Connect with us

જુનાગઢ

કેશોદ પાલિકાનાં બહુમાળી બિલ્ડિંગમાં રિનોવેશનનાં બહાને થતાં દબાણ વિરુદ્ધ ફરિયાદ

Published

on

કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરમાં મુખ્ય ચોક વિસ્તારમાં પાંચેક સ્થળોએ બહુમાળી બિલ્ડીંગ આવેલ છે જેમાં વાણિજ્ય હેતુ માટે દુકાનો ઓફિસો આવેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા આ તમામ મિલકત ભાડા કરારથી આપેલ છે ત્યારે તાજેતરમાં જુનાગઢ બહુમાળી બિલ્ડીંગ ઢસી પડતાં થયેલી જાનમાલની નુકસાની થતાં કેશોદ નગરપાલિકા સફાળી જાગી હતી અને શહેરમાં પચાસેક મિલ્કત ધારકોને નોટિસ આપી જર્જરિત હાલતમાં રહેલી બિલ્ડિંગનો ઈમલો ઉતારવા જાણ કરી હતી જેમાં કેશોદ નગરપાલિકા હસ્તકની શરદચોક વિસ્તારમાં આવેલી બે બિલ્ડિંગોનાં ભાડુઆત કબજેદાર દ્વારા સ્વખર્ચે જુનું બાંધકામ દુર કરી નવું બાંધકામ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવતાં કેશોદ નગરપાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા લેખિતમાં આદેશ કર્યા વગર મૌખિક હયાત બાંધકામ મુજબ કરવા સહમતિ આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા દ્વારા કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીને જવાબદારી સોંપવામાં ન આવતાં દલા તરવાડીની વાર્તા જેવી સ્થિતિ થતાં ભાડુઆત કબજેદાર દ્વારા લાગું પડતી ખુલ્લી જગ્યા ભેળવી મનફાવે તેમ દબાણ કરી લેતાં કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ કેશોદ નગરપાલિકાનાં જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી આમ છતાં જવાબદાર સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ર્ન રજૂ કરવામાં આવ્યા બાદ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવામાં આવેલી જે આપવામાં આવી નથી જે બાબતે અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી છે. ારાધોરણ મુજબ કાર્યવાહી કર્યા વગર ભેળવી લીધી છે અને લેખિતમાં ફરિયાદ કરવા છતાં કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતાં કેશોદ નગરપાલિકાને ઈરાદાપૂર્વક આર્થિક નુકસાન થયું હોય કેશોદ હિતરક્ષક સમિતિના ક્ધવીનર રાજુભાઈ પંડ્યાએ જવાબદાર સામે નગરપાલિકા અધિનિયમ હેઠળ પગલાં ભરવા ઉપલી કચેરીને ફરિયાદ નોંધાવવા કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ નગરપાલિકા હસ્તકની બિલ્ડિંગોમાં નગર પંચાયતના સમયમાં પોસ્ટ ઓફિસ, આર્યુવેદિક દવાખાનું ઉપરાંત શૈક્ષણિક સામાજિક સંસ્થાઓ ને જ્ઞાતિ મંડળોને પણ જગ્યાઓ ફાળવવામાં આવેલ હતી જે વર્તમાન સમયમાં ખાલી જગ્યાઓ પર બેઠાથાળે કબજો કરવા લાગતાં વળગતા ની નજરમાં છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કાયદેસરની વહીવટી પ્રક્રિયા કરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.

ગુજરાત

જૂનાગઢની સગીરા ઉપર રાજકોટમાં દુષ્કર્મ મામલે વધુ 4ની ધરપકડ

Published

on

By

સગીરાને દેહવ્યાપારમાં ધકેલી દેવાના પ્રકરણમાં કુલ 10ની ધરપકડ

જૂનાગઢની સગીરા સાથે રાજકોટના શખ્સે કરેલા દુષ્કર્મ બાદ તેને દેહવ્યાપારમાં ધકેલી દેવાના ગુનામાં પોલીસે વધુ ચાર શખ્સોને ઝડપી લીધા છે. આ ગુનામાં સગીરાને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈને 14 જેટલા શખ્સો દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવાયાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે પકડાયેલા આરોપીઓને રાજકોટ લઇ જઇને તપાસ શરૂૂ કરી હતી. આ ગુનમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. જેમાં રીહાન ઉર્ફે રેહાન યુનુસભાઇ શેખના 4 દિવસના રીમાન્ડ પૂરા થતાં બેયને જેલ હવાલે કરાયા છે.

આ સિવાય રાજકોટના આકાશ અર્જુનસિંહ ઓડ, હિરેન જગદીશભાઇ સાપરા, જસ્મીન દિનેશભાઇ મકવાણા અને હાર્દિક દિપકભાઇ ઝાપડાના રીમાન્ડ હજી ચાલુ હોઇ તેઓની પુછપરછ ચાલુ છે. આ સિવાય પોલીસે રાજકોટના બીજા 4 શખ્સો સત્યુગ ઉર્ફે સત્યમ જીતેશભાઇ ટીમાણીયા, અયાન ઇદ્રીશભાઇ જોધપુરા મુલ્તાની, અરબાઝ ઇમ્તીયાઝભાઇ ખીમાવત અને કૃપાલ કિશોરભાઇ ટીમાણીયાને ઝડપી લીધા છે.

Continue Reading

ગુજરાત

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

Published

on

By

જૂનાગઢનું ભાજપ કાર્યાલય ગેરકાયદેસર હોવાનો કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં મુકયો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સમયથી ભાજપ સામે મોરચો ખોલનાર ભાજપના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા હવે આરપારની લડાઈના મુડમાં હોય તેમ વડાપ્રધાનને જન્મ દિવસે જ જૂનાગઢ જિલ્લા ભાજપમાં ચાલતી લાલિયાવાડી અંગે પત્ર લખી ખળભળાટ મચાવ્યા બાદ હવે જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર બનેલ ભાજપ કાર્યાલયનું બાંધકામ અનઅધિકૃત હોવાથી મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન નહીં કરવા માટે સરકારનું ધ્યાન દોરવા તા.18 (07) 2017નાં રોજ જિલ્લા કલેકટરને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરી ભાજપ કાર્યાલયની કાયદેસરતા સામે જ સવાલ ઉઠાવ્યો છે.આ ઉપરાંત આ પૂર્વે તા.4 જુલાઈ 2017ના રોજ જૂનાગઢ ભાજપ કાર્યાલયવાળી જમીનમાં શરત ભંગ થયો હોવાનો પણ કલેકટરને પત્ર લખી બીનખેતીની મંજુરી રદ કરવા જણાવ્યું હોવાનો પત્ર પણ ખુદ જવાહર ચાવડાએ જ સોશ્યિલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે.

ગઈકાલે વડાપ્રધાનને લખેલો પત્ર વાયરલ કર્યા બાદ આજે જુના પત્રો વાયરલ કરી જવાહર ચાવડાએ ભાજપ સામે જાણે મોરચો ખોલી દીધો હોય તેવા નિર્દેશો મળે છે. ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને ભાજપે રાજ્ય સરકારમાં મંત્રી બનાવ્યા હતાં. પરંતુ ત્યારબાદ તેને કદ પ્રમાણે વેતરી નાખી કોંગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ધારાસભાની ટિકીટ આપી દીધી હતી. ત્યારથી જવાહર ચાવડા ભારે નારાજ હોવાનું મનાય છે.

Continue Reading

ગુજરાત

વંથલીમાં દાદી સાથે સૂતેલી સગીરા સાથે છેડતી કરનાર શખ્સ પકડાયો

Published

on

By

આરોપીને પકડી કાયદાનું ભાન કરાવતી પોલીસ

વંથલીના એક ગામે રાત્રિના અંધારાનો લાભ લઈ ગામના જ એક યુવાને સગીરાની છેડતી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા પોતાના દાદી સાથે રાત્રિના સમયે તેના ઘરે સૂતી હતી, ત્યારે આરોપીએ આવી સુતેલી સગીરાનું ગોદડું ખેચ્યું હતું. જોકે, દાદી અને સગીરા બંને જાગી જતા આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં પોતાની સગીર વયની દીકરીની એક યુવાને છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેથી વંથલી પોલીસ દ્વારા પોક્સો તેમજ છેડતીની કલમનો યુવાન વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસે ગુનો નોંધી છેડતી કરનાર યુવાનને પકડવા તપાસ હાથ ધરી હતી. ત્યારે માણાવદર તાલુકાના સીપીઆઈ અને વંથલી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલ આ સમગ્ર મામલે પકડાયેલ આરોપીની પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.


ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે, વંથલી તાલુકાના એક ગામે સગીરાની છેડતી મામલે પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં સગીરા રાત્રે પોતાના ઘરે તેની દાદી સાથે સૂતી હતી. આરોપી સગીરાના ઘરે જઈ સગીરા સૂતી હતી ત્યારે તેની છેડતી કરી હતી. જે મામલે સગીરાના દાદીએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે માણાવદરના સીપીઆઈ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઇ ઈઙઈં દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ પૂછપરછમાં આ આરોપી જ્યારે સગીરા ગામમાં નીકળતી હતી ત્યારે અવારનવાર ખરાબ નજરે તેની સામે જોતો હતો અને રાત્રિના સમયનો લાભ લઇ આ આરોપી સગીરાના ઘરમાં ઘૂસી છેડતી કરી હતી. જેને લઇ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય9 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય9 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત10 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય10 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ10 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય10 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending