂષવાચી શક્તિથી લઈને કેન્સર સુધીની દવાઓ બનાવવામાં આવે છે.

અહીં સાપને કાચ અને લાકડાના બોક્સમાં પાળવામાં આવે છે. જ્યારે તેઓ મોટા થાય છે, ત્યારે તેમને કતલખાને લઈ જવામાં આવે તે પહેલાં તેમના ઝેરને બહાર કાઢવામાં આવે છે. તેમને માર્યા બાદ તેમનું માંસ અને અન્ય અંગો અલગ કરી દેવામાં આવે છે. આ સાથે તેમની ત્વચાને કાઢીને તડકામાં સૂકવવામાં આવે છે. તેમના માંસનો ઉપયોગ ખોરાક અને દવા માટે થાય છે, જ્યારે તેમની ચામડીનો ઉપયોગ મોંઘા પટ્ટા અને અન્ય વસ્તુઓ બનાવવા માટે થાય છે.

આ વિચાર ક્યાંથી આવ્યો?
થોડા સમય પહેલા અહીંયા યાંગ હોંગ ચેંગ નામનો ખેડૂત રહેતો હતો. એક દિવસ તે એટલો બીમાર પડી ગયો કે ગરીબીને કારણે તે પૈસા ભેગા કરી શકતો ન હતો, આ દરમિયાન તેણે એક જંગલી સાપને પકડ્યો અને તેમાંથી દવા બનાવીને તેનો ઈલાજ કર્યો. આ પછી ચેંગને સમજાયું કે સાપ માત્ર માણસોને જ મારતા નથી, પરંતુ તેના અંગોમાંથી બનેલી દવાઓ પણ લોકોનો જીવ બચાવી શકે છે.

આ બધી વસ્તુઓ જોઈને તેણે સાપની ખેતી શરૂ કરી અને તેને ઘણો ફાયદો થયો. ચેંગને જોઈને ગામના અન્ય લોકો પણ સાપની ખેતી કરવા લાગ્યા અને ટૂંક સમયમાં જ અહીંના લોકોએ આ કામને પોતાનો વ્યવસાય બનાવી લીધો. જો કે આ ગામના લોકો સાપથી ડરતા નથી, પરંતુ તેઓ એક સાપથી પણ ડરે છે અને તેનું નામ છે FIVE STEP SNAKE.

આ સાપના નામ પાછળ એક વાર્તા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો આ સાપ કોઈને કરડે તો તે પાંચ ડગલાં પણ ચાલી શકતો નથી અને તેનું મૃત્યુ થઈ જાય છે. તેના મજબૂત ઝેરના કારણે બજારમાં તેની કિંમત ઘણી વધારે છે અને તેને ઉછેરવા માટે ચોક્કસ પ્રકારના વૃક્ષોની જરૂર પડે છે. જે અહીં ઉગાડવામાં આવે છે અને આ સાપ તેના પર જીવન વિતાવે છે. જો કે, કોરોના રોગચાળાને કારણે, ચીનની સરકારે આ ગામમાં 6 મહિના માટે સાપ ઉછેર પર પ્રતિબંધ મૂક્યો હતો.

Continue Reading

Sports

મહિલા T20 વર્લ્ડ કપ જીતનાર ટીમને મળશે 23 લાખ 40 હજાર યુએસ ડોલર

Published

on

By

પુરુષ અને મહિલાઓને સમાન ઇનામી રકમની ઈંઈઈની જાહેરાત

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ) એ મહિલા ઝ20 વર્લ્ડ કપ 2024 માટે ઇનામી રકમની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે હવે પુરૂૂષ અને મહિલાઓને સમાન ઈનામની રકમ આપવામાં આવશે. જેની શરૂૂઆત આવતા મહિને સંયુક્ત આરબ અમીરાતમાં યોજાનાર મહિલા ઝ20 વર્લ્ડ કપથી થશે. ઈંઈઈના નિવેદન મુજબ મહિલા ઝ20 વર્લ્ડ કપ જીતનાર ટીમને હવે 23 લાખ 40 હજાર યુએસ ડોલર મળશે.

ગયા વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાયેલ મહિલા ઝ20 વર્લ્ડ કપ જીતવા બદલ ઓસ્ટ્રેલિયાને 1 મિલિયન યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.આ રીતે તેમાં 134 ટકાનો વધારો થયો છે. ભારતીય પુરૂૂષ ટીમને આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા ઝ20 વર્લ્ડ કપની વિજેતા બનવા માટે 23 લાખ 40 હજાર યુએસ ડોલરની ઈનામી રકમ મળી હતી.


ICCએ કહ્યું કે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 પ્રથમ ઈંઈઈ ટૂર્નામેન્ટ હશે. જેમાં મહિલાઓને પુરૂૂષો જેટલી ઈનામી રકમ મળશે જે આ રમતના ઈતિહાસમાં મહત્વની સિદ્ધિ હશે.


મહિલા ઝ20 વર્લ્ડ કપ 3 ઓક્ટોબરથી ઞઅઊમાં રમાશે. અગાઉ તેનું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું. પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંઈઈએ મહિલા ઝ20 વર્લ્ડ કપને સંયુક્ત આરબ અમીરાતમાં શિફ્ટ કરી દીધો. ભારત 4 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે મહિલા ઝ20 વર્લ્ડ કપમાં પોતાની સફર શરૂૂ કરશે.


ઈંઈઈના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ કહ્યું- રમતના ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને મને ખુશી છે કે ઈંઈઈ વૈશ્વિક ઈવેન્ટ્સમાં ભાગ લેનારા પુરુષ અને મહિલા ક્રિકેટરોને હવે સમાન પુરસ્કાર આપવામાં આવશે. 2017થી, અમે સમાન ઈનામી રકમ હાંસલ કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે મહિલાઓની ઈવેન્ટ્સમાં ઈનામની રકમમાં વધારો કર્યો છે અને હવેથી ઈંઈઈ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા માટેની ઈનામની રકમ ઈંઈઈ પુરૂૂષ ક્રિકેટ વર્લ્ડ જીતવા માટે સમાન હશે.

Continue Reading
રાષ્ટ્રીય13 hours ago

વન નેશન, વન ઈલેક્શન પ્રસ્તાવને કેબિનેટની લીલીઝંડી

રાષ્ટ્રીય13 hours ago

સિંધુ જળ કરારમાં ફેરફાર કરવા પાક.ને ભારતની નોટિસ

ગુજરાત14 hours ago

ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં પેઈડ FSIમાં મળશે વળતર

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

ગુજરાત14 hours ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય14 hours ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

રાષ્ટ્રીય14 hours ago

TATA ગ્રૂપના ઉતરાધિકારી તરીકે માયા ટાટાનું નામ મોખરે

રાષ્ટ્રીય14 hours ago

આર્થિક અસમાનતા વધી, 10 કરોડથી વધુ કમાણી કરનારા ભારતીયોમાં વધારો

રાષ્ટ્રીય14 hours ago

મહારાષ્ટ્રના ભિવંડી અને રાજસ્થાનના બરાનમાં ગણેશ વિસર્જનમાં બબાલ

રાષ્ટ્રીય14 hours ago

ટોલ વસૂલાત પહેલા અને પછી સરકારને ઘણા ખર્ચાઓ ભોગવવા પડે છે: ગડકરી

રાષ્ટ્રીય2 days ago

‘દિલ્હીના CM કેજરીવાલ જ રહેશે, ભાજપે ષડયંત્ર કરીને ફસાવ્યા…’, મુખ્યમંત્રી ચૂંટાયા બાદ આતિશીની પહેલી પ્રતિક્રિયા

ગુજરાત2 days ago

દ્વારકા નજીકના દરિયામાંથી વધુ એક વખત ચરસનો જથ્થો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય2 days ago

બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અંગે કેનેડાની સંસદમાં ચર્ચા

ગુજરાત2 days ago

PMના જન્મદિવસ પૂર્વે જવાહર ચાવડાએ ફોડ્યો લેટર બોંબ

અમરેલી2 days ago

અમરેલીની સગીરા પર કૌટુંબિક ભાઈનું દુષ્કર્મ

આંતરરાષ્ટ્રીય2 days ago

અમેરિકા ઉઠી જશે: જેપી મોર્ગન ચેઝની આગાહી

ગુજરાત2 days ago

મોદી@74: કુંડળી જ મંગળ તો અમંગળ કોણ કરી શકે?

ગુજરાત2 days ago

મોદી વડાપ્રધાન બનશે: 34 વર્ષ પહેલાં ધીરૂભાઇ અંબાણીએ ભાખ્યું હતું

રાષ્ટ્રીય16 hours ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

ગુજરાત14 hours ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Trending