દુષ્કર્મ-હત્યા કેસમાં અપરાધીને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ

લાકડાં વછણવા ગયેલી 13 વર્ષની બાળકી લાપતા થયા બાદ લાશ મળી આવતા PM રિપોર્ટના આધારે આરોપીની ધરપકડ થઈ’તી રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ યુવરાજનગર…

લાકડાં વછણવા ગયેલી 13 વર્ષની બાળકી લાપતા થયા બાદ લાશ મળી આવતા PM રિપોર્ટના આધારે આરોપીની ધરપકડ થઈ’તી

રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ યુવરાજનગર પાસે રહેતી 13 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસની હકિકત મુજબ રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા યુવરાજનગરમાં સ્મશાન પાસે રહેતી 13 વર્ષની બાળકી ગત તા.27/06/2023 ના રોજ ઘરેથી સાંજના સમયે લાકડા વીણવા ગઈ હતી. રાત સુધી બાળકી પરત નહી આવતા તેની માતાએ શોધખોળ કરી હતી. લાપતા બાળકીની બે દિવસ બાદ અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. નામના બંધ કારખાનામાં મશીનો વચ્ચેથી લાશ મળી આવી હતી. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એલ.એલ.ચાવડાએ લાશનુ ઈન્કવેસ્ટ પંચનામુ તૈયાર કરેલ જેમાં લાશ ઉપરના અનેક ભાગો ઉપર ગંભીર ઈજાઓ જણાયેલ તથા ગુપ્ત ભાગો ઉપર પણ ઘાતકી ઈજાઓ થયેલ હોવાનુ જણાયેલ. આ લાશનુ પોસ્ટ મોર્ટમ કરાવતા મૃતક બાળા ઉપર એકથી વધુ વખત બળાત્કાર થયેલ હોવાનુ તથા ધાતુના સળીયા વડે ગુપ્ત ભાગો ઉપર ઈજાઓ થયેલ હોવાનુ ખુલ્યું હતું. આ અંગે પોલીસે ગુપ્તપણે તપાસ આદરતા તા.02/07/2023 ના રોજ સાંજના સમયે આરોપી જયદિપ પરમારની ધરપકડ કરી ઘટના સમયે તેણે પહેરેલ કપડા તથા બાળકીએ પહેરેલ કપડા કબ્જે કરવામાં આવ્યા હતા. આ કપડાઓ ફોરેન્સીક તપાસ અર્થે મોકલતા તેના કપડાઓ ઉપર મૃતક બાળકીનુ લોહી મળી આવેલ તેમજ મૃતક બાળકીની લાશ અને કપડાઓ ઉપર આરોપીનુ લોહી પણ મળી આવેલ હતું. આરોપી સામે આ મુબજનો ચોક્કસ વૈજ્ઞાનિક પુરાવો મળી આવતા પોકસો કોર્ટમાં આરોપી વિરૂૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું.

જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી તરફે બચાવ લેવામાં આવેલ હતો કે, આરોપી અને મૃતક બાળકીના લોહીના જે ગૃપ એકબીજાના કપડામાં મળી આવેલ છે તે લોહીના ગૃપ અનેક વ્યકિતઓના હોય શકે છે. અને તેથી હાલના આરોપીએ જ ગુનો કરેલ હોવાનુ સાબિત થતુ નથી. તેમજ આ આરોપી અમુલ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.ના બંધ કારખાનામાં મૃતક બાળા સાથે ગયેલ હતો તે અંગેનો કોઈ પુરાવો રજુ થયેલ નથી.

જ્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, આરોપીએ બનાવ સમયે પહેરેલ કપડા ઉપર જે ગૃપનુ લોહી મળી આવેલ છે તે લોહી ભોગ બનનારનુ ન હતુ તો આ ગૃપનુ લોહી આરોપીના કપડા ઉપર બીજા કયાં કારણસર આવેલ છે તે જણાવવાની કાયદાકીય જવાબદારી આરોપીની છે. આ અંગે આરોપીએ કોઈ ચોખવટ કરેલ નથી. આ ઉપરાંત ભોગ બનનારના કપડા ઉપર તથા શરીર ઉપર જે વીર્ય મળી આવેલ છે તે વીર્ય આરોપીનુ હોવાનો ડી.એન.એ. રીપોર્ટ છે. આ મુજબનો જયારે વૈજ્ઞાનિક પુરાવો મળી આવેલ હોય ત્યારે બનાવ સમયે આરોપી બનાવવાળી જગ્યાએ ન હતા તે સાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર રહે છે. કાયદાની જોગવાઈ મુજબ આ મુજબનો પુરાવો હોય ત્યારે તેઓ બનાવ સ્થળે હાજર ન હતા તે એક જ બચાવ માન્ય છે. હાલના આરોપીએ આવો કોઈ જ બચાવ લીધેલ નથી કે સાબિત કરેલ નથી ત્યારે આરોપી પોતે જ ગુન્હેગાર હોવાનુ આપોઆપ સાબિત થાય છે. સરકાર તરફેની દલીલોના અંતે સ્પે. પોકસો કોર્ટે આરોપી જયદિપ ઉમેશભાઈ પરમાર (ઉ.વ.24)ને હત્યા અને બળાત્કારના ગુન્હામાં જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને સરકારની નસ્ત્રવિકટીમ કોમ્પન્સેશન સ્કીમથ હેઠળ મૃતકના પરીવારજનોને રૂૂા.7 લાખનુ વળતર ચુકવવા હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.

કૌટુંબિક ભાણેજ પર દુષ્કર્મ આચારનાર મામાને 20 વર્ષની જેલમાં ધકેલાયો
પાટણવાવ પંથકમાં આવેલા મધ્ય પ્રદેશના પરિવારની સગીરાને કૌટુંબિક મામો ભગાડી ગયો હોવાની ભોગ બનનાર સગીરાના પિતાએ પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપી અક્ષય ઉર્ફે હીરામન પરવાર અને ભોગ બનનારને મહારાષ્ટ્રથી ઝડપી લીધા હતા જે કેસ ચાલી જતા આરોપીના બચાવ પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે ભોગ બનનારની માતાની ઈચ્છા હતી કે ભોગ બનનારના લગ્ન આરોપી સાથે થાય અને ભોગ બનનારના પિતાની ઈચ્છા એવી હતી કે પુત્રીના લગ્ન તેમની બેનના દીકરા સાથે થયા આથી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ભોગ બનનાર પોતાની મરજીથી આરોપી સાથે ગયા હતા અને મહારાષ્ટ્રમાં તેમના વતનમાં રોકાયા હતા આવા સંજોગોમાં દુષ્કર્મનો કેસ સાબિત માની શકાય નહીં જ્યારે સરકાર પક્ષે એપીપી કાર્તિકેય પારેખ દ્વારા દલીલ કરવામાં આવી હતી. ભોગ બનનારે પણ અદાલત સમક્ષ હકીકતને સમર્થન આપેલ છે તેમજ તપાસ અધિકારી તરફથી સાયન્ટિફિક એપ્રોચ સાથે તપાસ કરેલી છે અને તેણીના જન્મ તારીખના આધારો પણ મેળવેલા છે આવા સંજોગોમાં પોકસો એકટના પ્રબંધોને ધ્યાનમાં લેવામાં આવે અને કલમ 19 નું રિવર્સ પ્રિઝમ ધ્યાને લેવામાં આવે તેવી રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈ ધોરાજી કોર્ટે આરોપી અક્ષય ઉર્ફે અકી હીરામન પરવારને 20 વર્ષની સજાનો હુકમ કર્યો છે.

14 વર્ષની બાળા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની સજા
ભાયાવદર પંથકમાં રહેતા પરિવારની 14 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો હોવાની ભોગ બનનારના પરિવારે ભાયાવદર પોલીસમાં આરોપી માધવ ડાયા વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી માધવ વાઘેલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં તપાસ અધિકારી દ્વારા આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. બાદમાં જે કેસ ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ કાર્તિકેય પારેખ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસેન મોહીબુલા શેખે 14 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દેવાના ગુનામાં સંડોવાયેલા આરોપી માધવ ડાયા વાઘેલાને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે જ્યારે તપાસ કરનાર અધિકારી સમક્ષ ડીએનએ રિપોર્ટ નેગેટિવ આવે ત્યારે પોકસો જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી જીગા નાનજીભાઈ સોલંકી અને સમીર સોમાભાઈ જુણેજા વિરુદ્ધ શા માટે તપાસ ન કરી તે અંગે ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરીનો હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *