સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના પગલે મહાદેવની નગરી પ્રભાસપાટણમાં દૈદીપ્યમાન સુશોભનો કરવામાં આવ્યા છે. શહેરનાં મુખ્ય પ્રવેશદ્વારથી માંડી મુખ્ય રસ્તાઓ, મંદિરો, ચોક સહિતનાં મહત્વના સ્થળો આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. આ સાથે શિવ આરાધનાના ગીતો તેમજ અખંડ ઓમકારના મંત્રોચ્ચારથી વાતાવરણ પવિત્ર બની ગયું છે. આવતીકાલ તા.10નાં રોજ સાંજે વડાપ્રધાનનું આગમન થનાર છે. તેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
