દિલ્હી રમખાણ કેસ: ખાલિદ, શરજીલ જેલમાં રહેશે, બીજા પાંચને જામીન

બન્ને પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સામેના આરોપો અલગ અને ગંભીર : સાક્ષીઓની તપાસ પ થાય ત્યાં સુધી નવી જામીન અરજી નહીં કરી શકે દિલ્હી રમખાણોના આરોપી…

બન્ને પૂર્વ વિદ્યાર્થી નેતાઓ સામેના આરોપો અલગ અને ગંભીર : સાક્ષીઓની તપાસ પ થાય ત્યાં સુધી નવી જામીન અરજી નહીં કરી શકે

દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઇમામ અને ઉમર ખાલિદની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્વીકાર્યું કે બંને આરોપીઓ સામેના આરોપો માત્ર અલગ જ નથી પણ ગંભીર પણ છે. સુપ્રીમ કોર્ટે પાંચ અન્ય આરોપીઓને જામીન આપ્યા છે.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે શરજીલ ઇમામ અને ઉમર ખાલિદે દિલ્હી રમખાણો પાછળના કાવતરામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. જોકે, કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સાક્ષીઓની તપાસ પૂર્ણ થતાંની સાથે જ, અથવા મહત્તમ એક વર્ષની અંદર, બંને આરોપીઓ નીચલી કોર્ટમાં જામીન માટે ફરીથી અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટને આ આદેશથી પ્રભાવિત થયા વિના કેસની જાતે વિચારણા કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

માહિતી માટે, કોર્ટે દિલ્હી પોલીસ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ અને આરોપી વતી વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ, અભિષેક સિંઘવી, સિદ્ધાર્થ દવે, સલમાન ખુર્શીદ અને સિદ્ધાર્થ લુથરા તરફથી દલીલો સાંભળ્યા બાદ 10 ડિસેમ્બરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો.
આ જ કેસમાં, સુપ્રીમ કોર્ટે પાંચ અન્ય આરોપીઓ – ગુલ્ફિશા ફાતિમા, મીરાં હૈદર, શિફા-ઉર-રહેમાન, મોહમ્મદ સલીમ ખાન અને શાદાબ અહેમદ – ની સતત કેદને બિનજરૂૂરી ગણાવી અને તેમની જામીન અરજીઓ મંજૂર કરી.

ઉમર ખાલિદ, શર્જિલ ઇમામ અને અન્ય લોકો પર ઞઅઙઅ અને ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે, કારણ કે તેમના પર રમખાણોમાં મુખ્ય કાવતરાખોર હોવાનો આરોપ છે. નાગરિકતા સુધારો અધિનિયમ (ઈઅઅ) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (ગછઈ) સામેના વિરોધ પ્રદર્શનો વચ્ચે ઉત્તરપૂર્વ દિલ્હીના કેટલાક ભાગોમાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને 700 થી વધુ ઘાયલ થયા હતા.

પોલીસે રમખાણો, આગચંપી અને ગેરકાયદેસર સભાના 695 કેસ નોંધ્યા. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જે 85 કેસોનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેમાંથી 68 કેસોમાં નિર્દોષ છૂટ્યા (80%) અને 16 કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા (20%). 695 કેસોમાં, 47 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે 183 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 1,738 લોકો જામીન પર બહાર છે, જ્યારે 108 જેલમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *