Notice: Trying to get property 'slug' of non-object in /home/gujaratmirror/public_html/wp-content/plugins/sortd/admin/class-sortd-redirection.php on line 441
Connect with us

Uncategorized

ભગવાન શ્રીરામના નામ સાથે 50% મતનું ભાજપનું લક્ષ્ય

Published

on

હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પરાજય આપ્યા બાદ લોકસભાની ચૂંટણીની તૈયારી પણ શરૂૂ કરી દીધી છે. ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીઓની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બે દિવસીય બેઠકમાં આ માટે આક્રમક વ્યૂહનીતિ પણ ઘડવામાં આવી છે. તે અંતર્ગત દેશના તમામ નેતાઓને નવા લક્ષ્ય પણ આપવામાં આવ્યા છે.
2019માં ભાજપને 22.9 કરોડ એટલે કે 37 ટકા મત મળ્યા હતા, જેમાં 10 ટકાનો વધારો કરવાનો વડાપ્રધાન મોદીનો નિર્દેશ
ભાજપે તૈયાર કરી નવી વ્યૂહનીતિ! આ બેઠકમાં આગામી લોકોસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવવા મતની ટકાવારી 10 ટકા સુધી વધારવાની દિશામાં કામ કરવાનો નિર્દેશ કરાયો છે. 2019માં ભાજપને 22.9 કરોડ એટલે કે 37 ટકાથી વધુ મત મળ્યા હતા, પરંતુ આ વખત ભાજપ 35 કરોડ મત મેળવવાની વ્યૂહનીતિ પર કામ કરી રહ્યો છે. બીજી તરફ, 2019માં એનડીએ ગઠબંધનને કુલ 45 ટકા મત મળ્યા હતા. ભાજપ આ વખતે 50 ટકા સુધી લઈ જવા માગે છે. ભાજપ 2019માં 303 બેઠક જીતવામાં સફળ રહ્યો હતો અને હવે તેનું લક્ષ્ય 350 બેઠક જીતવાનું છે.
ભાજપની આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ધાટન વિશે ખાસ ચર્ચા થઈ. કાર્યકર્તાઓને સોશિયલ મીડિયા પર અયોધ્યા રામ મંદિરને લઈને વધુમાં વધુ માહિતી શેર કરવા અને તેના પર ચર્ચા કરવા માટે કહેવામાં આવ્યું. પક્ષને વિશ્વાસ છે કે લોકસભા ચૂંટણીમાં રામ મંદિર તેમની તરફેણમાં એક મોટો મુદ્દો રહેશે. સૂત્રોના જણાવ્યાનુસાર, પક્ષના અધિકારીઓને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચલાવાતા કાર્યક્રમોમાં વધુને વધુ લોકોને જોડવાનું પણ કહેવામાં આવ્યું છે. દાયકાઓથી કાયદાકીય વિવાદમાં અટવાયેલા આ મુદ્દાને ઉકેલવામાં વિપક્ષોએ અનેક અવરોધો ઊભા કર્યા હતા એ વાત લોકો સુધી પહોંચાડવાનો પણ તેમને નિર્દેશ કરવામાં આવ્યો છે.

59% સમર્થન સાથે પીએમ તરીકે મોદી પ્રથમ પસંદ: 32% રાહુલ ગાંધીના પક્ષે

સી વોટરે હાલમાં દેશભરમાં એક સર્વે કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું કે હજુ પણ નરેન્દ્ર મોદી પીએમ પદની પ્રથમ પસંદ છે. હિન્દી પટ્ટી રાજ્યોમાં તો પીએમ મોદી રાહુલ ગાંધી કરતા ખુબ આગળ છે. સર્વેના આંકડા જણાવે છે કે 59 ટકા લોકો હજુ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને ચૂંટવા ઈચ્છે છે તો માત્ર 32 ટકા લોકો રાહુલ ગાંધીને આ પદ પર જોવા ઈચ્છે છે. તાજેતરમાં છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપે પોતાની સરકાર બનાવી છે. તેવામાં આ ત્રણ હિન્દી પટ્ટી રાજ્યોમાં પણ માહોલ પીએમ મોદીના પક્ષમાં જોવા મળી રહ્યો છે. આ સમયે એમપીમાં 66 ટકા લોકો પીએમ મોદીને પ્રધાનમંત્રી જોવા ઈચ્છે છે તો રાહુલ ગાંધી માટે આ આંકડો 26 ટકા છે. આ રીતે છત્તીસગઢમાં 67 ટકા લોકો મોદીને સપોર્ટ કરી રહ્યાં છે તો 29 ટકા રાહુલ ગાંધીને પીએમ પદે જોવા મળે છે. રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં નરેન્દ્ર મોદીને 65 ટકા સમર્થન છે, તો રાહુલ ગાંધી સાથે 32 ટકા લોકો જોવા મળી રહ્યાં છે. ઈન્ડિયા ગઠબંધન તરફથી પ્રધાનમંત્રીના ઉમેદવાર કોને બનાવવા જોઈએ, તેને લઈને પણ સર્વેમાં સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં અત્યારે રાહુલ ગાંધી આગળ જોવા મળી રહ્યાં છે. 34 ટકા લોકોનો મત છે કે રાહુલ ગાંધીને પીએમના ઉમેદવાર બનાવવા જોઈએ. તો બીજા નંબર પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે, જેને 13 ટકા લોકો પીએમ તરીકે જોવા મળી રહ્યાં છે. તો કોઈનું નામ ન લેનારા લોકોનો આંકડો 34 ટકા ચાલી રહ્યો છે.

Uncategorized

શહેર-જિલ્લામાં દારૂ વેચનારાઓ પર પોલીસની ધોંસ

Published

on

By

આઠ દરોડામાં ઈંગ્લિશ દારૂની નાની મોટી 11પ બાટલી ઝડપાઈ: નવ શખ્સોની અટકાયત

જામનગર શહેર તેમજ જિલ્લામાં પોલીસે જુદા જુદા 8 સ્થળોએ દારૂ અંગેના દરોડા પાડી કુલ ઈંગ્લીશ દારૂની નાની મોટી 11પ બોટલ કબજે કરી છે અને આઠ જેટલા શખ્સોની મુદામાલ સાથે ધરપકડ કરી છે.
જામનગર સીટી એ ડિવિઝન પોલીસે દિગ્વિજય પ્લોટ શેરી નંબર 42 માં રજા મેન્શન પાસે રહેણાંક મકાનમાં રેડ પડી હતી. આ દરમિયાન યોગેશ્વર રમણીકલાલ વિઠલાણીના રહેણાંક મકાનમાંથી 3500ની કિંમતની 7 બોટલ તથા 31 ચપલા દારૂ સહિત 6600નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે વધુ તપાસ કરતા અશોક ઉર્ફે મિર્ચી ખટાઉભાઈ મંગે નામના શખ્સનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


વધુમાં દારૂની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસે કિસાન ચોકમાં આવેલ માલદે ભુવન શેરી નંબર ત્રણમાં રેડ પાડી હતી. આ વેળાએ 12000 ની કિંમતની 24 બોટલ દારૂના જથ્થા સાથે નીકળેલ કરણ ગુલાબભાઈ ડાભી નામના કોડીના દંગા પાસે સોનલ નગર મેઈન રોડ સર્કલ જામનગરમાં રહેતા શખ્સને પકડી પાડ્યો હતો.
આ ઉપરાંત પોલીસે દારૂ સંબંધીત વધુ એક દરોડો કિસાન ચોકમાં નંદા બ્રધર્સ વાળી ગલીમાં પાડ્યો હતો. જ્યાં રવિ અમરીશભાઈ ધેયડા નામના શખ્સના કબજામાંથી 24 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધી હતો.પોલીસે 12 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી આદરી છે. આ ઉપરાંત જામનગર શહેરના વિશ્રામ વાડી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના ઉર્ફે એકો મહેન્દ્ર ગોરી ના રહેણાંક મકાનમાંથી એક બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે આરોપી હાજર મળ્યો ન હતો.


તેજ રીતે દિગ્વિજય પ્લોટ 58 માં આવેલ બાળકોના સ્મશાન પાસેથી સુરેશ ઉર્ફે સુરિયો ગંગારામ જોશી દારૂૂની બોટલ સાથે પકડાયો હતો. જ્યારે દર્શન ઉર્ફે ખેતો હરીશભાઈ ચાંદરાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ આદરી છે. તો નાગર ચકલા પાસે જાહેરમાં દારૂની બાટલી સાથે નીકળેલા કૃણાલ મહેશભાઈ ઝીંઝુવાડીયાને પોલીસે પકડી પાડ્યો હતો.


મેઘપર પોલીસે મોટીખાવડી ગામે આવેલ નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ નરેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજાની ટ્રાન્સપોર્ટ ની ઓફિસમાં રેડ પડી હતી જ્યાં ત્રણ બોટલ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મેકર પોલીસે નરેન્દ્રસિંહ જાડેજા તેમજ નવલભાઇ ખેરાભાઈ બુજડ નામના બંને શખ્સોની અટક કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સીટીસી ડિવિઝન પોલીસે અંતરાશ્રમ ફાટક પાસે આવાસ કોલોની બ્લોક નંબર 51 માં બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયાના મકાનમાં રેડ પડી હતી. જ્યાં તપાસ હાથ ધરતા 9200 ની કિંમતની 23 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પરિસ્થિતિ પારખી આરોપી બીપીન હાજર ન મળતા તેમને ફરારી જાહેર કરાયો છે.

Continue Reading

Uncategorized

વડાપ્રધાનની સભા પહેલાં કાશ્મીરમાં અલગ-અલગ જગ્યાએ પાંચ આતંકી ઢેર

Published

on

By

બારામુલ્લા અને કઠુઆમાં સેનાની કાર્યવાહી, બે જવાનની શહીદીનો બદલો લેવાયો

જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, આતંકવાદીઓની હાજરી અંગે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન શરૂૂ કરવામાં આવ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે ઉત્તર કાશ્મીર જિલ્લાના પટ્ટન વિસ્તારમાં ચક ટેપર કરીરીમાં ગોળીબાર શરૂૂ થયો હતો. આ ઓપરેશન હાલ ચાલુ છે.

Continue Reading

Uncategorized

શહેરમાં ગાબડારાજ: પ્રજાના કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય

Published

on

By

સરકારે પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી..

જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની હાલત દિનપ્રતિદિન વણસતી જાય છે. ભારે વરસાદ બાદ રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો સ્થિતિ વધુ ગંભીર છે. લોકોને સ્વયંભૂ ખાડા પૂરવાની ફરજ પડી છે. શહેરી વિસ્તારોમાં સરકાર દ્વારા માર્ગોની મરામત માટે નાણા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ નાણાંનો ઉપયોગ કેટલી હદે થશે તે અંગે શંકાઓ વ્યક્ત થઈ રહી છે.


સરકારી તંત્ર દ્વારા પ્રેસ રિલીઝ અને અન્ય માધ્યમો દ્વારા સતત માહિતી આપવામાં આવે છે, પરંતુ આ માહિતીમાં મોટાભાગે કરાયેલી કામગીરીની વાહવાહી અને આંકડાઓની માયાજાળ જોવા મળે છે. વાસ્તવિક સ્થિતિ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટે લેવામાં આવતા પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને મળતી નથી. મેયર, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પંચાયતના પ્રમુખો, કલેક્ટરો વગેરેએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા વાસ્તવિક સ્થિતિ જાહેર કરવી જોઈએ અને સમસ્યાઓના કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની માહિતી આપવી જોઈએ.


લોકો સરકારી તંત્ર પાસેથી વાસ્તવિક માહિતી અને કાર્યક્ષમ કામગીરીની અપેક્ષા રાખે છે. લોકો સરકારી તંત્રની ઢીલાશ અને ભૂલો સ્વીકારવા તૈયાર છે, પરંતુ તેને છુપાવવાના પ્રયાસો સામે વિરોધ કરે છે. સરકારી તંત્રને લોકોની અપેક્ષાઓને પૂરી કરવા માટે વધુ પારદર્શી અને જવાબદાર બનવું જરૂૂરી છે. વાસ્તવિક સ્થિતિ સ્વીકારવી અને તેના સંદર્ભમાં તત્કાળ પગલાં લેવા, કાયમી ઉકેલ માટેના પગલાં અંગેની વિગતવાર માહિતી લોકોને આપવી અને પ્રચાર-પ્રસારમાં આંકડાઓની માયાજાળ અને વાહવાહીને બદલે વાસ્તવિકતા પર ભાર મૂકવો જરૂૂરી છે.

પ્રશાસનિક અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરવો જોઈએ. જામનગર શહેર અને જિલ્લાના રસ્તાઓની દયનીય સ્થિતિ પાછળ સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર જવાબદાર છે. પ્રજાનાં કલ્યાણ કરતાં ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે લોકોએ એક થઈને સરકારને જવાબદાર બનાવવી પડશે.

Continue Reading
રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

રાષ્ટ્રીય9 hours ago

દિલ્હીમાં યમુના નદીના કિનારે બનેલો બંસેરા પાર્ક 25 રીતે પ્રવાસીઓને કરે છે આકર્ષિત , જાણો તેની તમામ ખાસિયતો

આંતરરાષ્ટ્રીય9 hours ago

પન્નુ કેસમાં અમેરિકી કોર્ટે અજિત ડોભાલને સમન્સ પાઠવતાં ભડકી ઉઠી ભારત સરકાર, આપ્યો આવો જવાબ

રાષ્ટ્રીય10 hours ago

યુપી-બિહારમાં વરસાદનું તાંડવ, 300 ગામડાંઓ ડૂબી ગયા: 247 શાળાઓ બંધ

રાષ્ટ્રીય10 hours ago

બિહાર NDAમાં દંગલ, જેડીયુનો 130 અને એલજેપીઆરનો 38 બેઠકનો દાવો

રાષ્ટ્રીય10 hours ago

50 વર્ષના સંશોધન બાદ નવા બ્લડ ગ્રુપ એમએએલની શોધ કરતા વૈજ્ઞાનિકો

ગુજરાત10 hours ago

અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા

આંતરરાષ્ટ્રીય10 hours ago

ટ્રમ્પની ગૃપ્ત ફાઇલો ચોરી ઇરાની હેકર્સે પ્રમુખ બાઇડનની ટીમને આપી:FBI

ક્રાઇમ10 hours ago

ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો

રાષ્ટ્રીય10 hours ago

ભારત પોતાના લોકોને ફંડિગ દ્વારા આપણી સંસદમાં મોકલે છે, કેનેડાનો ગંભીર આરોપ

રાષ્ટ્રીય2 days ago

બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત

ગુજરાત1 day ago

જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા

રાષ્ટ્રીય2 days ago

‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી

કચ્છ2 days ago

રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત

રાષ્ટ્રીય9 hours ago

ઓફિસના વર્કલોડે લીધો CAનો જીવ! માતાનો ભાવુક પત્ર વાંચીને કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

ગુજરાત1 day ago

આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે

આંતરરાષ્ટ્રીય1 day ago

ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો

કચ્છ1 day ago

કચ્છના ફેમસ જોકીનો મુંબઇમાં આપઘાત

ગુજરાત1 day ago

રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ

ગુજરાત1 day ago

રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ

Trending