એક વીડીયો દ્વારા પન્નુ તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે પાટનગર નવી દિલ્હીમાં અમારા સ્લીપર સેલ અને હેન્ડલરો પહોંચી ગયા છે અને તેઓ ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાડી રહ્યા છે. જો કે પોલીસ તપાસમાં આવા કોઇ પોસ્ટરો તંત્રને નજરે ચડતા નથી. એ વીડીયોમાં કહેવામાં આવ્યું છે કે ગણતંત્ર દિવસે ખાલીસ્તાન તરફી તત્વો દ્વારા મોટો હુમલો કરવામાં આવશે. જો કે અગાઉથી જ રાહત સુરક્ષા તકેદારીથી રાજધાની સંપુર્ણ સલામત છે.
શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક દિવસ પહેલા રાષ્ટ્રીય રાજધાનીમાં અશાંતિ ફેલાવવાની ધમકીઓ આપવા બદલ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા નિયુક્ત આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 196 (ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું અને સંવાદિતા જાળવવા માટે પ્રતિકૂળ કૃત્યો કરવા), 197 (રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ આરોપો અને દાવાઓ), 152 (ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યો) અને 61 (ગુનાહિત કાવતરું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.”
